કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર, આજથી ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2023-02-12 12:29:00

ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે, લોકો પણ આ ડબલ સીઝનથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીથી ત્રસ્ત લોકોએ ફરી એક વખત કાતિલ ઠંડી માટે તૈયાર થવું પડશે. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી ઠંડી વધશે, રાજ્યમાં આજથી ફરી ઠંડીનો ચમકારો વધશે અને તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે, તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.


40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યમાં ઠંડી વધવાનું કારણ હિમાલયના પહાડીમાં થઈ રહેલી સતત બરફવર્ષા છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તે ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે ભારે પવન ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 


19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ


રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે 12, 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.