કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો આંચકો, આજથી CNG-PNGના ભાવ વધ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:15:37

કાળઝાળ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા દેશવાસીઓને દિવાળીના તહેવાર પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં વૃધ્ધી થઈ ગઈ છે.  કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી વચ્ચે હવે CNG-PNGના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન સહિત ઘર ખર્ચ ઉપર તેની સીધી કે આડકતરી રીતે અસર થશે. ટ્રાન્સપોર્ટિંગ ખર્ચમાં પણ વધારો થવાને પગલે ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે. એટલે કે ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત મળશે નહીં.


કયા શહેરોમાં કેટલો વધારો થયો


ઈન્દ્રપ્રસ્થ ગેસ સર્વિસએ દિલ્હી-NCR સહિત કેટલાક શહેરોમાં 8 ઓક્ટોબરથી CNG અને PNGમાં 3 રૂપિયાનો વધારો કરી દીધો અને તેનો અમલ આજથી એટલે કે શનિવારથી થઈ ગયો છે. જેને પગલે દેશના વિવિધ શહેરોમાં કિંમતોમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત 75.61 રૂપિયાથી વધીને 78.61 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા થઈ ગઈ છે. અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ગુરુગ્રામમાં સીએનજીની કિંમત 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. 



મોદી સરકારે ગેસના ભાવ 40 ટકા વધાર્યા હતા


થોડા દિવસો પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે નેચરલ ગેસના ભાવમાં 40 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દેશના અલગ-અલગ શહેરોમાં CNGના ભાવ પણ વધશે. જ્યારે નેચરલ ગેસ મોંઘો થાય છે ત્યારે CNG બનાવતી કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ હોય છે.



જાહેર પરિવહન માટે CNGનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાહનોમાં ઈંધણની કિંમત વધી જશે.  આ ભાવ વધારીન સીધી અસર ભાડામાં વધારારૂપે થશે જે મોંઘવારી વધુ વધારશે. CNGના ભાવ વધારાની સીધી અસર ચોક્કસપણે આવનારા સમયમાં જોવા મળશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે