Congress- AAPએ ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડવા માટે આપી ટિકીટ, તેઓ ચર્ચામાં રહ્યા છે કારણ કે....


  • Published By :
  • Published Date : 2024-05-08 11:26:31

2024 શરૂ થયું ત્યારથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ચૂંટણી ક્યારે આવશે? ચૂંટણીની તારીખો જાણવાની આપણને સૌને આતુરતા હતી... ચૂંટણીની તારીખો જાહેર પણ થઈ ગઈ અને ત્રણ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ પણ થઈ ગયું... ગુજરાતની 26 બેઠકો માટે મતદાન પણ થઈ ગયું... ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક બેઠકો એવી રહી છે જે ચર્ચામાં રહી હોય... મુખ્યત્વે એવી બેઠકો છે જ્યાં ઉમેદવાર તરીકે રાજકીય પાર્ટીએ ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા છે... કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે અનેક ધારાસભ્યોને ટિકીટ આપી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ ધારાસભ્યને ટિકીટ આપી ન હતી.. કાંતો સાંસદને રિપીટ કર્યા છે કાં તો નવા ચહેરાને તક આપી છે..


કયા ધારાસભ્યને ક્યાંથી બનાવ્યા લોકસભા બેઠકના ઉમેદવાર?

ગુજરાતની 7 બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર તરીકે ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારાયા હતા.. તે બેઠકો હતી ભરૂચ લોકસભા બેઠક જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી આમ આદમી પાર્ટી... તે બાદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગરના લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા.. ઉમેશ મકવાણા પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે.. તે બાદ કોંગ્રેસની વાત કરીએ તો વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા.



તે બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને આણંદ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા.તે બાદ વલસાડ લોકસભા બેઠક માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી.. તે સિવાય સાબરકાંઠાના લોકસભા ઉમેદવાર તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્ય છે. તે ઉપરાંત ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે તેમને પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા... 


ભાજપે કોને આપી છે ટિકીટ? 

આ ઉમેદવારોની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો ભરૂચમાં બીજેપીએ મનસુખ વસાવાને ઉતાર્યા હતા, બનાસકાંઠામાં ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી.. તે સિવાય વલસાડમાં ધવલ પટેલને ટિકીટ આપવામાં આવી.. ભાવનગરમાં નીમુંબેન બાંભણિયાને ઉતારવામાં આવ્યા હતા.. આણંદ લોકસભા બેઠક પર મિતેશ પટેલને ટિકીટ આપવામાં આવી હતી. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે રાજપાલસિંહ જાદવને ટિકીટ આપી છે.. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે શોભના બેન બારૈયાને ટિકીટ આપી હતી. 


કઈ બેઠક પર કેટલું થયું મતદાન? 

લોકસભા બેઠકમાં થયેલા મતદાનના ટકાની વાત કરીએ તો બનાસકાંઠામાં 68.44 ટકા મતદાન થયું છે સરેરાશ.. સાબરકાંઠાનું સરેરાશ મતદાન 63.04 ટકા થયું છે, ભરૂચ લોકસભા બેઠક પર 68.75 ટકા મતદાન નોંધાયું છે તે સિવાય આણંદમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો 63.96 ટકા થયું છે. તે સિવાય વલસાડ લોકસભા બેઠકની વાત કરીએ તો 72.24 ટકા નોંધાયું છે તે સિવાય પંચમહાલ લોકસભા બેઠક પર નોંધાયેલા મતદાનની વાત કરીએ તો ત્યાં 58.65 ટકા મતદાન થયું છે. 


અનેક બેઠકોની ચર્ચા થઈ કારણ કે.... 

મહત્વનું છે કે આમાંની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા અવાર નવાર થઈ હતી. બનાસકાંઠા લોકસભા બેઠક, ભરૂચ લોકસભા બેઠક, વલસાડ લોકસભા બેઠકની થઈ છે...ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો શાબ્દિક યુદ્ધ ચર્ચામાં રહ્યો.. તે સિવાય બનાસકાંઠા લોકસભા બેઠક જ્યાં બનાસની બેન અને બનાસની દીકરી વચ્ચે જંગ જામ્યો હતો.. અનંત પટેલ પણ અનેક વખત ચર્ચામાં રહ્યા.. 


મતદાતા કોને બનાવશે સાંસદ તે જોવું રહ્યું... 

તે સિવાય સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને બદલ્યા હતા જેને કારણે ચર્ચાઓ થઈ હતી આ બેઠકની.. મહત્વનું છે કે આણંદ લોકસભા બેઠકની ચર્ચાઓ એટલી ના થઈ હતી.. તે સિવાય પંચમહાલ લોકસભા બેઠકની પણ એટલી ચર્ચાઓ ના થઈ હતી. વિધાનસભા ચૂંટણી વખતે જનતાએ ઉમેદવાર પર વિશ્વાસ રાખી ધારાસભ્ય બનાવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે શું લોકસભા ચૂંટણી વખતે મતદાતા તેમને સાંસદ બનાવે છે કે કેમ? પરિણામ ચોથી જૂનના રોજ આવશે..        



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.