Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhanani સામે નોંધાઈ ફરિયાદ! જાહેર સભામાં બોલ્યા હતા હરખપદુડા શબ્દ..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 14:51:11

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. ઉમેદવારો દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પરંતુ પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન વિવાદને આમંત્રણ આપે છે.. થોડા સમય પહેલા રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...

પરેશ ધાનાણીએ જાહેરસભામાં કહ્યું હતું કે... 

રોજકોટ શહેરના વોર્ડ-2માં પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી ત્યારે આ ભાષણ આપ્યું હતું... અને પાટીદાર આંદોલનને યાદ કરતા ક્ષત્રિય આંદોલનને આવરી લેતી વાતો આ ભાષણમાંથી કરી હતી.. અને કહ્યું હતું કે અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું.. હવે આ હરખપદુડા શબ્દ બોલાવાના કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે..  


આચારસંહિતા ભંગની નોંધાઈ ફરિયાદ!

ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા.... પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જે બદલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામા આવી છે...



હરખપદુડા શબ્દને લઈ ભાજપે ઉઠાવ્યો વાંધો!

ભાજપ દ્વારા આ હરખપદુડા શબ્દ સામે વાંધો ઉઠાવી આચારસંહિતા ભંગ અંગે કલેકટર તંત્રને ફરીયાદ કરી હતી. આ ફરીયાદ બાદ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા આ હરખપદુડા શબ્દના ઉપયોગ અંગે એઆરઓને તપાસ સોંપી પરેશ ધાનાણીને નોટીસ ફટકારવા અને તેમને સાંભળી બાદમાં નિર્ણય લઇ રીપોર્ટ કરવા એઆરઓને આદેશો કર્યા છે.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.