કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર, આજથી ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2023-02-12 12:29:00

ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે, લોકો પણ આ ડબલ સીઝનથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીથી ત્રસ્ત લોકોએ ફરી એક વખત કાતિલ ઠંડી માટે તૈયાર થવું પડશે. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી ઠંડી વધશે, રાજ્યમાં આજથી ફરી ઠંડીનો ચમકારો વધશે અને તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે, તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.


40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યમાં ઠંડી વધવાનું કારણ હિમાલયના પહાડીમાં થઈ રહેલી સતત બરફવર્ષા છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તે ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે ભારે પવન ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 


19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ


રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે 12, 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.