Mahisagarમાં ફરી એક વખત થયો આચારસંહિતાનો ભંગ, ભાજપની ચૂંટણી સભામાં દેખાયા હોમગાર્ડઝ કમાન્ડર... શિક્ષણ મંત્રી પણ હતા હાજર


  • Published By :
  • Published Date : 2024-05-03 15:32:36

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે.. થોડા દિવસ બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે.. ચૂંટણી જ્યારથી જાહેર થાય છે ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે... પરંતુ અનેક વખત આચાર સંહિતા ભંગ કરતા સરકારી કર્મચારીઓ દેખાતા હોય છે.. થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા.. 

હોમગાર્ડ કમાન્ડરે કર્યો આચારસંહિતાનો ભંગ! 

લોકસભા ચૂંટણી નજીક છે... રાજકીય પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા દેખાય છે... કોઈ વખત જાહેર સભા યોજાય છે તો કોઈ વખત શેરી સભા યોજાય છે...આ સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હોય છે.. પરંતુ અનેક વખત કર્મચારીઓ પણ આવી સભાઓમાં દેખાય છે.. જો આચારસંહિતાનો ભંગ થાય છે તો કર્મચારીઓ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થાય છે. થોડા સમય પહેલા શિક્ષક દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવી હતી ત્યારે આ વખતે હોમગાર્ડ કમાન્ડર શેરી સભામાં દેખાયા હતા...


આચારસંહિતાનો કરાયો ભંગ!

મહીસાગરના કડાણા તાલુકાના મુનખૂટના મુવાડા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શેરી સભાનું આયોજન કરાયું હતું.. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત હતા.. ભાજપની સભામાં હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા જતીન જોશી જોવા મળ્યા હતા.. તે યુનિફોર્મ ડ્રેસ પહેરીને ત્યાં હાજર હતા.  ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી પંચ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે...   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે