સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગીએ જીત્યું પીએમ મોદીનું દિલ! PMએ ટ્વિટમાં સીએમના વખાણ કરતા લખ્યું 'તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે'


  • Published By :
  • Published Date : 2023-05-15 09:49:30

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી માટે હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તેમની સાદગીના અનેક નેતાઓ વખાણ કરતા પણ દેખાયા છે. ત્યારે સીએમની સાદગીના વખાણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે. પોતાના ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ લખાણ સાથે પીએમ મોદીએ બીજેપી ગુજરાત દ્વારા કરવામાં આવેલી પોસ્ટને શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે દીકરાને સારવાર માટે મુંબઈ લઈ ગયા તે સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું ભર્યું છે.

  

એર એમ્બ્યુલન્સનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ચૂકવ્યું ભાડુ!  

થોડા સમય પહેલા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર અર્થે તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ તેમને એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે એર એમ્બ્યુલન્સનું ભાડુ સીએમે ચૂકવ્યું છે. સાથે જ તેઓ ચારથી પાંચ વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા છે. ત્યારે આ વાતના વખાણ પીએમ મોદીએ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.


પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ!

મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ અનેક વખત અનેક નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. રાજકારણ સાથે જોડાયેલા અનેક લોકો સરકારી પૈસે અનેક સુવિધાનો લાભ ઉઠાવતા હોય છે. સરકારી પૈસે અનેક યાત્રાઓ કરતા દેખાતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેસાડવામાં આવેલો દાખલો અન્ય માટે પ્રેરણારૂપ બને તેવા ભાવ સાથે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે.  

   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે