Cadilaના સીએમડી Rajiv Modi વિરૂદ્ધ કરાઈ જાતિય સતામણીની ફરિયાદ, અરજદારે ખખડાવ્યા Highcourtના દ્વાર, જાણો શું સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-11-22 10:37:38

કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી વિરૂદ્ધ જે મહિલાએ જાતીય સતામણીની ફરિયાદ કરી છે તે તેમની પર્સનલ આસીસ્ટન્ટ છે. પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરી રહેલી યુવતી મૂળ બલ્ગેરિયાની છે. આ અંગેની ફરિયાદ ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે કાર્યવાહી પણ શરૂ થઈ ગયો હોય તેવી માહિતી સામે આવી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી ૪થી ડિસેમ્બરથી હાથ ધરવામાં આવશે. 

gujarat famous pharma company cadila CMD rajiv modi accused of sexual  harrasment

અરજદારે શું કરી છે અરજી? 

જે અરજી કરવામાં આવી છે તેમાં એવી અરજ કરવામાં આવી છે કે કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ  IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે. ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી સાથે તેને બહાર પણ જવું પડતું હતું. વર્ષ 2022માં તે કેડીલા ફાર્મમાં કંપનીના સીએમડીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઈ હતી. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં અરજદારની સાથે ખરાબ રીતે વર્તન કરતા હતા.  


અંતે અરજદારે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર 

અરજદારે પોતાની ફરીયાદ દાખલ કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. અનેક વખત આ મામલે તેમણે રજૂઆત કરવા માગી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેની પણ સૌની નજર છે.  



સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.