જૂના સચિવાલયમાં લાગેલી આગમાં પોતાનો ફાયદો શોધતું કોંગ્રેસ-આપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:49:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નાની નાની વાતોમાં પણ વિવાદો છેડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો રાજકીય પાર્ટી છોડી નથી રહ્યા. ત્યારે કાલે જૂના સચિવાલય બ્લોક નં.16 માં એકા એક આગ લાગી ગઈ હતી. જેને લઈ ભાજપ પર કોંગ્રેસ આરોપ લગાવ્યા હતા અને તે બાદ આમ આદમી પાર્ટી પણ આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીનું કહેવું છે કે આ આગ લાગી નથી પરંતુ લગાવવામાં આવી છે. 

આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

ગાંધીનગર ખાતે આવેલી જૂની સચિવાલયના બ્લોક નં.16માં એકાએક આગ ફાટી નીકળી હતી. વિકાસ કમિશનર ઓફિસમાં આગ લાગતા ઓફિસમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ બળી ગયા હતા. સરકારી ફાઈલો તો બળી ગઈ પરંતુ તેની પર રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા કહ્યું કે સૌને લાગ્યું કે સામાન્ય શોર્ટસર્કિટથી આ આગ લાગી છે પરંતુ સચિવાલયના કેટલાક સૂત્રો અને આરટીઆઈના એક્ટીવીસ્ટો પાસેથી અમને જાણકારી મળી છે કે સરકારી ફાઈલો સળગાવવાનું ષડયંત્ર હતું.

કોંગ્રેસે પણ આગની ઘટના પર આપી હતી પ્રતિક્રિયા

સચિવાલયમાં લાગેલી આગ રાજનીતિમાં ગરમાવો લઈ આવી છે. જૂની સચિવાલયમાં આગેલી આગ પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે ગુજરાતમાં સરકારી ફાઈલો સળગવા લાગી છે. ચૂંટણી પહેલા લાગેલી આગ દર્શાવે છે કે ભાજપને સત્તામાંથી જવાનો અંદેશો આવી ગયો છે. આ ગભરાટમાં 27 વર્ષના ભ્રષ્ટાચારની ફાઈલો સળગી રહી છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .