કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર, આજથી ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2023-02-12 12:29:00

ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે, લોકો પણ આ ડબલ સીઝનથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીથી ત્રસ્ત લોકોએ ફરી એક વખત કાતિલ ઠંડી માટે તૈયાર થવું પડશે. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી ઠંડી વધશે, રાજ્યમાં આજથી ફરી ઠંડીનો ચમકારો વધશે અને તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે, તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.


40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યમાં ઠંડી વધવાનું કારણ હિમાલયના પહાડીમાં થઈ રહેલી સતત બરફવર્ષા છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તે ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે ભારે પવન ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 


19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ


રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે 12, 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.