CM Bhupendra Patel Viral Speech : ભ્રષ્ટાચાર કરતા લોકો માટે CMએ કહી વાત જેને સાંભળી ભ્રષ્ટાચારીઓને શરમ આવવી જોઈએ...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-17 15:15:13

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ભ્રષ્ટાચારને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ હવે તો ભ્રષ્ટાચારને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ વાત કહી હતી.   

ભ્રષ્ટાચાર કરતા નાના કર્મચારીઓ પકડાઈ જાય છે પરંતુ...!

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક કર્મચારીઓ, અધિકારીઓ એવા હોય છે જે લાંચ લે છે. જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે નાની માછલીઓ પકડાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. કરપ્શન એ હદે વધી ગયું છે કે આપણને એમ થાય કે આટલા પૈસાનું આ લોકો કરશે શું?  

ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ કહી આ વાત!

ગુજરાતના મુખ્યમંત્રીને આપણે મૃદ્દુ અને મક્કમ માનીએ છીએ. મક્કમતાથી તે અનેક નિર્ણયો લે છે ઉપરાંત સંવેદનશીલતા પણ દર્શાવે છે. ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ જે વાત કરી છે તેને સાંભળવા જેવી છે. ભ્રષ્ટચાર, ચારિત્ર્યને લઈ વાત કરી હતી. ભ્રષ્ટાચારની વાત સાંભળીને એમ થાય કે શું કરવું? સીએમએ કહ્યું કે ડાઈનિંગ ટેબલ પર તમે જમવા બેસો ત્યારે આપણને સંતોષ થવો તો જોઈએને.. શું ખાવ તમે? કેટલું ખાવ? શું દોડ દોડ.? કેટલા રૂપિયા કમાવા છે, કોના માટે કમાવા છે ? તેની ખબર નથી... 


કર્મનું પરિણામ તો ભોગવવું જ પડે છે...!

આપણે ત્યાં કહેવાય છે કે કર્મ કોઈને નથી છોડતું. વહેલા મોડા પણ કર્મનું પરિણામ આપણે ભોગવવું પડે છે. દિવસ દરમિયાન જો આપણે નીતિ મત્તાથી કામ કર્યું હશે તો જ રાત્રે આપણને સારી ઉંધ આવશે. અને જો દિવસ દરમિયાન નીતિમત્તાથી કામ નહીં કર્યું હોય, ખોટું કામ કર્યું હશે તો રાતોની ઉંધ હરામ થઈ જતી હોય છે.... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.