Surat નજીક Double Decker Trainના ડબ્બાઓ અચાનક છૂટા પડી ગયા, મુસાફરો અધ વચ્ચે અટવાયા..!


  • Published By :
  • Published Date : 2024-08-15 13:05:36

ટ્રેનની મુસાફરીને એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. અકસ્માત થવાનો ખતરો ઓછો હોય છે તેવું સામાન્ય રીતે લોકો માને છે..પરંતુ આજકાલ અનેક ઘટનાઓ, અનેક ટ્રેન અકસ્માત સામે આવી રહ્યા છે જેને જોઈ એવું લાગે કે ટ્રેન પણ હવે સુરક્ષિત રહી નથી.. સુરત નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના થતા રહી છે.. અમદાવાદથી મુંબઈ જતી ડબર ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા.. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.. 


2 જેટલા ડબ્બા છૂટા પડ્યા હોવાની માહિતી!

આ ઘટના સુરતના ઓલપાડના ગોથાણ નજીક કપલિનમાં બની છે.. ટ્રેનના અનેક ડબ્બાઓ છૂટા પડી ગયા જેને કારણે મુસાફરો પરેશાન થઈ ગયા.. કદાચ તેમને સમજમાં પણ નહીં આવ્યું હોય કે આ થયું શું? ટ્રેનના ડબ્બા છૂટા પડી જતામુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા.. ઘટનાની જાણ થતા વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળ  પર પહોંચી છે અને આ ઘટના કેવી રીતે બની તે અંગેની તપાસ શરૂ કરી દીધી છે.. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા.


ટ્રેનમાં ટેક્નીકલ ખામીને કારણે આ ઘટના સર્જાઈ હોવાનું અનુમાન!

રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ માટે ઘટના સ્થળ પર પહોંચી છે અને જાણવાની કોશિશ કરી રહી છે કે કઇ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોઈ શકે છે..  માહિતી અનુસાર આ ઘટનાની અસર બીજી બધી ટ્રેનો પર પણ પડી છે. છૂટા પડેલા ડબ્બાઓને જોડવાની કામગીરી ચાલી રહી છે.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સામાન્ય માણસને અનેક અગવડનો સામનો કરવો પડે છે.. ત્યારે આ ઘટના અંગે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .