જૂના સચિવાલયમાં લાગેલી આગમાં પોતાનો ફાયદો શોધતું કોંગ્રેસ-આપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:49:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નાની નાની વાતોમાં પણ વિવાદો છેડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો રાજકીય પાર્ટી છોડી નથી રહ્યા. ત્યારે કાલે જૂના સચિવાલય બ્લોક નં.16 માં એકા એક આગ લાગી ગઈ હતી. જેને લઈ ભાજપ પર કોંગ્રેસ આરોપ લગાવ્યા હતા અને તે બાદ આમ આદમી પાર્ટી પણ આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીનું કહેવું છે કે આ આગ લાગી નથી પરંતુ લગાવવામાં આવી છે. 

આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

ગાંધીનગર ખાતે આવેલી જૂની સચિવાલયના બ્લોક નં.16માં એકાએક આગ ફાટી નીકળી હતી. વિકાસ કમિશનર ઓફિસમાં આગ લાગતા ઓફિસમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ બળી ગયા હતા. સરકારી ફાઈલો તો બળી ગઈ પરંતુ તેની પર રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા કહ્યું કે સૌને લાગ્યું કે સામાન્ય શોર્ટસર્કિટથી આ આગ લાગી છે પરંતુ સચિવાલયના કેટલાક સૂત્રો અને આરટીઆઈના એક્ટીવીસ્ટો પાસેથી અમને જાણકારી મળી છે કે સરકારી ફાઈલો સળગાવવાનું ષડયંત્ર હતું.

કોંગ્રેસે પણ આગની ઘટના પર આપી હતી પ્રતિક્રિયા

સચિવાલયમાં લાગેલી આગ રાજનીતિમાં ગરમાવો લઈ આવી છે. જૂની સચિવાલયમાં આગેલી આગ પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે ગુજરાતમાં સરકારી ફાઈલો સળગવા લાગી છે. ચૂંટણી પહેલા લાગેલી આગ દર્શાવે છે કે ભાજપને સત્તામાંથી જવાનો અંદેશો આવી ગયો છે. આ ગભરાટમાં 27 વર્ષના ભ્રષ્ટાચારની ફાઈલો સળગી રહી છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે