CM Bhupendra Patelએ હસતા હસતા સાચી વાત કહી દીધી..! કહ્યું ‘પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય’


  • Published By :
  • Published Date : 2024-01-03 08:57:23

એક સમસ્યાનો સામનો અનેક લોકો કરતા હશે એ છે ખરાબ રસ્તાનો. ખરાબ રસ્તાને બદલે સારો રસ્તો બનવો જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા રસ્તા બનાવાની કામગીરી પણ શરૂ થઈ જાય છે, રસ્તો આખો બની જાય છે પછી તંત્રને યાદ આવે છે ગટરની લાઈન તો નાખવાની જ રહી ગઈ..! તંત્રને જ્યારે આ આદ આવે છે તો  નવો બનેલો રસ્તો તોડી નખાય છે. અનેક વખત આવું થતું આપણે જોયું પણ હશે. જ્યારે રસ્તાનું કામ ચાલતું હશે ત્યારે તમે પણ કદાચ મનમાં એક બે વાર તો કીધું હશે કે થોડા દિવસો બાદ રસ્તાને તોડી ખાડો કરવામાં આવશે અને જે કામ કરવાના બાકી હશે તે કરવામાં આવશે.

હસતા હસતા મુખ્યમંત્રીએ કરી અધિકારીઓને ટકોર 

સરકારી કામ માટે આવો અભિગમ સામાન્ય માણસના માનસ પર જોવા મળતો હોય છે. જ્યારે કોઈને સરકારી કામ માટે ઓફિસ જવાનું હોય છે ત્યારે તે મનમાં વિચાર કરતો હશે કે અનેક ધક્કા ખાવા પડશે તે બાદ તો કામ પૂર્ણ થશે. હસતા હસતા અનેક વખત આપણા વડીલો આપણને કટાક્ષ કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે.   સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. 


ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે - મુખ્યમંત્રી 

છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદન આપે છે જેની ચર્ચા થતી હોય છે. ટકોર કરે છે પણ સારા શબ્દોમાં! પોતાના નિવેદનમાં આડકતરી રીતે તેમણે ટકોર કરી કે આયોજન વગરનું કામ નહીં ચલાવી લેવામાં આવે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, રાજ્યની મહાનગરપાલિકાઓ અને  નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

મેયર, ધારાસભ્ય તેમજ કમિશ્નરને કરી ટકોર  

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.