કોંગ્રેસે લગાવ્યા ભાજપ પર આક્ષેપ, ઉચિત પગલા લેવા સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 15:52:11

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવાર રાત્રે હુમલો થયો હતો. ખેરગામમાં તેમની પર હુમલો થયા બાદ રાજકારણ ગરમાયું છે. હુમલાને કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. 72 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.


આદિવાસી સમાજને દબાવવાનો કરાયો પ્રયાસ - કોંગ્રેસ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે. અમારા સાથી અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો સમગ્ર આદિવાસી સમાજને દબાવવા માટે કરવામાં આવ્યો છે. ભાજપની દેખરેખ હેઠળ આ હુમલો થયો છે. અનંત પટેલ પર પ્રથમ વખત હુમલો નથી થયો, આવા હુમલાઓ વારંવાર થાય છે. 

72 કલાકનું સરકારને આપ્યું અલ્ટિમેટમ - કોંગ્રેસ

સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો આગળના સમયમાં રસ્તાઓ પર આદિવાસી દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે તેના માટે સરકાર જવાબદાર રહેશે. જો આ અંગે તાત્કાલિક પગલા નહીં લેવાય તો અમિત શાહના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું. અમે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.