Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhanani સામે નોંધાઈ ફરિયાદ! જાહેર સભામાં બોલ્યા હતા હરખપદુડા શબ્દ..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 14:51:11

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. ઉમેદવારો દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પરંતુ પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન વિવાદને આમંત્રણ આપે છે.. થોડા સમય પહેલા રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...

પરેશ ધાનાણીએ જાહેરસભામાં કહ્યું હતું કે... 

રોજકોટ શહેરના વોર્ડ-2માં પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી ત્યારે આ ભાષણ આપ્યું હતું... અને પાટીદાર આંદોલનને યાદ કરતા ક્ષત્રિય આંદોલનને આવરી લેતી વાતો આ ભાષણમાંથી કરી હતી.. અને કહ્યું હતું કે અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું.. હવે આ હરખપદુડા શબ્દ બોલાવાના કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે..  


આચારસંહિતા ભંગની નોંધાઈ ફરિયાદ!

ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા.... પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જે બદલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામા આવી છે...



હરખપદુડા શબ્દને લઈ ભાજપે ઉઠાવ્યો વાંધો!

ભાજપ દ્વારા આ હરખપદુડા શબ્દ સામે વાંધો ઉઠાવી આચારસંહિતા ભંગ અંગે કલેકટર તંત્રને ફરીયાદ કરી હતી. આ ફરીયાદ બાદ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા આ હરખપદુડા શબ્દના ઉપયોગ અંગે એઆરઓને તપાસ સોંપી પરેશ ધાનાણીને નોટીસ ફટકારવા અને તેમને સાંભળી બાદમાં નિર્ણય લઇ રીપોર્ટ કરવા એઆરઓને આદેશો કર્યા છે.... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે