ભરૂચના જંબુસરમાં નરાધમોએ બે બહેનોને નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ આચર્યું, કોંગ્રેસના આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-12-07 21:48:33

રાજ્યમાં સબસલામતા દાવાને પડકાર આપતો કિસ્સો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બન્યો છે. જંબુસર તાલુકાની બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. 


વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ 


રાજ્યના જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોનું 26 દિવસ પૂર્વે અપહરણ કરવામાં આવ્યું હતું,  રાત્રીના સમયે ભડકોદ્રા ગામનો  યાસીન ખાલીદ ચોક અને નઈમ તેઓની  કારમાં ઉઠાવી ગયા હતા, બંને બહેનોનું અપહરણ કરી તેઓને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ ગયા હતા. ફાર્મ હાઉસમાં લઈ ગયા પછી યાસીને બંને બહેનોને નશાકારક ઇન્જેક્શન આપ્યા હતા. જંબુસરના કાવીમાં બે મહિલાએ તેમના પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. બે મહિલા પર દુષ્કર્મ થયાનો ગુનો નોંધાયાની પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ આવી છે. મહિલાને નશાકારક પદાર્થનું ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ નશાકારક ઇન્જેક્શન સાથે મહિલાનો વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ થયો હતો. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં સરકારને સવાલોમાં ઘેરી હતી 


બે આરોપીની ધરપકડ


નરાધમોએ નશાકારક ઈન્જેક્શન આપ્યા પછી બાદ મોટી બહેન સાથે યાસીને અને નાની બહેન સાથે નઈમે દુષ્કર્મ ગુજાર્યું હતું. બે બહેનોનું અપહરણ અને  દુષ્કર્મ ની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઇન્જેક્શન આપતો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જ્યારે ચોથા આરોપી અનસે આ ત્રણેયની મદદ કરી હતી. આ મામલે  જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.


દીકરીઓની સલામતી મોટો પડકાર


ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું છેકે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક પગલાં ભરે. 'સરકારે સુરક્ષાની મોટી વાતો કરી અને ખોટા દાવા કર્યા' છે. વધુમાં મનીષ દોષીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારનું એપી સેન્ટર બની ગયો છે. રાજ્યમાં બેફામ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. 'ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી મોટો પડકાર' બની ગઈ છે. બહેન દીકરીઓ પર થતા અત્યાચાર સામે પોલીસ પગલા ભરે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.