Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhanani સામે નોંધાઈ ફરિયાદ! જાહેર સભામાં બોલ્યા હતા હરખપદુડા શબ્દ..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 14:51:11

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. ઉમેદવારો દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પરંતુ પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન વિવાદને આમંત્રણ આપે છે.. થોડા સમય પહેલા રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...

પરેશ ધાનાણીએ જાહેરસભામાં કહ્યું હતું કે... 

રોજકોટ શહેરના વોર્ડ-2માં પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી ત્યારે આ ભાષણ આપ્યું હતું... અને પાટીદાર આંદોલનને યાદ કરતા ક્ષત્રિય આંદોલનને આવરી લેતી વાતો આ ભાષણમાંથી કરી હતી.. અને કહ્યું હતું કે અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું.. હવે આ હરખપદુડા શબ્દ બોલાવાના કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે..  


આચારસંહિતા ભંગની નોંધાઈ ફરિયાદ!

ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા.... પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જે બદલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામા આવી છે...



હરખપદુડા શબ્દને લઈ ભાજપે ઉઠાવ્યો વાંધો!

ભાજપ દ્વારા આ હરખપદુડા શબ્દ સામે વાંધો ઉઠાવી આચારસંહિતા ભંગ અંગે કલેકટર તંત્રને ફરીયાદ કરી હતી. આ ફરીયાદ બાદ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા આ હરખપદુડા શબ્દના ઉપયોગ અંગે એઆરઓને તપાસ સોંપી પરેશ ધાનાણીને નોટીસ ફટકારવા અને તેમને સાંભળી બાદમાં નિર્ણય લઇ રીપોર્ટ કરવા એઆરઓને આદેશો કર્યા છે.... 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.