Mahisagarમાં ફરી એક વખત થયો આચારસંહિતાનો ભંગ, ભાજપની ચૂંટણી સભામાં દેખાયા હોમગાર્ડઝ કમાન્ડર... શિક્ષણ મંત્રી પણ હતા હાજર


  • Published By :
  • Published Date : 2024-05-03 15:32:36

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે.. થોડા દિવસ બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે.. ચૂંટણી જ્યારથી જાહેર થાય છે ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે... પરંતુ અનેક વખત આચાર સંહિતા ભંગ કરતા સરકારી કર્મચારીઓ દેખાતા હોય છે.. થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા.. 

હોમગાર્ડ કમાન્ડરે કર્યો આચારસંહિતાનો ભંગ! 

લોકસભા ચૂંટણી નજીક છે... રાજકીય પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા દેખાય છે... કોઈ વખત જાહેર સભા યોજાય છે તો કોઈ વખત શેરી સભા યોજાય છે...આ સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર હોય છે.. પરંતુ અનેક વખત કર્મચારીઓ પણ આવી સભાઓમાં દેખાય છે.. જો આચારસંહિતાનો ભંગ થાય છે તો કર્મચારીઓ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થાય છે. થોડા સમય પહેલા શિક્ષક દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવી હતી ત્યારે આ વખતે હોમગાર્ડ કમાન્ડર શેરી સભામાં દેખાયા હતા...


આચારસંહિતાનો કરાયો ભંગ!

મહીસાગરના કડાણા તાલુકાના મુનખૂટના મુવાડા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શેરી સભાનું આયોજન કરાયું હતું.. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત હતા.. ભાજપની સભામાં હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા જતીન જોશી જોવા મળ્યા હતા.. તે યુનિફોર્મ ડ્રેસ પહેરીને ત્યાં હાજર હતા.  ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી પંચ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે...   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે