આવતી કાલે સીએનજી પંપ સંચાલકો નહીં કરે અચોક્કસ મુદ્દતની હડતાળ, 3 માર્ચથી હડતાળ પર ઉતરવાના હતા સંચાલકો


  • Published By :
  • Published Date : 2023-03-02 18:58:55

આવતી કાલથી સીએનજી પંપ સંચાલકો હડતાળ પર ઉતારવાના હતા પરંતુ આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. લાંબા સમયથી ડીલર માર્જિનમાં વધારો ન થતા તેઓ વિરોધ કરવાના હતા. આવતી કાલથી સીએનજી પંપના સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના હતા. જેને કારણે સીએનજી પંપ આગળ ભારે ભીડ જોવા મળી હતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. 


હડતાળ પર ઉતરવાના હતા ડિલર 

ડીલર માર્જિનમાં વધારો થાય તે માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. પરંતુ તેમની માગનું નિરાકરણ ન આવતા આવતી કાલથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના હતા. હડતાળ થાય તે પહેલા પંપ બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. 


હડતાળ કરવાની રખાઈ મોકૂફ 

સીએનજી ડીલર્સ એસોસિએશનની બેઠકમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને બંધના એલાનમાં સમર્થન આપ્યું હતું. સરકારને રજૂઆત કરવા છતાંય ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થતાં આંદોલનનો માર્ગ પર ડિલરો ચાલવાના હતા. ત્યારે હવે આ મુદ્દતના નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. જો ડિલરો હડતાળ પર ઉતર્યા હોત તો રીક્ષા ચાલકોને તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોત.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.