CM Bhupendra Patel Viral Speech : ભ્રષ્ટાચાર કરતા લોકો માટે CMએ કહી વાત જેને સાંભળી ભ્રષ્ટાચારીઓને શરમ આવવી જોઈએ...! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-17 15:15:13

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ભ્રષ્ટાચારને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ હવે તો ભ્રષ્ટાચારને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ વાત કહી હતી.   

ભ્રષ્ટાચાર કરતા નાના કર્મચારીઓ પકડાઈ જાય છે પરંતુ...!

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક કર્મચારીઓ, અધિકારીઓ એવા હોય છે જે લાંચ લે છે. જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે નાની માછલીઓ પકડાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. કરપ્શન એ હદે વધી ગયું છે કે આપણને એમ થાય કે આટલા પૈસાનું આ લોકો કરશે શું?  

ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ કહી આ વાત!

ગુજરાતના મુખ્યમંત્રીને આપણે મૃદ્દુ અને મક્કમ માનીએ છીએ. મક્કમતાથી તે અનેક નિર્ણયો લે છે ઉપરાંત સંવેદનશીલતા પણ દર્શાવે છે. ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ જે વાત કરી છે તેને સાંભળવા જેવી છે. ભ્રષ્ટચાર, ચારિત્ર્યને લઈ વાત કરી હતી. ભ્રષ્ટાચારની વાત સાંભળીને એમ થાય કે શું કરવું? સીએમએ કહ્યું કે ડાઈનિંગ ટેબલ પર તમે જમવા બેસો ત્યારે આપણને સંતોષ થવો તો જોઈએને.. શું ખાવ તમે? કેટલું ખાવ? શું દોડ દોડ.? કેટલા રૂપિયા કમાવા છે, કોના માટે કમાવા છે ? તેની ખબર નથી... 


કર્મનું પરિણામ તો ભોગવવું જ પડે છે...!

આપણે ત્યાં કહેવાય છે કે કર્મ કોઈને નથી છોડતું. વહેલા મોડા પણ કર્મનું પરિણામ આપણે ભોગવવું પડે છે. દિવસ દરમિયાન જો આપણે નીતિ મત્તાથી કામ કર્યું હશે તો જ રાત્રે આપણને સારી ઉંધ આવશે. અને જો દિવસ દરમિયાન નીતિમત્તાથી કામ નહીં કર્યું હોય, ખોટું કામ કર્યું હશે તો રાતોની ઉંધ હરામ થઈ જતી હોય છે.... 



ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું છે. તેની બાદ તેમના દ્વારા પ્રતિક્રિયા આપી છે.

ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો..

દેશમાં 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી માટે ત્યાં મતદાન થવાનું નથી.. 9 વાગ્યા સુધી ગુજરાતમાં 9.97 ટકા સરેરાશ મતદાન થયું છે.. સૌથી વધારે બનાસકાંઠામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ વેસ્ટમાં થયું છે...