મહેસાણા જિલ્લાના ખેરાલુમાં કોમી શાંતિ ડહોળાઈ, શ્રી રામની શોભાયાત્રા પર થયો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2024-01-22 18:29:02

અયોધ્યામાં આવતી કાલે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. સમગ્ર દેશમાં રામલલ્લાની શોભાયાત્રા યોજાઈ રહી છે ત્યારે કેટલાક તોફાની તત્વો કોમી શાંતિ અને ભાઈચારાનો માહોલ બગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. આજે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાટડીયા રામની શોભાયાત્રા પર પથ્થર મારો થયાના ઘટના સામે આવી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કરાઈ રહેલી ઉજવણીને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી તે દરમિયાન ખેરાલુ શહેરમાં બેલીમ વાસ વિસ્તારમાં પથ્થરમારો થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઈ હતી. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થર મારો કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.


યુવકો અને મહિલાઓએ ધાબા પરથી કર્યો પથ્થરમારો


મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાટડીયા રામની શોભાયાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બેલીમ વાસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થર મારો કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.પથ્થરમારો થતાં ખેરાલુમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથધરી છે.


પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા


ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી પરંતું મસ્જિદ આગળથી પસાર થતા જ શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો અચાનક જ શરુ થયો હતો. ડીજે વગાડવાને લઈ આ પથ્થર મારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મામલો થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે જિલ્લા સમગ્ર જિલ્લા ની પોલીસ નો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ મામલાને લઈ કાર્યવાહી શરુ કરી છે અને વીડિયોથી ઓળખ કરીને અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .