હર્ષ સંઘવીએ કહ્યું "બસમાં બેસીને રકાબીમાં ચા પીવો તો પણ ન ઢોળાય", પણ ખરેખર તેવા રસ્તાઓ છે?


  • Published By :
  • Published Date : 2023-02-13 19:41:32

રાજ્યની ભાજપ સરકાર વિવિધ પ્રકારના લોક કલ્યાણના કાર્યો દ્વારા પ્રજાના દિલ જીતવાના પ્રયાસો કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો ખાતે આ નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લરઝરી બસનો સમાવેશ થાય છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમા રાખીને આ બસની બોડી કોડ AIS-052અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 40 સ્લીપર કોચ બસ 16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી  છે, તો 111 લરઝરીનો બસોને 37 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે.


હર્ષ સંઘવીના નિવેદને ચર્ચા જગાવી


ગાંધીનગરમાં આયોજીત બસ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે 'નાગરિકોને સારી સુવિધા મળી રહે તે માટે વધુ બસનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળી રહેશે. આ નવી બસોની વિશેષ ખાસિયત એ છે કે તેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો એ ન ઢોળાય અને ઉંમરલાયક લોકોને કોઈ પણ પ્રકારનો ઝટકા ન લાગે તેવા પ્રકારની સુવિધાયુક્ત આ બસો છે. અત્યારે 900 બસો શરૂ કરવા માટે તારીખ આપવામાં આવશે. અને તબક્કાવાર 150-150 બસો શરૂ કરવામાં આવશે. જો કે તેમાં રસપ્રદ બાબત એ છે કે રાજ્ય સરકારે લોકો માટે આવી મોંઘીદાટ બસો શરૂ તો કરી પણ આ બસમાં મુસાફરી દરમિયાન ચાની રકાબીમાંથી ચા પણ ન ઢોળાય તેવા માર્ગો ખરેખર આપણે ત્યા છે ખરાં? લોકો હવે આ સવાલ દબાયેલા અવાજમાં પુછી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.