કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો આંચકો, આજથી CNG-PNGના ભાવ વધ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:15:37

કાળઝાળ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા દેશવાસીઓને દિવાળીના તહેવાર પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં વૃધ્ધી થઈ ગઈ છે.  કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી વચ્ચે હવે CNG-PNGના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન સહિત ઘર ખર્ચ ઉપર તેની સીધી કે આડકતરી રીતે અસર થશે. ટ્રાન્સપોર્ટિંગ ખર્ચમાં પણ વધારો થવાને પગલે ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે. એટલે કે ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત મળશે નહીં.


કયા શહેરોમાં કેટલો વધારો થયો


ઈન્દ્રપ્રસ્થ ગેસ સર્વિસએ દિલ્હી-NCR સહિત કેટલાક શહેરોમાં 8 ઓક્ટોબરથી CNG અને PNGમાં 3 રૂપિયાનો વધારો કરી દીધો અને તેનો અમલ આજથી એટલે કે શનિવારથી થઈ ગયો છે. જેને પગલે દેશના વિવિધ શહેરોમાં કિંમતોમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત 75.61 રૂપિયાથી વધીને 78.61 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા થઈ ગઈ છે. અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ગુરુગ્રામમાં સીએનજીની કિંમત 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. 



મોદી સરકારે ગેસના ભાવ 40 ટકા વધાર્યા હતા


થોડા દિવસો પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે નેચરલ ગેસના ભાવમાં 40 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દેશના અલગ-અલગ શહેરોમાં CNGના ભાવ પણ વધશે. જ્યારે નેચરલ ગેસ મોંઘો થાય છે ત્યારે CNG બનાવતી કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ હોય છે.



જાહેર પરિવહન માટે CNGનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાહનોમાં ઈંધણની કિંમત વધી જશે.  આ ભાવ વધારીન સીધી અસર ભાડામાં વધારારૂપે થશે જે મોંઘવારી વધુ વધારશે. CNGના ભાવ વધારાની સીધી અસર ચોક્કસપણે આવનારા સમયમાં જોવા મળશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .