Surat નજીક Double Decker Trainના ડબ્બાઓ અચાનક છૂટા પડી ગયા, મુસાફરો અધ વચ્ચે અટવાયા..!


  • Published By :
  • Published Date : 2024-08-15 13:05:36

ટ્રેનની મુસાફરીને એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. અકસ્માત થવાનો ખતરો ઓછો હોય છે તેવું સામાન્ય રીતે લોકો માને છે..પરંતુ આજકાલ અનેક ઘટનાઓ, અનેક ટ્રેન અકસ્માત સામે આવી રહ્યા છે જેને જોઈ એવું લાગે કે ટ્રેન પણ હવે સુરક્ષિત રહી નથી.. સુરત નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના થતા રહી છે.. અમદાવાદથી મુંબઈ જતી ડબર ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા.. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.. 


2 જેટલા ડબ્બા છૂટા પડ્યા હોવાની માહિતી!

આ ઘટના સુરતના ઓલપાડના ગોથાણ નજીક કપલિનમાં બની છે.. ટ્રેનના અનેક ડબ્બાઓ છૂટા પડી ગયા જેને કારણે મુસાફરો પરેશાન થઈ ગયા.. કદાચ તેમને સમજમાં પણ નહીં આવ્યું હોય કે આ થયું શું? ટ્રેનના ડબ્બા છૂટા પડી જતામુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા.. ઘટનાની જાણ થતા વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળ  પર પહોંચી છે અને આ ઘટના કેવી રીતે બની તે અંગેની તપાસ શરૂ કરી દીધી છે.. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા.


ટ્રેનમાં ટેક્નીકલ ખામીને કારણે આ ઘટના સર્જાઈ હોવાનું અનુમાન!

રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ માટે ઘટના સ્થળ પર પહોંચી છે અને જાણવાની કોશિશ કરી રહી છે કે કઇ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોઈ શકે છે..  માહિતી અનુસાર આ ઘટનાની અસર બીજી બધી ટ્રેનો પર પણ પડી છે. છૂટા પડેલા ડબ્બાઓને જોડવાની કામગીરી ચાલી રહી છે.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સામાન્ય માણસને અનેક અગવડનો સામનો કરવો પડે છે.. ત્યારે આ ઘટના અંગે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.