CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા ખેડા તાલુકા સેવા સદનની મુલાકાતે, કરી ફાઈલોની તપાસ, ફાઈલમાં લોચો લાગતા કરી આ કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2024-06-17 13:02:23

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી ઉધઈની જેમ કોરી ખાય છે . કેમ કે, આ ભ્રષ્ટાચાર જ્યારે શિષ્ટાચાર બની જાય ત્યારે, મોરબીનો પુલ કાંડ, વડોદરાનો હરણીકાંડ , અને હમણાં જ થયેલો રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે. આ બધી જ દુર્ઘટના ભોગ લે છે સામાન્ય માણસનો. અને પાછળ રહી જાય છે કલ્પાંત કરતી જિંદગીઓ. પણ હવે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે બાથ ભીડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે જ ખુબ સક્રિય દેખાઈ રહ્યા છે. તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન, તેમના દ્વારા કરવામાં આવતી કાર્યવાહી આની તરફ સંકેત કરી રહ્યા છે..   

ખેડા તાલુકા સેવાસદનની લીધી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત 

ગુજરાતમાં અધિકારીઓનું રાજ અને તેમાં પણ તેમનો ભ્રષ્ટાચાર એ સામાન્ય માણસ માટે માથાનો દુખાવો બની ગયો છે. અને એક બાબત ખુબ જ સ્પષ્ટ બની ગઈ છે કે, ગુજરાત સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈસા મૂકોને ખેલ જોવોએ તેમનું ચલણ અને વલણ બની ચુક્યા છે. પરંતુ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે જ એકશનમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ શુક્રવારના રોજ આણંદના સારસા ગામ ખાતે ગ્રામજનો સાથેનો એક સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર ખેડા તાલુકા સેવાસદનની મુલાકાતે પહોંચ્યા હતા. 



સેવા સદનમાં આવેલા સામાન્ય નાગરિકો સાથે કરી હતી મુલાકાત  

આ કચેરીએ આવકના દાખલા,જાતિ પ્રમાણપત્રો , જન્મ પ્રમાણપત્રો , ખેડૂતોના રસ્તાના કેસો જેવી રોંજિદી કાર્યવાહીનું ખુબ ઝીણવટ પૂર્વકનું નિરીક્ષણ કર્યું હતું, ઉપરાંત આ સેવાસદનમાં મુલાકાત માટે આવેલા એટલે કે પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો અને મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી વિશે પૂછતાછ કરી હતી . તેમનો ફીડ બેક લીધો હતો. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રને મુલાકાતીઓ માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સૂચનો પણ કર્યા હતા . આ ઉપરાંત જરૂરી માર્ગદર્શન પદાધિકારીઓને પૂરું પાડ્યું હતું . 



100 જેટલી ફાઈલોની કરી ઝીણવટ પૂર્વક તપાસ 

જેવા જ CM આ કચેરીએ પહોંચ્યા છે તેવી ખબર કચેરીમાં પડતા જ અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા . મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ સહિતના અધિકારીઓ હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મામલતદાર પ્રીતિબેન શાહની મહેસુલ વિભાગની 100 જેટલી ફાઈલોની તપાસ કરી હતી. જોકે આ દરમ્યાન પ્રીતિ શાહની બેદરકારી બહાર આવી હતી . 



જો હમણાં પગલા નહીં લેવામાં આવે તો... 

જેના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી તેમની બદલી છોટાઉદેપુરના disaster managment સેલમાં કરી નાખી હોય તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે તેને હમણાં દૂર નહીં કરવામાં આવે તો બહુ વાર થઈ જશે..! એ હદે લોકો મજબૂર થઈ રહ્યા છે કે જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી તેમનું કામ નથી થતું..! અનેક કિસ્સાઓમાં પૈસા પહેલા આપવા પડે છે અને પછી કામ થાય છે...! ત્યારે મૃદુ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર મામલે મક્કમતા દેખાડે તેવી આશા..   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.