વડોદરાના સાવલીમાં કોમી અથડામણ: 40 લોકોની ધરપકડ, પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 11:53:22

મા આદ્યશક્તિના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કોમી રમખાણો ચિંતા વધી રહ્યા છે. રાજ્યમાં હાલ કેટલા લોકો કોમી શાંતિ ડહોળવાનું ષડયંત્ર રચતા હોય તેવું જણાય છે. આમ પણ વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતી હોય તેવો ભૂતકાળનો અનુભવ રહ્યો છે. જેમ કે વડોદરાના સાવલી માં બે જૂથ આમને સામને આવી ગયા હતા. મંદિર પાસે વીજળીના થાંભલા પર ધાર્મિક ઝંડા ફરકાવવા બાબતે બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.


શા માટે કોમી અશાંતિ સર્જાઈ?


વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે ધામીજીના ડેરા વિસ્તારમાં મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો હતો. આ વિસ્તારના જ અન્ય સમુદાયના લોકોએ આ પ્રકારે ઝંડા લગાવવાનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને સમુદાયો વચ્ચેની અથડામણમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પરંતુ એક વાહન અને દુકાનને નુકસાન પહોંચ્યું છે. 


પોલીસે 40 લોકોની ધરપકડ કરી


સાવલીના શાકભાજી માર્કેટમાં બનેલી આ ઘટના બાદ બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને અત્યાર સુધીમાં પોલીસે બંને સમુદાયના કુલ 40 લોકોની ધરપકડ કરી છે. પોલીસે હાલ તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે, પોલીસના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.