Gujaratમાં ગુલાબી ઠંડીનો અહેસાસ, અનેક શહેરોમાં તાપમાન ઘટ્યું, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-10-31 10:56:23

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમી ગતિએ શિયાળો ગુજરાતમાં દસ્તક આપી રહ્યો હોય તેવું લાગે છે. પહેલા વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થતો હતો. બપોરના સમયે તાપમાન પણ વધારે નોંધાતું હતું. ત્યારે હવે બપોરના સમયે પણ ઓછી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 18 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. આ સાથે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે તેવું કહીએ તો અતિશયોક્તિ ના લાગે. 

Navratri 2022: Home Department Issues Circular Regarding Loud Speaker  Timings During Navratri And Dussehra | Navratri 2022: નવરાત્રી અને દશેરામાં  લાઉડ સ્પીકર વગાડવાનો સમય નક્કી થયો, ગૃહ વિભાગે ...

નવરાત્રીમાં વરસાદની આગાહી કરાઈ હતી પરંતુ તે ખોટી સાબિત થઈ! 

ચોમાસાએ સત્તાવાર રીતે તો ગુજરાતમાંથી ઘણા સમય પહેલા વિદાય લઈ લીધી હતી. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાતો, તેવી આગાહી અનેક વખત સાંભળી હશે. તે બાદ ચક્રવાતની આગાહી કરવામાં આવી. અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ચક્રવાત આવવાની ભીંતિ સેવાતી હોય છે. થોડા સમય પહેલા એવું મનાતું હતું કે ચક્રવાત 'તેજ' ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે. જો ચક્રવાત તેજ ગુજરાતમાં ટકરાશે તો બિપોરજોય જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરંતુ ચક્રવાત તેજ ગુજરાતમાં ન આવ્યું. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી પરંતુ તેમની આગાહી ખોટી પડી. માત્ર કોઈ કોઈ જગ્યાએ વરસાદ પડ્યો હોય તેવી માહિતી સામે આવી હતી. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન "૯"  ડીગ્રીએ પહોંચી ગયું...!!

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતના અનેક ભાગોમાં પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ડીસામાં 20.8, નલિયામાં 20.2, ગાંધીનગરમાં 18.4, સુરતમાં 21.7, વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલસાડમાં 18 ડિગ્રી, રાજકોટમાં 21.6 ડિગ્રી, કેશોદમાં 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય પણ ગુજરાતના અનેક ભાગોમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.  

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઈ આગાહી કરી છે. કડકડતી ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના પ્રમાણે નવેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહી શકે છે.પરંતુ ધીરે ધીરે શિયાળો કાતિલ બની જશે. તેમના પ્રમાણે આગામી દિવસોમાં ચક્રવાત આવવાની સંભાવના પણ છે. ભારતના અનેક રાજ્યો પર આ ચક્રવાતની અસર જોવા મળી શકે છે. 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? 

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે.  05 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું તેમજ આશિક ભેજવાળું રહે તેવી શક્યતા છે, તા. 07 થી 09 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભેજનું અને વાદળામાં વધારો થાય તેવી શક્યતા છે, એકલ દોકલ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.