Cadilaના સીએમડી Rajiv Modi વિરૂદ્ધ કરાઈ જાતિય સતામણીની ફરિયાદ, અરજદારે ખખડાવ્યા Highcourtના દ્વાર, જાણો શું સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-11-22 10:37:38

કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી વિરૂદ્ધ જે મહિલાએ જાતીય સતામણીની ફરિયાદ કરી છે તે તેમની પર્સનલ આસીસ્ટન્ટ છે. પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરી રહેલી યુવતી મૂળ બલ્ગેરિયાની છે. આ અંગેની ફરિયાદ ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે કાર્યવાહી પણ શરૂ થઈ ગયો હોય તેવી માહિતી સામે આવી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી ૪થી ડિસેમ્બરથી હાથ ધરવામાં આવશે. 

gujarat famous pharma company cadila CMD rajiv modi accused of sexual  harrasment

અરજદારે શું કરી છે અરજી? 

જે અરજી કરવામાં આવી છે તેમાં એવી અરજ કરવામાં આવી છે કે કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ  IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે. ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી સાથે તેને બહાર પણ જવું પડતું હતું. વર્ષ 2022માં તે કેડીલા ફાર્મમાં કંપનીના સીએમડીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઈ હતી. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં અરજદારની સાથે ખરાબ રીતે વર્તન કરતા હતા.  


અંતે અરજદારે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર 

અરજદારે પોતાની ફરીયાદ દાખલ કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. અનેક વખત આ મામલે તેમણે રજૂઆત કરવા માગી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેની પણ સૌની નજર છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી