BJPના નેતા વિક્રમ લુહાણા સામે આણંદમાં નોંધાઈ ફરિયાદ, સગીરા પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-01 18:01:48

ચરોતર પંથકના ભાજપના અગ્રણી નેતા વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે આણંદમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના વગદાર નેતા વિક્રમ લુહાણા પર એક સગીરા પર દુષ્કર્મના પ્રયાસ કરવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરી એકલી હતી એ સમયે તેનો હાથપકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડાછાડ કરીને કિશોરીને બાથરૂમમાં લઈ જઈને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે કિશોરી ત્યાંથી નાસી છૂટી હતી અને પરીવારને જાણ કરી હતી. કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેર પોલીસે વિક્રમ લુહાણા સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા ફરિયાદ નોંધાઈ છે. આણંદમાં બે બાળકો સાથે રહેતી સિંગલ મધરની સગીર યુવતી ઉપર બહેનપણીના પતિ અને ભાજપના વગદાર કાર્યકર્તાએ મેલી નજર કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હોવાનો કિસ્સો બહાર આવતા ચરોતર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં પોલીસ મથકે ફરિયાદ આપી હોવાની જાણ થતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જોકે પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. આણંદ સંતકવર સોસાયટીમાં રહેતો વિક્રમ લક્ષ્મણદાસ લુહાણાની પત્નીની બહેનપણીના ઘરે અવાર નવાર જતો – આવતો હતો. આ અવર જવર દરમિયાન વિક્રમ લુહાણાએ તે પરિવારની સગીરવયની દિકરી પર નજર બગાડી હતી. તે કોઇને કોઇ બહાને સગીરા ઘરે એકલી હોય ત્યારે જતો હતો. આ દરમિયાન એક દિવસ સગીરા ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. સગીરા ગભરાયેલ ગભરાયેલ જણાતા ટયુશને કે સ્કુલે જવાની ના પાડતા તેમજ તેને કોઈ ચિંતામાં હોય તેવી પરિસ્થિતમાં લાગતા સગીરાની માતાએ દિકરીને પુંછેલ કે બેટા કંઈક પ્રોબ્લેમ છે તે કેમ ચિંતામાં લાગે છે? ત્યારે ડરેલ અને દબાયેલા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડતા સગીરાએ નરાધમ વિક્રમ લોહાણાએ કરેલ કુકર્મની સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ગઇ હતી. આ અંગે પોલીસે વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. પટેલને સોંપવામાં આવી છે.


વિક્રમ લુહાણા વોર્ડ નં.6માં પ્રભારી છે


આણંદની સંતકંવર સોસાયટીમાં રહેતો વિક્રમ લુહાણા ભાજપના કાર્યકર છે અને કિસાન મોરચામાં હોદ્દો ધરાવે છે. આ ઉપરાંત તેને વોર્ડ નં.6માં પ્રભારી તરીકે પણ નિમણૂંક આપવામાં આવી છે. તે ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાથી કેફમાં રાચી ભગતસિંહ સ્ટેચ્યુ વિસ્તારમાં રાજકીય રોફ મારતો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.