કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો આંચકો, આજથી CNG-PNGના ભાવ વધ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:15:37

કાળઝાળ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા દેશવાસીઓને દિવાળીના તહેવાર પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં વૃધ્ધી થઈ ગઈ છે.  કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી વચ્ચે હવે CNG-PNGના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન સહિત ઘર ખર્ચ ઉપર તેની સીધી કે આડકતરી રીતે અસર થશે. ટ્રાન્સપોર્ટિંગ ખર્ચમાં પણ વધારો થવાને પગલે ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે. એટલે કે ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત મળશે નહીં.


કયા શહેરોમાં કેટલો વધારો થયો


ઈન્દ્રપ્રસ્થ ગેસ સર્વિસએ દિલ્હી-NCR સહિત કેટલાક શહેરોમાં 8 ઓક્ટોબરથી CNG અને PNGમાં 3 રૂપિયાનો વધારો કરી દીધો અને તેનો અમલ આજથી એટલે કે શનિવારથી થઈ ગયો છે. જેને પગલે દેશના વિવિધ શહેરોમાં કિંમતોમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત 75.61 રૂપિયાથી વધીને 78.61 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા થઈ ગઈ છે. અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ગુરુગ્રામમાં સીએનજીની કિંમત 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. 



મોદી સરકારે ગેસના ભાવ 40 ટકા વધાર્યા હતા


થોડા દિવસો પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે નેચરલ ગેસના ભાવમાં 40 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દેશના અલગ-અલગ શહેરોમાં CNGના ભાવ પણ વધશે. જ્યારે નેચરલ ગેસ મોંઘો થાય છે ત્યારે CNG બનાવતી કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ હોય છે.



જાહેર પરિવહન માટે CNGનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાહનોમાં ઈંધણની કિંમત વધી જશે.  આ ભાવ વધારીન સીધી અસર ભાડામાં વધારારૂપે થશે જે મોંઘવારી વધુ વધારશે. CNGના ભાવ વધારાની સીધી અસર ચોક્કસપણે આવનારા સમયમાં જોવા મળશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.