CM Bhupendra Patel Viral Speech : ભ્રષ્ટાચાર કરતા લોકો માટે CMએ કહી વાત જેને સાંભળી ભ્રષ્ટાચારીઓને શરમ આવવી જોઈએ...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-17 15:15:13

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ભ્રષ્ટાચારને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ હવે તો ભ્રષ્ટાચારને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ વાત કહી હતી.   

ભ્રષ્ટાચાર કરતા નાના કર્મચારીઓ પકડાઈ જાય છે પરંતુ...!

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક કર્મચારીઓ, અધિકારીઓ એવા હોય છે જે લાંચ લે છે. જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે નાની માછલીઓ પકડાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. કરપ્શન એ હદે વધી ગયું છે કે આપણને એમ થાય કે આટલા પૈસાનું આ લોકો કરશે શું?  

ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ કહી આ વાત!

ગુજરાતના મુખ્યમંત્રીને આપણે મૃદ્દુ અને મક્કમ માનીએ છીએ. મક્કમતાથી તે અનેક નિર્ણયો લે છે ઉપરાંત સંવેદનશીલતા પણ દર્શાવે છે. ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ જે વાત કરી છે તેને સાંભળવા જેવી છે. ભ્રષ્ટચાર, ચારિત્ર્યને લઈ વાત કરી હતી. ભ્રષ્ટાચારની વાત સાંભળીને એમ થાય કે શું કરવું? સીએમએ કહ્યું કે ડાઈનિંગ ટેબલ પર તમે જમવા બેસો ત્યારે આપણને સંતોષ થવો તો જોઈએને.. શું ખાવ તમે? કેટલું ખાવ? શું દોડ દોડ.? કેટલા રૂપિયા કમાવા છે, કોના માટે કમાવા છે ? તેની ખબર નથી... 


કર્મનું પરિણામ તો ભોગવવું જ પડે છે...!

આપણે ત્યાં કહેવાય છે કે કર્મ કોઈને નથી છોડતું. વહેલા મોડા પણ કર્મનું પરિણામ આપણે ભોગવવું પડે છે. દિવસ દરમિયાન જો આપણે નીતિ મત્તાથી કામ કર્યું હશે તો જ રાત્રે આપણને સારી ઉંધ આવશે. અને જો દિવસ દરમિયાન નીતિમત્તાથી કામ નહીં કર્યું હોય, ખોટું કામ કર્યું હશે તો રાતોની ઉંધ હરામ થઈ જતી હોય છે.... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે