ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપરલીક થયાનો યુવરાજસિંહનો આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-03-27 17:18:02

રાજ્યમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અવારનવાર લીક થતા રહે છે પણ હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડા સામે આવી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હોબાળો મચ્યો છે.


પેપર સોશિયલ મીડિયામાં વાયરલ


ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થતાં હંગામો મચી ગયો છે. આપના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહે તેમના ટ્વીટર હેન્ડલ પર આ વાયરલ પેપરની કોપી મુકીને પેપરલીક થયાનો આક્ષેપ કર્યો છે. યુવરાજ સિંહનો દાવો છે કે આ કોમ્પ્યુટરનું પેપર અમરેલીના સાવરકુંડલા પરીક્ષા સેન્ટર પરથી લીક થયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર કેમ લીક થયું તેને લઈ સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર વહેતું થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી છે. આ પેપર સોશિયલ મીડિયામાં વહેતુ કરનાર દોષિત સામે કાનૂની પગલાં ભરવાની માગ ઉઠી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.