Mahisagarમાં ફરી એક વખત થયો આચારસંહિતાનો ભંગ, ભાજપની ચૂંટણી સભામાં દેખાયા હોમગાર્ડઝ કમાન્ડર... શિક્ષણ મંત્રી પણ હતા હાજર


  • Published By :
  • Published Date : 2024-05-03 15:32:36

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે.. થોડા દિવસ બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે.. ચૂંટણી જ્યારથી જાહેર થાય છે ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે... પરંતુ અનેક વખત આચાર સંહિતા ભંગ કરતા સરકારી કર્મચારીઓ દેખાતા હોય છે.. થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા.. 

હોમગાર્ડ કમાન્ડરે કર્યો આચારસંહિતાનો ભંગ! 

લોકસભા ચૂંટણી નજીક છે... રાજકીય પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા દેખાય છે... કોઈ વખત જાહેર સભા યોજાય છે તો કોઈ વખત શેરી સભા યોજાય છે...આ સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હોય છે.. પરંતુ અનેક વખત કર્મચારીઓ પણ આવી સભાઓમાં દેખાય છે.. જો આચારસંહિતાનો ભંગ થાય છે તો કર્મચારીઓ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થાય છે. થોડા સમય પહેલા શિક્ષક દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવી હતી ત્યારે આ વખતે હોમગાર્ડ કમાન્ડર શેરી સભામાં દેખાયા હતા...


આચારસંહિતાનો કરાયો ભંગ!

મહીસાગરના કડાણા તાલુકાના મુનખૂટના મુવાડા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શેરી સભાનું આયોજન કરાયું હતું.. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત હતા.. ભાજપની સભામાં હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા જતીન જોશી જોવા મળ્યા હતા.. તે યુનિફોર્મ ડ્રેસ પહેરીને ત્યાં હાજર હતા.  ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી પંચ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે...   




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.