CM Bhupendra Patel Viral Speech : ભ્રષ્ટાચાર કરતા લોકો માટે CMએ કહી વાત જેને સાંભળી ભ્રષ્ટાચારીઓને શરમ આવવી જોઈએ...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-17 15:15:13

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ભ્રષ્ટાચારને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ હવે તો ભ્રષ્ટાચારને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ વાત કહી હતી.   

ભ્રષ્ટાચાર કરતા નાના કર્મચારીઓ પકડાઈ જાય છે પરંતુ...!

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક કર્મચારીઓ, અધિકારીઓ એવા હોય છે જે લાંચ લે છે. જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે નાની માછલીઓ પકડાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. કરપ્શન એ હદે વધી ગયું છે કે આપણને એમ થાય કે આટલા પૈસાનું આ લોકો કરશે શું?  

ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ કહી આ વાત!

ગુજરાતના મુખ્યમંત્રીને આપણે મૃદ્દુ અને મક્કમ માનીએ છીએ. મક્કમતાથી તે અનેક નિર્ણયો લે છે ઉપરાંત સંવેદનશીલતા પણ દર્શાવે છે. ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ જે વાત કરી છે તેને સાંભળવા જેવી છે. ભ્રષ્ટચાર, ચારિત્ર્યને લઈ વાત કરી હતી. ભ્રષ્ટાચારની વાત સાંભળીને એમ થાય કે શું કરવું? સીએમએ કહ્યું કે ડાઈનિંગ ટેબલ પર તમે જમવા બેસો ત્યારે આપણને સંતોષ થવો તો જોઈએને.. શું ખાવ તમે? કેટલું ખાવ? શું દોડ દોડ.? કેટલા રૂપિયા કમાવા છે, કોના માટે કમાવા છે ? તેની ખબર નથી... 


કર્મનું પરિણામ તો ભોગવવું જ પડે છે...!

આપણે ત્યાં કહેવાય છે કે કર્મ કોઈને નથી છોડતું. વહેલા મોડા પણ કર્મનું પરિણામ આપણે ભોગવવું પડે છે. દિવસ દરમિયાન જો આપણે નીતિ મત્તાથી કામ કર્યું હશે તો જ રાત્રે આપણને સારી ઉંધ આવશે. અને જો દિવસ દરમિયાન નીતિમત્તાથી કામ નહીં કર્યું હોય, ખોટું કામ કર્યું હશે તો રાતોની ઉંધ હરામ થઈ જતી હોય છે.... 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.