જાહેર યુનિવર્સિટીઓ પર પકડ મજબૂત કરવા સરકારનો કારસો, વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ રજુ કરાશે


  • Published By :
  • Published Date : 2023-07-13 19:20:43

ગુજરાત સરકાર જાહેર યુનિવર્સિટીઓ પર તેના નિયંત્રણને વધુ મજબુત બનાવવા માટે કોમન યુનિવર્સિટી એક્ટ લાવવા માટે તૈયારી કરી રહી છે. કોમન યુનિવર્સિટી બિલના ડ્રાફ્ટ પર રાજ્ય સરકાર દ્વારા પહેલેથી જ ચર્ચા કરવામાં આવી છે અને શિક્ષણ મંત્રાલય દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે. તે વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોમન યુનિવર્સિટી એક્ટની પુષ્ટિ કરતા, શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમારે  જણાવ્યું હતું કે, "જો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ કોમન યુનિવર્સિટી એક્ટ પ્રેરણા આપી છે. કોમન યુનિવર્સિટી એક્ટ આવી જવાથી દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ સરખો હોવાથી વિદ્યાર્થીઓને પણ અલગ અલગ યુનિ.માં અભ્યાસ કરવો હોય તો થઇ શકશે.


નવા કાયદામાં શું જોગવાઈ છે?


કોમન યુનિવર્સિટી એક્ટ તમામ રાજકીય ચૂંટાયેલી સંસ્થાઓ જેમ કે સેનેટ અને સિન્ડિકેટને ખતમ કરી દેશે, તેનું સ્થાન બોર્ડ ઓફ ગવર્નર્સ લેશે. રાજ્ય સરકારે ડ્રાફ્ટમાં એક જોગવાઈ તે પણ રાખવામાં આવી છે કે જો યુનિવર્સિટીના અધિકારીઓ તેમની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેમના અધિકારીઓને રજિસ્ટ્રાર, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ઓફિસર અથવા પ્રતિનિયુક્તિ પર પરીક્ષા નિયંત્રક તરીકે નિમણૂંક કરવાનો અધિકાર આપે છે". વાઈસ-ચાન્સેલરને બે ટર્મ માટે ત્રણ-ત્રણ વર્ષ મુદત બાદ બદલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોના સમાન બિલ અથવા કાયદાઓનો અભ્યાસ કરી રહી છે.


આ યુનિવર્સિટીઓ પર લાગુ પડશે કાયદો


આ કાયદો રાજ્યની છ સૌથી જૂની અને મોટી જાહેર યુનિવર્સિટીઓ – ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતને નવો કાયદો લાગુ પડશે. જાહેર યુનિવર્સિટીઓમાં પહેલેથી જ બોર્ડ ઓફ ગવર્નર્સ છે.


અગાઉ પણ કાયદો લાવવાનો કર્યો હતો પ્રયાસ


રાજ્ય સરકારે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના નિયમન માટે વર્ષ 2006 અને 2009માં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની કવાયત હાથ ધર્યા પછી વિરોધ થતાં છેવટે પડતો મૂકવો પડયો હતો. તે સમયે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો વિરોધ થતા મોકૂફ રખાયો હતો. આ પછી સરકારે અધ્યાપકો, આચાર્યો સહિતના શિક્ષણ નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો મગાવ્યા હતા. આ પછી ફરી વર્ષ 2009માં લવાયો હતો. આ પછી પણ છેવટે સરકારને એક્ટ પડતો મૂકવો પડ્યો હતો. આ પછી સરકાર કોમન યુનિવર્સિટી એક્ટને ભૂલી ગઈ હતી. જો કે સરકારી યુનિવર્સિટીઓ આજકાલ રાજકીય અખાડો બની ગઈ હોવાથી ફરી એકવખત સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવવા આગળ વધી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.