સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગીએ જીત્યું પીએમ મોદીનું દિલ! PMએ ટ્વિટમાં સીએમના વખાણ કરતા લખ્યું 'તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે'


  • Published By :
  • Published Date : 2023-05-15 09:49:30

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી માટે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તેમની સાદગીના અનેક નેતાઓ વખાણ કરતા પણ દેખાયા છે. ત્યારે સીએમની સાદગીના વખાણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે. પોતાના ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ લખાણ સાથે પીએમ મોદીએ બીજેપી ગુજરાત દ્વારા કરવામાં આવેલી પોસ્ટને શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે દીકરાને સારવાર માટે મુંબઈ લઈ ગયા તે સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું ભર્યું છે.

  

એર એમ્બ્યુલન્સનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ચૂકવ્યું ભાડુ!  

થોડા સમય પહેલા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર અર્થે તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ તેમને એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે એર એમ્બ્યુલન્સનું ભાડુ સીએમે ચૂકવ્યું છે. સાથે જ તેઓ ચારથી પાંચ વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા છે. ત્યારે આ વાતના વખાણ પીએમ મોદીએ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.


પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ!

મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ અનેક વખત અનેક નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. રાજકારણ સાથે જોડાયેલા અનેક લોકો સરકારી પૈસે અનેક સુવિધાનો લાભ ઉઠાવતા હોય છે. સરકારી પૈસે અનેક યાત્રાઓ કરતા દેખાતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેસાડવામાં આવેલો દાખલો અન્ય માટે પ્રેરણારૂપ બને તેવા ભાવ સાથે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે.  

   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.