Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhanani સામે નોંધાઈ ફરિયાદ! જાહેર સભામાં બોલ્યા હતા હરખપદુડા શબ્દ..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 14:51:11

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. ઉમેદવારો દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પરંતુ પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન વિવાદને આમંત્રણ આપે છે.. થોડા સમય પહેલા રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...

પરેશ ધાનાણીએ જાહેરસભામાં કહ્યું હતું કે... 

રોજકોટ શહેરના વોર્ડ-2માં પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી ત્યારે આ ભાષણ આપ્યું હતું... અને પાટીદાર આંદોલનને યાદ કરતા ક્ષત્રિય આંદોલનને આવરી લેતી વાતો આ ભાષણમાંથી કરી હતી.. અને કહ્યું હતું કે અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું.. હવે આ હરખપદુડા શબ્દ બોલાવાના કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે..  


આચારસંહિતા ભંગની નોંધાઈ ફરિયાદ!

ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા.... પરેશ ધાનાણીએ કરેલા આ નિવેદન બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જે બદલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામા આવી છે...



હરખપદુડા શબ્દને લઈ ભાજપે ઉઠાવ્યો વાંધો!

ભાજપ દ્વારા આ હરખપદુડા શબ્દ સામે વાંધો ઉઠાવી આચારસંહિતા ભંગ અંગે કલેકટર તંત્રને ફરીયાદ કરી હતી. આ ફરીયાદ બાદ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા આ હરખપદુડા શબ્દના ઉપયોગ અંગે એઆરઓને તપાસ સોંપી પરેશ ધાનાણીને નોટીસ ફટકારવા અને તેમને સાંભળી બાદમાં નિર્ણય લઇ રીપોર્ટ કરવા એઆરઓને આદેશો કર્યા છે.... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે