મુંબઈમાં 502 કરોડ રૂપિયાની કિંમતનું 50.23 કિલો કોકેઈન ઝડપાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:11

મુંબઈમાં DRIએ ફરી એક વખત ડ્રગ્સની મોટી ખેપ પકડી છે. આ 50.23 કિલો કોકેઈન સફરજનના કન્ટેઈનરમાં દક્ષિણ આફ્રિકાથી છુપાવીને લાવવામાં આવ્યું હતું. DRI મુંબઈ ઝોનલ યુનિટને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. DRIએ ગુપ્ત માહિતીના આધારે આફ્રિકાથી આયાત કરવામાં આવેલા નાશપતિ અને સફરજન ભરેલા એક કન્ટેઈનરને ન્હાવા શેવા બંદર પર રોક્યું હતું. બાદમાં તેની તપાસ કરતા ડ્ર્ગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ 50.23 કિલો કોકેઈનના જથ્થાની કિંમત આતરરાષ્ટ્રિય માર્કેટમાં  502 કરોડ રૂપિયા જેટલી થાય છે.


સફરજનના બોક્સમાં કોકેઈનથી બનેલી ઈંટો છુપાવી 


DRIની ટીમે જ્યારે કન્ટેઈનરની  તપાસ કરી તો તેમાંથી સફરજનના બોક્સની અંદર કોકેઈનથી બનેલી ઈંટો હતી. આ દરેક ઈંટનું વજન લગભગ એક કિલો હતું. આ કોકેઈન તે આયાતકારના નામ પર આયાત કરવામાં આવ્યું હતું જેને આ પહેલા પણ DRIએ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સંતરાની ખેપથી 198 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 9 કિલોગ્રામ કોકેઈન સાથે મુંબઈના વાશીમાં ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈનના સ્મગલરની NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે