CM ભૂપેન્દ્ર પટેલે સોનગઢની શાળાની લીધી ઓચિંતી મુલાકાત, મીટરના ખુલ્લા વાયરો જોઈ કલેક્ટરને લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2023-08-09 18:58:00

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ગુણસદા પ્રા.શાળા ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણસદા પ્રા.શાળા ખાતે શાળાના કેમ્પસની મુલાકાત લીધી હતી. ગુણસદા પ્રા.શાળા ખાતે તેમણે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે શાળા અને વિદ્યાર્થીઓના છાત્રાવાસમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. શાળાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીનું ધ્યાન શાળામાં વીજળીના મીટર ખુલ્લા તાર ખુલ્લા વાયરો જતાં તેઓ ચોંકી ઉઠયા હતા અને કલેક્ટરને ફટકાર લગાવી હતી લીધો હતો. 


કલેક્ટરને ફટકાર લગાવી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં મીટરના ખુલ્લા વાયરો મામલે કલેક્ટરનો ઉધડો લીધો હતો. શાળાની પરિસ્થિતી જોઇને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ બધી જ વ્યવસ્થા કરી દઇશું એમ કહીને ચાલતી પકડી હતી. શાળાની ઓચિંતી મુલાકાતને કારણે શિક્ષણબેડામાં પણ ફફડાટ ફેલાયો હતો. મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરને સવાલો કરાતા તેઓ પણ હતપ્રભ થઇ ગયા હતા. ગુણસદાની આશ્રમ શાળા જિલ્લા પંચાયત સંચાલિત હસ્તક કામગીરી કરે છે. જો કે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી મીડિયા સમક્ષ મૌન રહ્યા હતા. મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ બે હાથ જોડીને કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. 


CM ભૂપેન્દ્ર પટેલે લીધી શાળાની ઓચિંતી મુલાકાત


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવેદના સભર સંવાદ સાધતા ભણતર અંગે તેમજ શિક્ષણેત્તર પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મેળવી સ્વર્ણિમ ભાવિનું ઘડતર કરવા પ્રેરણા આપી હતી. ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અમલી શૈક્ષણિક યોજનાઓ વિશે જણાવી આ યોજનાઓનો લાભ લઈને ભણીગણીને ખુબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. CM ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી કુંવરજી ભાઇ હળપતિ સહિત અગ્રણીઓ અધિકારીઓ પણ જોડાયા હતા.


IAS ધવલ પટેલના રિપોર્ટ બાદ સરકાર એક્શન મોડમાં


રાજયના આદિવાસી જિલ્લાઓમાં શિક્ષણની કથળતી સ્થિતી મુદ્દે અગાઉ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને છોટાઉદેપુરની 6 ગામની શાળાઓની મુલાકાત બાદ પત્ર લખ્યો હતો. જે પત્રમાં શાળાઓમાં રહેલી ક્ષતિઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ શિક્ષણતંત્રમાં હડકંપ મચી ગયો હતો. જો કે હવે સફાળા જાગીને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ પણ સજાગ થઇને શાળાઓની મુલાકાત લઇને શાળાઓની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.