CM Bhupendra Patelએ હસતા હસતા સાચી વાત કહી દીધી..! કહ્યું ‘પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય’


  • Published By :
  • Published Date : 2024-01-03 08:57:23

એક સમસ્યાનો સામનો અનેક લોકો કરતા હશે એ છે ખરાબ રસ્તાનો. ખરાબ રસ્તાને બદલે સારો રસ્તો બનવો જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા રસ્તા બનાવાની કામગીરી પણ શરૂ થઈ જાય છે, રસ્તો આખો બની જાય છે પછી તંત્રને યાદ આવે છે ગટરની લાઈન તો નાખવાની જ રહી ગઈ..! તંત્રને જ્યારે આ આદ આવે છે તો  નવો બનેલો રસ્તો તોડી નખાય છે. અનેક વખત આવું થતું આપણે જોયું પણ હશે. જ્યારે રસ્તાનું કામ ચાલતું હશે ત્યારે તમે પણ કદાચ મનમાં એક બે વાર તો કીધું હશે કે થોડા દિવસો બાદ રસ્તાને તોડી ખાડો કરવામાં આવશે અને જે કામ કરવાના બાકી હશે તે કરવામાં આવશે.

હસતા હસતા મુખ્યમંત્રીએ કરી અધિકારીઓને ટકોર 

સરકારી કામ માટે આવો અભિગમ સામાન્ય માણસના માનસ પર જોવા મળતો હોય છે. જ્યારે કોઈને સરકારી કામ માટે ઓફિસ જવાનું હોય છે ત્યારે તે મનમાં વિચાર કરતો હશે કે અનેક ધક્કા ખાવા પડશે તે બાદ તો કામ પૂર્ણ થશે. હસતા હસતા અનેક વખત આપણા વડીલો આપણને કટાક્ષ કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે.   સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. 


ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે - મુખ્યમંત્રી 

છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદન આપે છે જેની ચર્ચા થતી હોય છે. ટકોર કરે છે પણ સારા શબ્દોમાં! પોતાના નિવેદનમાં આડકતરી રીતે તેમણે ટકોર કરી કે આયોજન વગરનું કામ નહીં ચલાવી લેવામાં આવે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, રાજ્યની મહાનગરપાલિકાઓ અને  નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

મેયર, ધારાસભ્ય તેમજ કમિશ્નરને કરી ટકોર  

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.