CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ કરશે 24 યાત્રાધામોની સફાઈ, અખાત્રીજના દિવસ થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-04-19 20:00:39

ગુજરાતના પવિત્ર યાત્રાધામોની સ્વચ્છતાને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મોટી પહેલ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ દ્વારા મંદિરોમાં સફાઈ કરવામાં આવશે. સરકારના નિર્ણય મુજબ રાજ્યના 24 જેટલા ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ કરવામાં આવશે.મુખ્યમંત્રી અને મંત્રીઓ જ નહીં ધારાસભ્ય અને સાંસદો પણ આ સફાઈ અભિયાનમાં જોડાશે. આ નેતાઓ સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિતના યાત્રાધામોની મુલાકાત લઈ ત્યાંની સફાઈ કરશે.


કોણ ક્યાં સફાઈ કરશે?


ગાંધીનગરના સચિવાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે અખાત્રીજના દિવસે રાજ્યભરના પવિત્ર યાત્રાધામોની સફાઈને લઈને એક વિશેષ અભિયાન આ દિવસે ચલાવવામાં આવશે. જેમાં સી.આર પાટીલ, સુરતના અંબાજી મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના કરણસિંહજી બાલાજી હનુમાન, ઋષિકેશ પટેલ, ઊંઝા ઉમિયા ધામ ખાતે  ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ડાંગના સબરીધામની સફાઈ કરશે.


અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્મા, જુનાગઢ અંબાજી મંદિર ખાતે રાઘવજીભાઈ પટેલ, મહેસાણાના બેચરાજી ખાતે બળવંતસિંહ રાજપુત દ્વારકાધીશ મંદિર ખાતે મૂળભાઈ બેરા,બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે બચુભાઈ ખાબડ અને સુરતના કામરેજ ખાતે ગાયપગલા મંદિર ખાતે મુકેશ પટેલ આ અભિયાનમાં જોડાશે.


તે ઉપરાંત ડાકોર ખાતે રમણ સોલંકી માતાના મઢ કચ્છ ખાતે વિનોદ ચાવડા, શામળાજી ખાતે ભીખુ સિહજી પરમાર પાવાગઢ ખાતે જેઠાભાઈ ભરવાડ, સૂર્યમંદિર મોઢેરા ખાતે શારદાબેન પટેલ અને રમેશભાઈ કાગવડ ખોડલધામ ખાતે સફાઈ અભિયાનનું નેતૃત્વ કરશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે