ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપરલીક થયાનો યુવરાજસિંહનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-27 17:18:02

રાજ્યમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અવારનવાર લીક થતા રહે છે પણ હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડા સામે આવી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હોબાળો મચ્યો છે.


પેપર સોશિયલ મીડિયામાં વાયરલ


ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હંગામો મચી ગયો છે. આપના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહે તેમના ટ્વીટર હેન્ડલ પર આ વાયરલ પેપરની કોપી મુકીને પેપરલીક થયાનો આક્ષેપ કર્યો છે. યુવરાજ સિંહનો દાવો છે કે આ કોમ્પ્યુટરનું પેપર અમરેલીના સાવરકુંડલા પરીક્ષા સેન્ટર પરથી લીક થયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર કેમ લીક થયું તેને લઈ સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર વહેતું થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી છે. આ પેપર સોશિયલ મીડિયામાં વહેતુ કરનાર દોષિત સામે કાનૂની પગલાં ભરવાની માગ ઉઠી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.