હર્ષ સંઘવીએ કહ્યું "બસમાં બેસીને રકાબીમાં ચા પીવો તો પણ ન ઢોળાય", પણ ખરેખર તેવા રસ્તાઓ છે?


  • Published By :
  • Published Date : 2023-02-13 19:41:32

રાજ્યની ભાજપ સરકાર વિવિધ પ્રકારના લોક કલ્યાણના કાર્યો દ્વારા પ્રજાના દિલ જીતવાના પ્રયાસો કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો ખાતે આ નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લરઝરી બસનો સમાવેશ થાય છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમા રાખીને આ બસની બોડી કોડ AIS-052અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 40 સ્લીપર કોચ બસ 16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી  છે, તો 111 લરઝરીનો બસોને 37 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે.


હર્ષ સંઘવીના નિવેદને ચર્ચા જગાવી


ગાંધીનગરમાં આયોજીત બસ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે 'નાગરિકોને સારી સુવિધા મળી રહે તે માટે વધુ બસનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળી રહેશે. આ નવી બસોની વિશેષ ખાસિયત એ છે કે તેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો એ ન ઢોળાય અને ઉંમરલાયક લોકોને કોઈ પણ પ્રકારનો ઝટકા ન લાગે તેવા પ્રકારની સુવિધાયુક્ત આ બસો છે. અત્યારે 900 બસો શરૂ કરવા માટે તારીખ આપવામાં આવશે. અને તબક્કાવાર 150-150 બસો શરૂ કરવામાં આવશે. જો કે તેમાં રસપ્રદ બાબત એ છે કે રાજ્ય સરકારે લોકો માટે આવી મોંઘીદાટ બસો શરૂ તો કરી પણ આ બસમાં મુસાફરી દરમિયાન ચાની રકાબીમાંથી ચા પણ ન ઢોળાય તેવા માર્ગો ખરેખર આપણે ત્યા છે ખરાં? લોકો હવે આ સવાલ દબાયેલા અવાજમાં પુછી રહ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.