વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેને લઈ અસમંજસ! સત્રનો એજન્ડા જાણવા Soniya Gandhi PMને લખશે પત્ર, જાણો કઈ બેઠકમાં લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-09-06 13:04:12

કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રમાં કયા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવી તે મુદ્દે ગઈકાલે એટલે કે મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને ઘરે INDIAમાં સામેલ લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો. INDIAમાં સામેલ 28 પક્ષોમાંથી 24 પક્ષો વિશેષ સત્રમાં હાજર રહેશે. ન્યુઝ એજન્સી એએનઆઈ અનુસાર 24 પક્ષો વતી વડાપ્રધાન મોદીને સોનિયા ગાંધી પત્ર લખશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો છે.

સોનિયા ગાંધી પીએમ મોદીને લખશે પત્ર 

સંસદમાં 18 સપ્ટેમ્બરથી વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર ચાલવાનું છે. અચાનક કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સત્ર બોલાવાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. અનેક મુદ્દાઓને લઈ આ સત્રમાં ચર્ચા થઈ શકે છે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અનેક બિલો પણ લાવવામાં આવી શકે છે. વન નેશન વન ઈલેક્શનને લઈ બિલ આવી શકે છે. આ સત્ર કેમ બોલાવવામાં આવ્યું છે તે હજી સુધી સ્પષ્ટ નથી. સત્રમાં કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે તે જાણવા માટે INDIA ગઠબંધન તરફથી સોનિયા ગાંધી પીએમ મોદીને પત્ર લખશે અને વિશેષ સત્ર શા માટે બોલાવામાં આવ્યું છે, સત્રનું શું એજન્ડા છે તે જાણવા માટે પત્ર લખાશે તેવો નિર્ણય ગઈકાલે મળેલી બેઠકમાં લેવાયો છે.   

ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળી સાંસદોની બેઠક 

મહત્વનું છે કે બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી સરકાર એજન્ડા કહ્યા વિના પહેલીવાર સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે. વિપક્ષના કોઈ પણ પક્ષની ન તો સલાહ લેવામાં આવી ન તો જાણ કરવામાં આવી, લોકશાહી ચલાવવાની આ રીત નથી. મોદી સરકાર મીડિયામાં સંભવિત એજન્ડાની કહાની રજૂ કરે છે, બોજારૂપ મુદ્દાઓ, બેરોજગારી, મણિપુર, ચીનનું અતિક્રમણ, કેગ રિપોર્ટ, કૌભાંડો જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને લોકોને છેતરવા માગે છે.  


વિશેષ સત્રને લઈ રાજકીય વર્તુળમાં થઈ રહી છે ચર્ચાઓ 

ઉલ્લેખનિય છે કે આ સત્રની માહિતી  સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ 'X' પર પોસ્ટ મૂકી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે "સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે." મહત્વનું છે કે આ સત્રની જાણકારી મળતા રાજકીય વર્તુળમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કયા મુદ્દાઓ પર વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે તે અંગેની માહિતી સામે આવી નથી .જેને કારણે વન નેશન વન ઈલેક્શનને લઈ બિલ પસાર થઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 



તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.