કોંગ્રેસે લગાવ્યા ભાજપ પર આક્ષેપ, ઉચિત પગલા લેવા સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 15:52:11

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવાર રાત્રે હુમલો થયો હતો. ખેરગામમાં તેમની પર હુમલો થયા બાદ રાજકારણ ગરમાયું છે. હુમલાને કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. 72 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.


આદિવાસી સમાજને દબાવવાનો કરાયો પ્રયાસ - કોંગ્રેસ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે. અમારા સાથી અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો સમગ્ર આદિવાસી સમાજને દબાવવા માટે કરવામાં આવ્યો છે. ભાજપની દેખરેખ હેઠળ આ હુમલો થયો છે. અનંત પટેલ પર પ્રથમ વખત હુમલો નથી થયો, આવા હુમલાઓ વારંવાર થાય છે. 

72 કલાકનું સરકારને આપ્યું અલ્ટિમેટમ - કોંગ્રેસ

સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો આગળના સમયમાં રસ્તાઓ પર આદિવાસી દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે તેના માટે સરકાર જવાબદાર રહેશે. જો આ અંગે તાત્કાલિક પગલા નહીં લેવાય તો અમિત શાહના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું. અમે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .