ગુજરાતી પત્રકારત્વમાં અમૂલ્ય પ્રદાન કરનારા જાણીતા કટાર લેખન સલીલ દલાલની ચિરવિદાય, કેનેડામાં લીધો અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-09-27 21:45:23

ગુજરાતી પત્રકારત્વ અને સાહિત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા વજેસિંહ પારઘીની ચિરવિદાયનો શોક હજુ તાજો જ હતો ત્યા જાણીતા ફિલ્મી અને ટેલીવિઝન કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે અંતિમ શ્વાસ લેતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જાણીતા કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે આખરી શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. હસમુખભાઈ ઠક્કર એટલે કે સલિલ દલાલે ચિરવિદાય લેતા અનેક લોકોએ તેમના યોગદાનને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ફિલ્મો અંગેનું તેમનું લેખન માત્ર રંજનલક્ષી નહોતું તે તેમની વિશેષતા હતી. ફિલ્મનું લેખન એટલે નર્યું મનોરંજન, ગોસિપ, ઉપરછલ્લું અને સપાટી પરનું આલેખન  તેવી માન્યતાને દુર કરીને તેમણે તેને ગરિમા આપી હતી. આ બધાથી તેઓ ઉપર ઉઠ્યા હતા. બહોળો વાચક વર્ગ ધરાવતા સલીલ દલાલ મધ્ય ગુજરાતના વતની હતા. તેમણે ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઇને 2008માં કેનેડા જઇને વસવાટ કર્યો હતો. તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી અખબારોમાં હિન્દી ફિલ્મી જગતને લગતી કોલમ ‘ફિલમની ચિલમ’ લખતા હતા. ત્યારબાદ પણ તેઓ આ કૉલમ છેલ્લા શ્વાસ સુધી લખતા રહ્યા. હજી તો હમણાં તેમણે પોતાની સંદેશમાં દર રવિવારે પ્રકાશિત થતી ફિલમ ફિલમ કૉલમમાં લખ્યું હતું કે  કેન્સરનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને લાંબુ ખેંચાય તેમ લાગતું નથી તેથી આ કોલમ બંધ કરું છું. તેવી તેમણે જાહેરાત કરી હતી.




સારા વાચક એવા સલીલ દલાલે લખ્યા હતા આ પુસ્તકો 


સલિલ દલાલ ખુબ જ સારા વાચક અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા તેમણે કેટલા અદભુત પુસ્તકો પણ લખ્યા છે. સરસ વિષયો સાથે લખાયેલા આ રસપ્રદ પુસ્તકોમાં ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’, ‘અધુરી કથાઓ… ઇન્ટરનેટની અટારીએ!’, ‘ગાતા રહે મેરા દિલ’ જેવી જાણીતી નવલકથાઓ લખી હતી. ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’નું પુસ્તકમાં અશોકકુમાર, રાજેન્દ્રકુમાર, રાજકુમાર, કિશોરકુમાર, સંજીવકુમાર એમ પાંચ ફિલ્મના કલાકારોના જીવન, ફિલ્મી કારકિર્દી, સફળતાઓનું રહસ્યનું અનોખી શૈલીમાં આલેખન કર્યું છે. હિન્દી ફિલ્મોના અમર ગીતકારો, શાયરો વિશે ‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક તૈયાર કર્યું હતું, જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સલીલ દલાલની રસપ્રદ શૈલીમાં લખાયેલી કોલમનો એક વિશાળ વાચક વર્ગ હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી