દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા CNG પંપોના માલિકો કાલે હડતાળ પર ઉતરશે, હડતાળનું કારણ આ છે


  • Published By :
  • Published Date : 2023-02-05 21:01:22

CNG ગેસના વેચાણમાં કમિશનના વધારાની માગ સાથે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ હડતાળ કરશે. CNG પંપ માલિકોના એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ પર ગેસ વિતરણનું કામ બંધ રહેશે. CNG પંપ માલિકોના એસોસિએશન તેવી પણ જાહેરાત કરી છે કે જો  માંગણી નહીં સ્વીકારાય તો આગામી 16મી ફેબ્રુઆરીથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ પણ કમિશનમાં વધારો થયો નથી તેવો CNG ડીલર્સ એસોસિએશને ઓઇલ કંપનીઓ પર આરોપ લગાવ્યો છે.


CNG વાહન ચાલકોને હાલાકી


દક્ષિણ ગુજરાતમાં એક સાથે  400 જેટલા CNG પંપ માલિકોની હડતાળની જાહેરાતે ચિંતા વધારી છે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે તો CNG વાહન ચાલકો જેવા કે રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની પણ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. સુરત, નવસારી, ભરૂચ, અંકલેશ્વર સહિતના શહેરોમાં લોકોને હાલાકી ભોગવવી પડશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.