CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા ખેડા તાલુકા સેવા સદનની મુલાકાતે, કરી ફાઈલોની તપાસ, ફાઈલમાં લોચો લાગતા કરી આ કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2024-06-17 13:02:23

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી ઉધઈની જેમ કોરી ખાય છે . કેમ કે, આ ભ્રષ્ટાચાર જ્યારે શિષ્ટાચાર બની જાય ત્યારે, મોરબીનો પુલ કાંડ, વડોદરાનો હરણીકાંડ , અને હમણાં જ થયેલો રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે. આ બધી જ દુર્ઘટના ભોગ લે છે સામાન્ય માણસનો. અને પાછળ રહી જાય છે કલ્પાંત કરતી જિંદગીઓ. પણ હવે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે બાથ ભીડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે જ ખુબ સક્રિય દેખાઈ રહ્યા છે. તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન, તેમના દ્વારા કરવામાં આવતી કાર્યવાહી આની તરફ સંકેત કરી રહ્યા છે..   

ખેડા તાલુકા સેવાસદનની લીધી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત 

ગુજરાતમાં અધિકારીઓનું રાજ અને તેમાં પણ તેમનો ભ્રષ્ટાચાર એ સામાન્ય માણસ માટે માથાનો દુખાવો બની ગયો છે. અને એક બાબત ખુબ જ સ્પષ્ટ બની ગઈ છે કે, ગુજરાત સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈસા મૂકોને ખેલ જોવોએ તેમનું ચલણ અને વલણ બની ચુક્યા છે. પરંતુ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે જ એકશનમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ શુક્રવારના રોજ આણંદના સારસા ગામ ખાતે ગ્રામજનો સાથેનો એક સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર ખેડા તાલુકા સેવાસદનની મુલાકાતે પહોંચ્યા હતા. 



સેવા સદનમાં આવેલા સામાન્ય નાગરિકો સાથે કરી હતી મુલાકાત  

આ કચેરીએ આવકના દાખલા,જાતિ પ્રમાણપત્રો , જન્મ પ્રમાણપત્રો , ખેડૂતોના રસ્તાના કેસો જેવી રોંજિદી કાર્યવાહીનું ખુબ ઝીણવટ પૂર્વકનું નિરીક્ષણ કર્યું હતું, ઉપરાંત આ સેવાસદનમાં મુલાકાત માટે આવેલા એટલે કે પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો અને મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી વિશે પૂછતાછ કરી હતી . તેમનો ફીડ બેક લીધો હતો. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રને મુલાકાતીઓ માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સૂચનો પણ કર્યા હતા . આ ઉપરાંત જરૂરી માર્ગદર્શન પદાધિકારીઓને પૂરું પાડ્યું હતું . 



100 જેટલી ફાઈલોની કરી ઝીણવટ પૂર્વક તપાસ 

જેવા જ CM આ કચેરીએ પહોંચ્યા છે તેવી ખબર કચેરીમાં પડતા જ અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા . મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ સહિતના અધિકારીઓ હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મામલતદાર પ્રીતિબેન શાહની મહેસુલ વિભાગની 100 જેટલી ફાઈલોની તપાસ કરી હતી. જોકે આ દરમ્યાન પ્રીતિ શાહની બેદરકારી બહાર આવી હતી . 



જો હમણાં પગલા નહીં લેવામાં આવે તો... 

જેના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી તેમની બદલી છોટાઉદેપુરના disaster managment સેલમાં કરી નાખી હોય તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે તેને હમણાં દૂર નહીં કરવામાં આવે તો બહુ વાર થઈ જશે..! એ હદે લોકો મજબૂર થઈ રહ્યા છે કે જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી તેમનું કામ નથી થતું..! અનેક કિસ્સાઓમાં પૈસા પહેલા આપવા પડે છે અને પછી કામ થાય છે...! ત્યારે મૃદુ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર મામલે મક્કમતા દેખાડે તેવી આશા..   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.