કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર, આજથી ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2023-02-12 12:29:00

ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે, લોકો પણ આ ડબલ સીઝનથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીથી ત્રસ્ત લોકોએ ફરી એક વખત કાતિલ ઠંડી માટે તૈયાર થવું પડશે. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી ઠંડી વધશે, રાજ્યમાં આજથી ફરી ઠંડીનો ચમકારો વધશે અને તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે, તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.


40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યમાં ઠંડી વધવાનું કારણ હિમાલયના પહાડીમાં થઈ રહેલી સતત બરફવર્ષા છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તે ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે ભારે પવન ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 


19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ


રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે 12, 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.