મુંબઈમાં 502 કરોડ રૂપિયાની કિંમતનું 50.23 કિલો કોકેઈન ઝડપાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:11

મુંબઈમાં DRIએ ફરી એક વખત ડ્રગ્સની મોટી ખેપ પકડી છે. આ 50.23 કિલો કોકેઈન સફરજનના કન્ટેઈનરમાં દક્ષિણ આફ્રિકાથી છુપાવીને લાવવામાં આવ્યું હતું. DRI મુંબઈ ઝોનલ યુનિટને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. DRIએ ગુપ્ત માહિતીના આધારે આફ્રિકાથી આયાત કરવામાં આવેલા નાશપતિ અને સફરજન ભરેલા એક કન્ટેઈનરને ન્હાવા શેવા બંદર પર રોક્યું હતું. બાદમાં તેની તપાસ કરતા ડ્ર્ગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ 50.23 કિલો કોકેઈનના જથ્થાની કિંમત આતરરાષ્ટ્રિય માર્કેટમાં  502 કરોડ રૂપિયા જેટલી થાય છે.


સફરજનના બોક્સમાં કોકેઈનથી બનેલી ઈંટો છુપાવી 


DRIની ટીમે જ્યારે કન્ટેઈનરની  તપાસ કરી તો તેમાંથી સફરજનના બોક્સની અંદર કોકેઈનથી બનેલી ઈંટો હતી. આ દરેક ઈંટનું વજન લગભગ એક કિલો હતું. આ કોકેઈન તે આયાતકારના નામ પર આયાત કરવામાં આવ્યું હતું જેને આ પહેલા પણ DRIએ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સંતરાની ખેપથી 198 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 9 કિલોગ્રામ કોકેઈન સાથે મુંબઈના વાશીમાં ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈનના સ્મગલરની NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.