વડોદરાના સાવલીમાં કોમી અથડામણ: 40 લોકોની ધરપકડ, પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 11:53:22

મા આદ્યશક્તિના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કોમી રમખાણો ચિંતા વધી રહ્યા છે. રાજ્યમાં હાલ કેટલા લોકો કોમી શાંતિ ડહોળવાનું ષડયંત્ર રચતા હોય તેવું જણાય છે. આમ પણ વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતી હોય તેવો ભૂતકાળનો અનુભવ રહ્યો છે. જેમ કે વડોદરાના સાવલી માં બે જૂથ આમને સામને આવી ગયા હતા. મંદિર પાસે વીજળીના થાંભલા પર ધાર્મિક ઝંડા ફરકાવવા બાબતે બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.


શા માટે કોમી અશાંતિ સર્જાઈ?


વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે ધામીજીના ડેરા વિસ્તારમાં મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો હતો. આ વિસ્તારના જ અન્ય સમુદાયના લોકોએ આ પ્રકારે ઝંડા લગાવવાનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને સમુદાયો વચ્ચેની અથડામણમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પરંતુ એક વાહન અને દુકાનને નુકસાન પહોંચ્યું છે. 


પોલીસે 40 લોકોની ધરપકડ કરી


સાવલીના શાકભાજી માર્કેટમાં બનેલી આ ઘટના બાદ બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને અત્યાર સુધીમાં પોલીસે બંને સમુદાયના કુલ 40 લોકોની ધરપકડ કરી છે. પોલીસે હાલ તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે, પોલીસના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે