ગુજરાતી પત્રકારત્વમાં અમૂલ્ય પ્રદાન કરનારા જાણીતા કટાર લેખન સલીલ દલાલની ચિરવિદાય, કેનેડામાં લીધો અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-09-27 21:45:23

ગુજરાતી પત્રકારત્વ અને સાહિત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા વજેસિંહ પારઘીની ચિરવિદાયનો શોક હજુ તાજો જ હતો ત્યા જાણીતા ફિલ્મી અને ટેલીવિઝન કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે અંતિમ શ્વાસ લેતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જાણીતા કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે આખરી શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. હસમુખભાઈ ઠક્કર એટલે કે સલિલ દલાલે ચિરવિદાય લેતા અનેક લોકોએ તેમના યોગદાનને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ફિલ્મો અંગેનું તેમનું લેખન માત્ર રંજનલક્ષી નહોતું તે તેમની વિશેષતા હતી. ફિલ્મનું લેખન એટલે નર્યું મનોરંજન, ગોસિપ, ઉપરછલ્લું અને સપાટી પરનું આલેખન  તેવી માન્યતાને દુર કરીને તેમણે તેને ગરિમા આપી હતી. આ બધાથી તેઓ ઉપર ઉઠ્યા હતા. બહોળો વાચક વર્ગ ધરાવતા સલીલ દલાલ મધ્ય ગુજરાતના વતની હતા. તેમણે ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઇને 2008માં કેનેડા જઇને વસવાટ કર્યો હતો. તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી અખબારોમાં હિન્દી ફિલ્મી જગતને લગતી કોલમ ‘ફિલમની ચિલમ’ લખતા હતા. ત્યારબાદ પણ તેઓ આ કૉલમ છેલ્લા શ્વાસ સુધી લખતા રહ્યા. હજી તો હમણાં તેમણે પોતાની સંદેશમાં દર રવિવારે પ્રકાશિત થતી ફિલમ ફિલમ કૉલમમાં લખ્યું હતું કે  કેન્સરનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને લાંબુ ખેંચાય તેમ લાગતું નથી તેથી આ કોલમ બંધ કરું છું. તેવી તેમણે જાહેરાત કરી હતી.




સારા વાચક એવા સલીલ દલાલે લખ્યા હતા આ પુસ્તકો 


સલિલ દલાલ ખુબ જ સારા વાચક અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા તેમણે કેટલા અદભુત પુસ્તકો પણ લખ્યા છે. સરસ વિષયો સાથે લખાયેલા આ રસપ્રદ પુસ્તકોમાં ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’, ‘અધુરી કથાઓ… ઇન્ટરનેટની અટારીએ!’, ‘ગાતા રહે મેરા દિલ’ જેવી જાણીતી નવલકથાઓ લખી હતી. ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’નું પુસ્તકમાં અશોકકુમાર, રાજેન્દ્રકુમાર, રાજકુમાર, કિશોરકુમાર, સંજીવકુમાર એમ પાંચ ફિલ્મના કલાકારોના જીવન, ફિલ્મી કારકિર્દી, સફળતાઓનું રહસ્યનું અનોખી શૈલીમાં આલેખન કર્યું છે. હિન્દી ફિલ્મોના અમર ગીતકારો, શાયરો વિશે ‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક તૈયાર કર્યું હતું, જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સલીલ દલાલની રસપ્રદ શૈલીમાં લખાયેલી કોલમનો એક વિશાળ વાચક વર્ગ હતો.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?