આવતી કાલે સીએનજી પંપ સંચાલકો નહીં કરે અચોક્કસ મુદ્દતની હડતાળ, 3 માર્ચથી હડતાળ પર ઉતરવાના હતા સંચાલકો


  • Published By :
  • Published Date : 2023-03-02 18:58:55

આવતી કાલથી સીએનજી પંપ સંચાલકો હડતાળ પર ઉતારવાના હતા પરંતુ આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. લાંબા સમયથી ડીલર માર્જિનમાં વધારો ન થતા તેઓ વિરોધ કરવાના હતા. આવતી કાલથી સીએનજી પંપના સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના હતા. જેને કારણે સીએનજી પંપ આગળ ભારે ભીડ જોવા મળી હતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. 


હડતાળ પર ઉતરવાના હતા ડિલર 

ડીલર માર્જિનમાં વધારો થાય તે માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. પરંતુ તેમની માગનું નિરાકરણ ન આવતા આવતી કાલથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના હતા. હડતાળ થાય તે પહેલા પંપ બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. 


હડતાળ કરવાની રખાઈ મોકૂફ 

સીએનજી ડીલર્સ એસોસિએશનની બેઠકમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને બંધના એલાનમાં સમર્થન આપ્યું હતું. સરકારને રજૂઆત કરવા છતાંય ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થતાં આંદોલનનો માર્ગ પર ડિલરો ચાલવાના હતા. ત્યારે હવે આ મુદ્દતના નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. જો ડિલરો હડતાળ પર ઉતર્યા હોત તો રીક્ષા ચાલકોને તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોત.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.