CMOના વોટ્સએપ નંબરને જબરદસ્ત જન પ્રતિસાદ, CMએ પ્રશ્નોના સત્વરે નિકાલનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:59:44

મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલા વોટ્સએપ નંબરને સારો લોક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોએ વિવિધ સરકારી વિભાગોને લગતી ફરિયાદો મુખ્યમંત્રી કાર્યલયના આ વોટ્સ એપ નંબર પર કરી હતી. લોકોની મૂળભુત સમસ્યાઓ જાણવા અને તેઓ સરકારી યોજનાઓના લાભ સારી રીતે મેળવી શકે તે માટે આ વોટ્સએપ નંબર જાહેર કરાવામાં આવ્યો હતો. 


CMOને મળી 500થી વધુ ફરિયાદો


CMOએ વોટ્સએપ નંબર +91 7030930344 જાહેર કર્યાના માત્ર 20 કલાકમાં જ 500થી વધુ ફરિયાદ મળી છે. લોકોએ જે ફરિયાદો કરી તે પૈકી મોટાભાગની ફરિયાદો શિક્ષણ, આરોગ્ય, પોલીસ, પંચાયત, કલેક્ટર કચેરીને લગતી હતી. આમાંથી જિલ્લા કક્ષાની ફરિયાદો કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં ફરિયાદની સામે લેવાયેલા પગલા અંગે સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા CM ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.