દબંગ નેતા ગણાતા Madhu Srivastavaની વધી ચિંતા! BJP-Congressએ બંને લેવાની ના પાડી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 16:10:27

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક હાલ ચર્ચામાં છે. આ બેઠકના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવનો સીન લટકતી તલવાર જેવો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મધુ શ્રીવાસ્તવ કમલમ ગયા જ્યાં BJPએ લેવાની ના પાડી દીધી, કોંગ્રેસ કાર્યાલયે તો કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધાની ચર્ચાઓ થઈ રહી છે

Gujarat election 2022: મધુ શ્રીવાસ્તવ ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય  કારકિર્દી વિશે – News18 ગુજરાતી

કોંગ્રેસ કાર્યાલયે જવાનો દબંગ નેતાએ કર્યો હતો પ્રયાસ 

વડોદરાની વાઘોડિયા બેઠક આ બેઠક ઉપર અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું મૂકી ભાજપમાં જોડાશે તેવું લગભગ નક્કી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ સાથે વાઘોડિયા બેઠક પર પણ પેટાચૂંટણી આવી શકે છે. ભાજપના ઉમેદવાર લગભગ નક્કી છે. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવા ઉત્સુક પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પ્રયાસ કરાયો હતો. તેઓ કોંગ્રેસ કાર્યાલયે ગયા તો કોંગ્રેસે તેમને કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધું તેવી વાતો થઈ રહી છે. આ પહેલાં ભાજપમાં ફરી જોડાવવા કમલમ ખાતે ગયા તો ભાજપે પણ ફરી લેવાનો ઇનકાર કરી દીધાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


 

વાઘોડિયામાં યોજાઈ શકે છે પેટાચૂંટણી 

મધુ શ્રી વાસ્તવ કહી રહ્યા છે કે કાર્યકરો નક્કી કરશે તેમ હું ચુંટણી લડીશ હાલમાં ચર્ચામાં આવેલી વાઘોડિયા બેઠક ઉપર આવનાર પેટા ચૂંટણીમાં ભાજપમાંથી લગભગ વર્તમાન અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચંટણી લડશે તેમ મનાય રહ્યું છે. પરંતુ, કોંગ્રેસ દ્વારા ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર સત્યજિતસિંહ ગાયકવાડને રિપીટ કરશે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે તો સમય બતાવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.