સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગીએ જીત્યું પીએમ મોદીનું દિલ! PMએ ટ્વિટમાં સીએમના વખાણ કરતા લખ્યું 'તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે'


  • Published By :
  • Published Date : 2023-05-15 09:49:30

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી માટે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તેમની સાદગીના અનેક નેતાઓ વખાણ કરતા પણ દેખાયા છે. ત્યારે સીએમની સાદગીના વખાણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે. પોતાના ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ લખાણ સાથે પીએમ મોદીએ બીજેપી ગુજરાત દ્વારા કરવામાં આવેલી પોસ્ટને શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે દીકરાને સારવાર માટે મુંબઈ લઈ ગયા તે સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું ભર્યું છે.

  

એર એમ્બ્યુલન્સનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ચૂકવ્યું ભાડુ!  

થોડા સમય પહેલા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર અર્થે તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ તેમને એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે એર એમ્બ્યુલન્સનું ભાડુ સીએમે ચૂકવ્યું છે. સાથે જ તેઓ ચારથી પાંચ વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા છે. ત્યારે આ વાતના વખાણ પીએમ મોદીએ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.


પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ!

મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ અનેક વખત અનેક નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. રાજકારણ સાથે જોડાયેલા અનેક લોકો સરકારી પૈસે અનેક સુવિધાનો લાભ ઉઠાવતા હોય છે. સરકારી પૈસે અનેક યાત્રાઓ કરતા દેખાતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેસાડવામાં આવેલો દાખલો અન્ય માટે પ્રેરણારૂપ બને તેવા ભાવ સાથે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે.  

   



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .