CM Bhupendra Patelએ હસતા હસતા સાચી વાત કહી દીધી..! કહ્યું ‘પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય’


  • Published By :
  • Published Date : 2024-01-03 08:57:23

એક સમસ્યાનો સામનો અનેક લોકો કરતા હશે એ છે ખરાબ રસ્તાનો. ખરાબ રસ્તાને બદલે સારો રસ્તો બનવો જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા રસ્તા બનાવાની કામગીરી પણ શરૂ થઈ જાય છે, રસ્તો આખો બની જાય છે પછી તંત્રને યાદ આવે છે ગટરની લાઈન તો નાખવાની જ રહી ગઈ..! તંત્રને જ્યારે આ આદ આવે છે તો  નવો બનેલો રસ્તો તોડી નખાય છે. અનેક વખત આવું થતું આપણે જોયું પણ હશે. જ્યારે રસ્તાનું કામ ચાલતું હશે ત્યારે તમે પણ કદાચ મનમાં એક બે વાર તો કીધું હશે કે થોડા દિવસો બાદ રસ્તાને તોડી ખાડો કરવામાં આવશે અને જે કામ કરવાના બાકી હશે તે કરવામાં આવશે.

હસતા હસતા મુખ્યમંત્રીએ કરી અધિકારીઓને ટકોર 

સરકારી કામ માટે આવો અભિગમ સામાન્ય માણસના માનસ પર જોવા મળતો હોય છે. જ્યારે કોઈને સરકારી કામ માટે ઓફિસ જવાનું હોય છે ત્યારે તે મનમાં વિચાર કરતો હશે કે અનેક ધક્કા ખાવા પડશે તે બાદ તો કામ પૂર્ણ થશે. હસતા હસતા અનેક વખત આપણા વડીલો આપણને કટાક્ષ કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે.   સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. 


ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે - મુખ્યમંત્રી 

છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદન આપે છે જેની ચર્ચા થતી હોય છે. ટકોર કરે છે પણ સારા શબ્દોમાં! પોતાના નિવેદનમાં આડકતરી રીતે તેમણે ટકોર કરી કે આયોજન વગરનું કામ નહીં ચલાવી લેવામાં આવે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, રાજ્યની મહાનગરપાલિકાઓ અને  નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

મેયર, ધારાસભ્ય તેમજ કમિશ્નરને કરી ટકોર  

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે