દબંગ નેતા ગણાતા Madhu Srivastavaની વધી ચિંતા! BJP-Congressએ બંને લેવાની ના પાડી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 16:10:27

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક હાલ ચર્ચામાં છે. આ બેઠકના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવનો સીન લટકતી તલવાર જેવો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મધુ શ્રીવાસ્તવ કમલમ ગયા જ્યાં BJPએ લેવાની ના પાડી દીધી, કોંગ્રેસ કાર્યાલયે તો કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધાની ચર્ચાઓ થઈ રહી છે

Gujarat election 2022: મધુ શ્રીવાસ્તવ ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય  કારકિર્દી વિશે – News18 ગુજરાતી

કોંગ્રેસ કાર્યાલયે જવાનો દબંગ નેતાએ કર્યો હતો પ્રયાસ 

વડોદરાની વાઘોડિયા બેઠક આ બેઠક ઉપર અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું મૂકી ભાજપમાં જોડાશે તેવું લગભગ નક્કી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ સાથે વાઘોડિયા બેઠક પર પણ પેટાચૂંટણી આવી શકે છે. ભાજપના ઉમેદવાર લગભગ નક્કી છે. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવા ઉત્સુક પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પ્રયાસ કરાયો હતો. તેઓ કોંગ્રેસ કાર્યાલયે ગયા તો કોંગ્રેસે તેમને કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધું તેવી વાતો થઈ રહી છે. આ પહેલાં ભાજપમાં ફરી જોડાવવા કમલમ ખાતે ગયા તો ભાજપે પણ ફરી લેવાનો ઇનકાર કરી દીધાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


 

વાઘોડિયામાં યોજાઈ શકે છે પેટાચૂંટણી 

મધુ શ્રી વાસ્તવ કહી રહ્યા છે કે કાર્યકરો નક્કી કરશે તેમ હું ચુંટણી લડીશ હાલમાં ચર્ચામાં આવેલી વાઘોડિયા બેઠક ઉપર આવનાર પેટા ચૂંટણીમાં ભાજપમાંથી લગભગ વર્તમાન અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચંટણી લડશે તેમ મનાય રહ્યું છે. પરંતુ, કોંગ્રેસ દ્વારા ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર સત્યજિતસિંહ ગાયકવાડને રિપીટ કરશે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે તો સમય બતાવશે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે