વડોદરાના સાવલીમાં કોમી અથડામણ: 40 લોકોની ધરપકડ, પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 11:53:22

મા આદ્યશક્તિના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કોમી રમખાણો ચિંતા વધી રહ્યા છે. રાજ્યમાં હાલ કેટલા લોકો કોમી શાંતિ ડહોળવાનું ષડયંત્ર રચતા હોય તેવું જણાય છે. આમ પણ વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતી હોય તેવો ભૂતકાળનો અનુભવ રહ્યો છે. જેમ કે વડોદરાના સાવલી માં બે જૂથ આમને સામને આવી ગયા હતા. મંદિર પાસે વીજળીના થાંભલા પર ધાર્મિક ઝંડા ફરકાવવા બાબતે બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.


શા માટે કોમી અશાંતિ સર્જાઈ?


વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે ધામીજીના ડેરા વિસ્તારમાં મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો હતો. આ વિસ્તારના જ અન્ય સમુદાયના લોકોએ આ પ્રકારે ઝંડા લગાવવાનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને સમુદાયો વચ્ચેની અથડામણમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પરંતુ એક વાહન અને દુકાનને નુકસાન પહોંચ્યું છે. 


પોલીસે 40 લોકોની ધરપકડ કરી


સાવલીના શાકભાજી માર્કેટમાં બનેલી આ ઘટના બાદ બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને અત્યાર સુધીમાં પોલીસે બંને સમુદાયના કુલ 40 લોકોની ધરપકડ કરી છે. પોલીસે હાલ તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે, પોલીસના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .