મુંબઈમાં 502 કરોડ રૂપિયાની કિંમતનું 50.23 કિલો કોકેઈન ઝડપાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:11

મુંબઈમાં DRIએ ફરી એક વખત ડ્રગ્સની મોટી ખેપ પકડી છે. આ 50.23 કિલો કોકેઈન સફરજનના કન્ટેઈનરમાં દક્ષિણ આફ્રિકાથી છુપાવીને લાવવામાં આવ્યું હતું. DRI મુંબઈ ઝોનલ યુનિટને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. DRIએ ગુપ્ત માહિતીના આધારે આફ્રિકાથી આયાત કરવામાં આવેલા નાશપતિ અને સફરજન ભરેલા એક કન્ટેઈનરને ન્હાવા શેવા બંદર પર રોક્યું હતું. બાદમાં તેની તપાસ કરતા ડ્ર્ગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ 50.23 કિલો કોકેઈનના જથ્થાની કિંમત આતરરાષ્ટ્રિય માર્કેટમાં  502 કરોડ રૂપિયા જેટલી થાય છે.


સફરજનના બોક્સમાં કોકેઈનથી બનેલી ઈંટો છુપાવી 


DRIની ટીમે જ્યારે કન્ટેઈનરની  તપાસ કરી તો તેમાંથી સફરજનના બોક્સની અંદર કોકેઈનથી બનેલી ઈંટો હતી. આ દરેક ઈંટનું વજન લગભગ એક કિલો હતું. આ કોકેઈન તે આયાતકારના નામ પર આયાત કરવામાં આવ્યું હતું જેને આ પહેલા પણ DRIએ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સંતરાની ખેપથી 198 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 9 કિલોગ્રામ કોકેઈન સાથે મુંબઈના વાશીમાં ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈનના સ્મગલરની NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.