દબંગ નેતા ગણાતા Madhu Srivastavaની વધી ચિંતા! BJP-Congressએ બંને લેવાની ના પાડી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-12 16:10:27

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક હાલ ચર્ચામાં છે. આ બેઠકના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવનો સીન લટકતી તલવાર જેવો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મધુ શ્રીવાસ્તવ કમલમ ગયા જ્યાં BJPએ લેવાની ના પાડી દીધી, કોંગ્રેસ કાર્યાલયે તો કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધાની ચર્ચાઓ થઈ રહી છે

Gujarat election 2022: મધુ શ્રીવાસ્તવ ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય  કારકિર્દી વિશે – News18 ગુજરાતી

કોંગ્રેસ કાર્યાલયે જવાનો દબંગ નેતાએ કર્યો હતો પ્રયાસ 

વડોદરાની વાઘોડિયા બેઠક આ બેઠક ઉપર અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું મૂકી ભાજપમાં જોડાશે તેવું લગભગ નક્કી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ સાથે વાઘોડિયા બેઠક પર પણ પેટાચૂંટણી આવી શકે છે. ભાજપના ઉમેદવાર લગભગ નક્કી છે. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવા ઉત્સુક પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પ્રયાસ કરાયો હતો. તેઓ કોંગ્રેસ કાર્યાલયે ગયા તો કોંગ્રેસે તેમને કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધું તેવી વાતો થઈ રહી છે. આ પહેલાં ભાજપમાં ફરી જોડાવવા કમલમ ખાતે ગયા તો ભાજપે પણ ફરી લેવાનો ઇનકાર કરી દીધાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


 

વાઘોડિયામાં યોજાઈ શકે છે પેટાચૂંટણી 

મધુ શ્રી વાસ્તવ કહી રહ્યા છે કે કાર્યકરો નક્કી કરશે તેમ હું ચુંટણી લડીશ હાલમાં ચર્ચામાં આવેલી વાઘોડિયા બેઠક ઉપર આવનાર પેટા ચૂંટણીમાં ભાજપમાંથી લગભગ વર્તમાન અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચંટણી લડશે તેમ મનાય રહ્યું છે. પરંતુ, કોંગ્રેસ દ્વારા ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર સત્યજિતસિંહ ગાયકવાડને રિપીટ કરશે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે તો સમય બતાવશે.



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.