CM કેજરીવાલનો દ્રઢ નિર્ધાર 'જો તમે BJPમાં જોડાઓ તો તમારા તમામ ખૂન માફ... હું ઝૂંકવાનો નથી'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:07:08

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં દાવો કર્યો છે કે તેમના પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે પણ હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. દિલ્હીના સીએમએ કહ્યું કે જો તમે ભાજપમાં જોડાશો તો તમામ ખૂન માફ છે, પરંતુ અમે શું ખોટું કર્યું છે? કિરારી વિધાનસભા ક્ષેત્રમાં બે નવી સરકારી શાળાઓનો શિલાન્યાસ કરતી વખતે, સીએમ કેજરીવાલે કહ્યું કે કોઈ અમને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કરે, અમે દિલ્હીમાં જે શિક્ષણ ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે તેને અમે ક્યારેય ઓલવા દઈશું નહીં.


કેજરીવાલ પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ


કેજરીવાલે આરોપ લગાવ્યો કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે ફરી એકવાર મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર નકલી કેસમાં જેલમાં ધકેલવાનો આરોપ લગાવ્યો હતો. સીએમએ કહ્યું, "બધી એજન્સીઓ કેજરીવાલની પાછળ પડી ગઈ છે. મનીષ સિસોદિયાની ભૂલ છે કે તે સારી શાળાઓ બનાવી રહ્યા હતા. સત્યેન્દ્ર જૈનની ભૂલ છે કે તે સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બનાવી રહ્યા હતા. આજે જો મનીષ સિસોદિયાએ શાળાઓ પર કામ કર્યું ન હોત અને જો સત્યેન્દ્ર જૈન હૉસ્પિટલમાં કામ ન કરતો હોત તો તેની ધરપકડ ન થઈ હોત.


તમામ કાવતરાં કર્યા, પણ અમને ઝુકાવી શકશે નહીં


અરવિંદ કેજરીવાલે કહ્યું, "તેઓએ તમામ ષડયંત્ર રચ્યા, પરંતુ અમને ઝુકાવી શક્યા નહીં. જો તમે એમ વિચારતા હોવ કે અમે શાળાઓ અને હોસ્પિટલો બનાવવાનું બંધ કરી દઈશું, તો એવું નહીં થાય. શાળાઓ અને હોસ્પિટલો બનાવવામાં આવશે. ભલે તમે કેજરીવાલને જેલમાં નાખી દો. આજે તેઓ આપણું કોઈ નુકસાન કેમ કરી શકતા નથી? શાળામાં ભણેલા ગરીબ બાળકોના કરોડો માતા-પિતાના આશીર્વાદ અમારી પાસે છે અને જેને ગરીબોના આશીર્વાદ છે તેના પર ભગવાનના આશીર્વાદ હોય છે." તેમણે કહ્યું કે, "તેઓ અમારી વિરુદ્ધ ગમે તે ષડયંત્ર કરે, કંઈ થવાનું નથી અને હું પણ મક્કમ છું. હું તેમની સામે ઝૂકવાનો નથી. આ લોકો કહે છે કે તેઓ ભાજપમાં આવશે તો છોડી દેશે, મેં કહ્યું કે હું બીજેપીમાં બિલકુલ જોડાઈશ નહીં.", હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. જો તમે ભાજપમાં જોડાશો તો તમામ લોહી ખૂન માફ છે. અમે શું ખોટું કર્યું છે, અમે ફક્ત શાળાઓ, રસ્તાઓ અને હોસ્પિટલો બનાવી રહ્યા છીએ. મને તમારા લોકો તરફથી પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે.  મારી એક જ વિનંતી છે. તમારા આ આશીર્વાદ કાયમ અમારી પર રાખજો મારે બીજુ કંઈ જોઈતું નથી."



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .