CM કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે, ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે સભા ગજવશે


  • Published By :
  • Published Date : 2024-01-07 12:17:23

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ગોળીબાર કરવા બદલ હાલ રાજપીપળા જેલમાં બંધ છે, ત્યારે આપના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભા સંબોધશે. ઉલ્લેખનિય છે કે સીએમ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ શરૂઆતમાં ત્રણ દિવસનો હતો પરંતુ મુખ્યમંત્રીએ આગામી બજેટ સત્ર (6 જાન્યુઆરી) માટે નાણામંત્રી આતિષી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવાની હતી, તેથી તેમનો પ્રવાસ ટુંકાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે. 


નેત્રંગ ખાતે જનસભા સંબોધશે 


આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભા સંબોધશે. 7 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ તેઓ બપોરે 1:00 વાગે નેત્રંગ ખાતે સભા સ્થળ પર પહોંચશે અને સભા સંબોધશે. ત્યારબાદ સાંજે 7:00 વાગે પ્રદેશના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે.


રાજપીપળા જેલમાં વસાવા સાથે કરશે મુલાકાત


વડોદરામાં રાત્રી રોકાણ બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બીજા દિવસે તારીખ 8 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 11:00 વાગે રાજપીપળા જેલ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લેશે. આ મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા લોકપ્રિય આદિવાસી ચહેરો છે તેથી AAPએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે વસાવા લોકસભાના ઉમેદવાર હશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.