CM ભૂપેન્દ્ર પટેલે સોનગઢની શાળાની લીધી ઓચિંતી મુલાકાત, મીટરના ખુલ્લા વાયરો જોઈ કલેક્ટરને લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2023-08-09 18:58:00

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ગુણસદા પ્રા.શાળા ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણસદા પ્રા.શાળા ખાતે શાળાના કેમ્પસની મુલાકાત લીધી હતી. ગુણસદા પ્રા.શાળા ખાતે તેમણે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે શાળા અને વિદ્યાર્થીઓના છાત્રાવાસમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. શાળાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીનું ધ્યાન શાળામાં વીજળીના મીટર ખુલ્લા તાર ખુલ્લા વાયરો જતાં તેઓ ચોંકી ઉઠયા હતા અને કલેક્ટરને ફટકાર લગાવી હતી લીધો હતો. 


કલેક્ટરને ફટકાર લગાવી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં મીટરના ખુલ્લા વાયરો મામલે કલેક્ટરનો ઉધડો લીધો હતો. શાળાની પરિસ્થિતી જોઇને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ બધી જ વ્યવસ્થા કરી દઇશું એમ કહીને ચાલતી પકડી હતી. શાળાની ઓચિંતી મુલાકાતને કારણે શિક્ષણબેડામાં પણ ફફડાટ ફેલાયો હતો. મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરને સવાલો કરાતા તેઓ પણ હતપ્રભ થઇ ગયા હતા. ગુણસદાની આશ્રમ શાળા જિલ્લા પંચાયત સંચાલિત હસ્તક કામગીરી કરે છે. જો કે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી મીડિયા સમક્ષ મૌન રહ્યા હતા. મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ બે હાથ જોડીને કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. 


CM ભૂપેન્દ્ર પટેલે લીધી શાળાની ઓચિંતી મુલાકાત


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવેદના સભર સંવાદ સાધતા ભણતર અંગે તેમજ શિક્ષણેત્તર પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મેળવી સ્વર્ણિમ ભાવિનું ઘડતર કરવા પ્રેરણા આપી હતી. ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અમલી શૈક્ષણિક યોજનાઓ વિશે જણાવી આ યોજનાઓનો લાભ લઈને ભણીગણીને ખુબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. CM ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી કુંવરજી ભાઇ હળપતિ સહિત અગ્રણીઓ અધિકારીઓ પણ જોડાયા હતા.


IAS ધવલ પટેલના રિપોર્ટ બાદ સરકાર એક્શન મોડમાં


રાજયના આદિવાસી જિલ્લાઓમાં શિક્ષણની કથળતી સ્થિતી મુદ્દે અગાઉ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને છોટાઉદેપુરની 6 ગામની શાળાઓની મુલાકાત બાદ પત્ર લખ્યો હતો. જે પત્રમાં શાળાઓમાં રહેલી ક્ષતિઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ શિક્ષણતંત્રમાં હડકંપ મચી ગયો હતો. જો કે હવે સફાળા જાગીને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ પણ સજાગ થઇને શાળાઓની મુલાકાત લઇને શાળાઓની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.