વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેને લઈ અસમંજસ! સત્રનો એજન્ડા જાણવા Soniya Gandhi PMને લખશે પત્ર, જાણો કઈ બેઠકમાં લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-09-06 13:04:12

કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રમાં કયા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવી તે મુદ્દે ગઈકાલે એટલે કે મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને ઘરે INDIAમાં સામેલ લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો. INDIAમાં સામેલ 28 પક્ષોમાંથી 24 પક્ષો વિશેષ સત્રમાં હાજર રહેશે. ન્યુઝ એજન્સી એએનઆઈ અનુસાર 24 પક્ષો વતી વડાપ્રધાન મોદીને સોનિયા ગાંધી પત્ર લખશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો છે.

સોનિયા ગાંધી પીએમ મોદીને લખશે પત્ર 

સંસદમાં 18 સપ્ટેમ્બરથી વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર ચાલવાનું છે. અચાનક કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સત્ર બોલાવાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. અનેક મુદ્દાઓને લઈ આ સત્રમાં ચર્ચા થઈ શકે છે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અનેક બિલો પણ લાવવામાં આવી શકે છે. વન નેશન વન ઈલેક્શનને લઈ બિલ આવી શકે છે. આ સત્ર કેમ બોલાવવામાં આવ્યું છે તે હજી સુધી સ્પષ્ટ નથી. સત્રમાં કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે તે જાણવા માટે INDIA ગઠબંધન તરફથી સોનિયા ગાંધી પીએમ મોદીને પત્ર લખશે અને વિશેષ સત્ર શા માટે બોલાવામાં આવ્યું છે, સત્રનું શું એજન્ડા છે તે જાણવા માટે પત્ર લખાશે તેવો નિર્ણય ગઈકાલે મળેલી બેઠકમાં લેવાયો છે.   

ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળી સાંસદોની બેઠક 

મહત્વનું છે કે બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી સરકાર એજન્ડા કહ્યા વિના પહેલીવાર સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે. વિપક્ષના કોઈ પણ પક્ષની ન તો સલાહ લેવામાં આવી ન તો જાણ કરવામાં આવી, લોકશાહી ચલાવવાની આ રીત નથી. મોદી સરકાર મીડિયામાં સંભવિત એજન્ડાની કહાની રજૂ કરે છે, બોજારૂપ મુદ્દાઓ, બેરોજગારી, મણિપુર, ચીનનું અતિક્રમણ, કેગ રિપોર્ટ, કૌભાંડો જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને લોકોને છેતરવા માગે છે.  


વિશેષ સત્રને લઈ રાજકીય વર્તુળમાં થઈ રહી છે ચર્ચાઓ 

ઉલ્લેખનિય છે કે આ સત્રની માહિતી  સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ 'X' પર પોસ્ટ મૂકી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે "સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે." મહત્વનું છે કે આ સત્રની જાણકારી મળતા રાજકીય વર્તુળમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કયા મુદ્દાઓ પર વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે તે અંગેની માહિતી સામે આવી નથી .જેને કારણે વન નેશન વન ઈલેક્શનને લઈ બિલ પસાર થઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે