CM કેજરીવાલનો દ્રઢ નિર્ધાર 'જો તમે BJPમાં જોડાઓ તો તમારા તમામ ખૂન માફ... હું ઝૂંકવાનો નથી'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:07:08

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં દાવો કર્યો છે કે તેમના પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે પણ હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. દિલ્હીના સીએમએ કહ્યું કે જો તમે ભાજપમાં જોડાશો તો તમામ ખૂન માફ છે, પરંતુ અમે શું ખોટું કર્યું છે? કિરારી વિધાનસભા ક્ષેત્રમાં બે નવી સરકારી શાળાઓનો શિલાન્યાસ કરતી વખતે, સીએમ કેજરીવાલે કહ્યું કે કોઈ અમને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કરે, અમે દિલ્હીમાં જે શિક્ષણ ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે તેને અમે ક્યારેય ઓલવા દઈશું નહીં.


કેજરીવાલ પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ


કેજરીવાલે આરોપ લગાવ્યો કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે ફરી એકવાર મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર નકલી કેસમાં જેલમાં ધકેલવાનો આરોપ લગાવ્યો હતો. સીએમએ કહ્યું, "બધી એજન્સીઓ કેજરીવાલની પાછળ પડી ગઈ છે. મનીષ સિસોદિયાની ભૂલ છે કે તે સારી શાળાઓ બનાવી રહ્યા હતા. સત્યેન્દ્ર જૈનની ભૂલ છે કે તે સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બનાવી રહ્યા હતા. આજે જો મનીષ સિસોદિયાએ શાળાઓ પર કામ કર્યું ન હોત અને જો સત્યેન્દ્ર જૈન હૉસ્પિટલમાં કામ ન કરતો હોત તો તેની ધરપકડ ન થઈ હોત.


તમામ કાવતરાં કર્યા, પણ અમને ઝુકાવી શકશે નહીં


અરવિંદ કેજરીવાલે કહ્યું, "તેઓએ તમામ ષડયંત્ર રચ્યા, પરંતુ અમને ઝુકાવી શક્યા નહીં. જો તમે એમ વિચારતા હોવ કે અમે શાળાઓ અને હોસ્પિટલો બનાવવાનું બંધ કરી દઈશું, તો એવું નહીં થાય. શાળાઓ અને હોસ્પિટલો બનાવવામાં આવશે. ભલે તમે કેજરીવાલને જેલમાં નાખી દો. આજે તેઓ આપણું કોઈ નુકસાન કેમ કરી શકતા નથી? શાળામાં ભણેલા ગરીબ બાળકોના કરોડો માતા-પિતાના આશીર્વાદ અમારી પાસે છે અને જેને ગરીબોના આશીર્વાદ છે તેના પર ભગવાનના આશીર્વાદ હોય છે." તેમણે કહ્યું કે, "તેઓ અમારી વિરુદ્ધ ગમે તે ષડયંત્ર કરે, કંઈ થવાનું નથી અને હું પણ મક્કમ છું. હું તેમની સામે ઝૂકવાનો નથી. આ લોકો કહે છે કે તેઓ ભાજપમાં આવશે તો છોડી દેશે, મેં કહ્યું કે હું બીજેપીમાં બિલકુલ જોડાઈશ નહીં.", હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. જો તમે ભાજપમાં જોડાશો તો તમામ લોહી ખૂન માફ છે. અમે શું ખોટું કર્યું છે, અમે ફક્ત શાળાઓ, રસ્તાઓ અને હોસ્પિટલો બનાવી રહ્યા છીએ. મને તમારા લોકો તરફથી પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે.  મારી એક જ વિનંતી છે. તમારા આ આશીર્વાદ કાયમ અમારી પર રાખજો મારે બીજુ કંઈ જોઈતું નથી."



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.