CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક, બે કલાકની મીટીંગને લઈ અનેક તર્ક વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-12-20 22:31:58

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક અને અન્ય કામકાજ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી જવા રવાના થયા છે. ભૂપેન્દ્ર પટેલ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદીએ બેઠક યોજી હતી, એવું પણ જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીને છ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને વિપક્ષના બે ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે CM અને વડા પ્રધાન વચ્ચે આ બીજી બેઠક યોજાઈ રહી છે જેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


બે કલાકથી વધુ સમય સુધી ચાલી બેઠક


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેઠક છેલ્લા બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ મહત્વની બેઠકનો એજન્ડા તો જાણી શકાયો નથી પણ ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર અંગે ચર્ચા થઈ રહી હોવાની શક્યતા છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શું ફેરફાર થાય છે  તે તો આગામી સમય જ બતાવશે પણ આ બેઠકને લઈ ગાંધીનગર અને નવી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. 


PM મોદી આવશે ગુજરાત


આ બેઠકમાં રાજ્યના રાજકારણ ઉપરાંત  રાજ્યમાં યોજાનારી આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી 10 જાન્યુઆરી ગાંધીનગરમાં કરવાના છે. રાજ્ય સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રોના પ્રધાન મંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ, ભારત અને વિદેશની મોટી કંપનીના સીઈઓ સાથે સમિટમાં ભાગ લેશે. તે ઉપરાંત વડાપ્રધાન ટૂંક સમયમાં ગુજરાતમાં રાજકોટ એઈમ્સ અને સાબરમતીમાં મલ્ટી-મોડલ હબ અને બેટ દ્વારકા-ઓખા સી બ્રિજ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.