ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપરલીક થયાનો યુવરાજસિંહનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-27 17:18:02

રાજ્યમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અવારનવાર લીક થતા રહે છે પણ હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડા સામે આવી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હોબાળો મચ્યો છે.


પેપર સોશિયલ મીડિયામાં વાયરલ


ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હંગામો મચી ગયો છે. આપના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહે તેમના ટ્વીટર હેન્ડલ પર આ વાયરલ પેપરની કોપી મુકીને પેપરલીક થયાનો આક્ષેપ કર્યો છે. યુવરાજ સિંહનો દાવો છે કે આ કોમ્પ્યુટરનું પેપર અમરેલીના સાવરકુંડલા પરીક્ષા સેન્ટર પરથી લીક થયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર કેમ લીક થયું તેને લઈ સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર વહેતું થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી છે. આ પેપર સોશિયલ મીડિયામાં વહેતુ કરનાર દોષિત સામે કાનૂની પગલાં ભરવાની માગ ઉઠી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે