હર્ષ સંઘવીએ કહ્યું "બસમાં બેસીને રકાબીમાં ચા પીવો તો પણ ન ઢોળાય", પણ ખરેખર તેવા રસ્તાઓ છે?


  • Published By :
  • Published Date : 2023-02-13 19:41:32

રાજ્યની ભાજપ સરકાર વિવિધ પ્રકારના લોક કલ્યાણના કાર્યો દ્વારા પ્રજાના દિલ જીતવાના પ્રયાસો કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો ખાતે આ નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લરઝરી બસનો સમાવેશ થાય છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમા રાખીને આ બસની બોડી કોડ AIS-052અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 40 સ્લીપર કોચ બસ 16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી  છે, તો 111 લરઝરીનો બસોને 37 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે.


હર્ષ સંઘવીના નિવેદને ચર્ચા જગાવી


ગાંધીનગરમાં આયોજીત બસ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે 'નાગરિકોને સારી સુવિધા મળી રહે તે માટે વધુ બસનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળી રહેશે. આ નવી બસોની વિશેષ ખાસિયત એ છે કે તેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો એ ન ઢોળાય અને ઉંમરલાયક લોકોને કોઈ પણ પ્રકારનો ઝટકા ન લાગે તેવા પ્રકારની સુવિધાયુક્ત આ બસો છે. અત્યારે 900 બસો શરૂ કરવા માટે તારીખ આપવામાં આવશે. અને તબક્કાવાર 150-150 બસો શરૂ કરવામાં આવશે. જો કે તેમાં રસપ્રદ બાબત એ છે કે રાજ્ય સરકારે લોકો માટે આવી મોંઘીદાટ બસો શરૂ તો કરી પણ આ બસમાં મુસાફરી દરમિયાન ચાની રકાબીમાંથી ચા પણ ન ઢોળાય તેવા માર્ગો ખરેખર આપણે ત્યા છે ખરાં? લોકો હવે આ સવાલ દબાયેલા અવાજમાં પુછી રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.