દબંગ નેતા ગણાતા Madhu Srivastavaની વધી ચિંતા! BJP-Congressએ બંને લેવાની ના પાડી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 16:10:27

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક હાલ ચર્ચામાં છે. આ બેઠકના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવનો સીન લટકતી તલવાર જેવો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મધુ શ્રીવાસ્તવ કમલમ ગયા જ્યાં BJPએ લેવાની ના પાડી દીધી, કોંગ્રેસ કાર્યાલયે તો કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધાની ચર્ચાઓ થઈ રહી છે

Gujarat election 2022: મધુ શ્રીવાસ્તવ ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય  કારકિર્દી વિશે – News18 ગુજરાતી

કોંગ્રેસ કાર્યાલયે જવાનો દબંગ નેતાએ કર્યો હતો પ્રયાસ 

વડોદરાની વાઘોડિયા બેઠક આ બેઠક ઉપર અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું મૂકી ભાજપમાં જોડાશે તેવું લગભગ નક્કી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ સાથે વાઘોડિયા બેઠક પર પણ પેટાચૂંટણી આવી શકે છે. ભાજપના ઉમેદવાર લગભગ નક્કી છે. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવા ઉત્સુક પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પ્રયાસ કરાયો હતો. તેઓ કોંગ્રેસ કાર્યાલયે ગયા તો કોંગ્રેસે તેમને કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધું તેવી વાતો થઈ રહી છે. આ પહેલાં ભાજપમાં ફરી જોડાવવા કમલમ ખાતે ગયા તો ભાજપે પણ ફરી લેવાનો ઇનકાર કરી દીધાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


 

વાઘોડિયામાં યોજાઈ શકે છે પેટાચૂંટણી 

મધુ શ્રી વાસ્તવ કહી રહ્યા છે કે કાર્યકરો નક્કી કરશે તેમ હું ચુંટણી લડીશ હાલમાં ચર્ચામાં આવેલી વાઘોડિયા બેઠક ઉપર આવનાર પેટા ચૂંટણીમાં ભાજપમાંથી લગભગ વર્તમાન અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચંટણી લડશે તેમ મનાય રહ્યું છે. પરંતુ, કોંગ્રેસ દ્વારા ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર સત્યજિતસિંહ ગાયકવાડને રિપીટ કરશે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે તો સમય બતાવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.