CM Bhupendra Patelએ હસતા હસતા સાચી વાત કહી દીધી..! કહ્યું ‘પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય’


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-03 08:57:23

એક સમસ્યાનો સામનો અનેક લોકો કરતા હશે એ છે ખરાબ રસ્તાનો. ખરાબ રસ્તાને બદલે સારો રસ્તો બનવો જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા રસ્તા બનાવાની કામગીરી પણ શરૂ થઈ જાય છે, રસ્તો આખો બની જાય છે પછી તંત્રને યાદ આવે છે ગટરની લાઈન તો નાખવાની જ રહી ગઈ..! તંત્રને જ્યારે આ આદ આવે છે તો  નવો બનેલો રસ્તો તોડી નખાય છે. અનેક વખત આવું થતું આપણે જોયું પણ હશે. જ્યારે રસ્તાનું કામ ચાલતું હશે ત્યારે તમે પણ કદાચ મનમાં એક બે વાર તો કીધું હશે કે થોડા દિવસો બાદ રસ્તાને તોડી ખાડો કરવામાં આવશે અને જે કામ કરવાના બાકી હશે તે કરવામાં આવશે.

હસતા હસતા મુખ્યમંત્રીએ કરી અધિકારીઓને ટકોર 

સરકારી કામ માટે આવો અભિગમ સામાન્ય માણસના માનસ પર જોવા મળતો હોય છે. જ્યારે કોઈને સરકારી કામ માટે ઓફિસ જવાનું હોય છે ત્યારે તે મનમાં વિચાર કરતો હશે કે અનેક ધક્કા ખાવા પડશે તે બાદ તો કામ પૂર્ણ થશે. હસતા હસતા અનેક વખત આપણા વડીલો આપણને કટાક્ષ કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે.   સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. 


ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે - મુખ્યમંત્રી 

છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદન આપે છે જેની ચર્ચા થતી હોય છે. ટકોર કરે છે પણ સારા શબ્દોમાં! પોતાના નિવેદનમાં આડકતરી રીતે તેમણે ટકોર કરી કે આયોજન વગરનું કામ નહીં ચલાવી લેવામાં આવે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, રાજ્યની મહાનગરપાલિકાઓ અને  નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

મેયર, ધારાસભ્ય તેમજ કમિશ્નરને કરી ટકોર  

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે