દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા CNG પંપોના માલિકો કાલે હડતાળ પર ઉતરશે, હડતાળનું કારણ આ છે


  • Published By :
  • Published Date : 2023-02-05 21:01:22

CNG ગેસના વેચાણમાં કમિશનના વધારાની માગ સાથે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ હડતાળ કરશે. CNG પંપ માલિકોના એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ પર ગેસ વિતરણનું કામ બંધ રહેશે. CNG પંપ માલિકોના એસોસિએશન તેવી પણ જાહેરાત કરી છે કે જો  માંગણી નહીં સ્વીકારાય તો આગામી 16મી ફેબ્રુઆરીથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ પણ કમિશનમાં વધારો થયો નથી તેવો CNG ડીલર્સ એસોસિએશને ઓઇલ કંપનીઓ પર આરોપ લગાવ્યો છે.


CNG વાહન ચાલકોને હાલાકી


દક્ષિણ ગુજરાતમાં એક સાથે  400 જેટલા CNG પંપ માલિકોની હડતાળની જાહેરાતે ચિંતા વધારી છે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે તો CNG વાહન ચાલકો જેવા કે રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની પણ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. સુરત, નવસારી, ભરૂચ, અંકલેશ્વર સહિતના શહેરોમાં લોકોને હાલાકી ભોગવવી પડશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.