આવતી કાલે સીએનજી પંપ સંચાલકો નહીં કરે અચોક્કસ મુદ્દતની હડતાળ, 3 માર્ચથી હડતાળ પર ઉતરવાના હતા સંચાલકો


  • Published By :
  • Published Date : 2023-03-02 18:58:55

આવતી કાલથી સીએનજી પંપ સંચાલકો હડતાળ પર ઉતારવાના હતા પરંતુ આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. લાંબા સમયથી ડીલર માર્જિનમાં વધારો ન થતા તેઓ વિરોધ કરવાના હતા. આવતી કાલથી સીએનજી પંપના સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના હતા. જેને કારણે સીએનજી પંપ આગળ ભારે ભીડ જોવા મળી હતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. 


હડતાળ પર ઉતરવાના હતા ડિલર 

ડીલર માર્જિનમાં વધારો થાય તે માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. પરંતુ તેમની માગનું નિરાકરણ ન આવતા આવતી કાલથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના હતા. હડતાળ થાય તે પહેલા પંપ બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. 


હડતાળ કરવાની રખાઈ મોકૂફ 

સીએનજી ડીલર્સ એસોસિએશનની બેઠકમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને બંધના એલાનમાં સમર્થન આપ્યું હતું. સરકારને રજૂઆત કરવા છતાંય ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થતાં આંદોલનનો માર્ગ પર ડિલરો ચાલવાના હતા. ત્યારે હવે આ મુદ્દતના નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. જો ડિલરો હડતાળ પર ઉતર્યા હોત તો રીક્ષા ચાલકોને તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોત.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે