Palanpur Bridge દુર્ઘટનાને લઈ Congress આક્રામક, Corruption મુદ્દે સરકારને ઘેરી! લખ્યું 'કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!'


  • Published By :
  • Published Date : 2023-10-26 13:21:16

ગુજરાતમાં જેમ પેપર ફૂટે છે તેવી રીતે અનેક પુલો ધરાશાયી થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં 13 જેટલા બ્રિજ તૂટી પડ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા પાલનપુર બ્રિજ તૂટી પડ્યો હતો જે નિર્માણાધીન હતો. જે બ્રિજ કામગીરી વખતે જ તૂટી પડતો હોય તે બ્રિજની ગુણવત્તા પર પણ અનેક સવાલ થાય છે. અનેક બ્રિજો ગુજરાતમાં તૂટી પડ્યા છે પરંતુ કાર્યવાહી ના નામ પર શું કરાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે તેને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને ઉઠાવી રહી છે. મુદ્દો તો ઉઠાવી રહી છે પરંતુ સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. 

ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે!

પાલનપુર બ્રિજ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. દુર્ઘટનાને લઈ લોકોમાં રોષ છે કારણ કે બ્રિજ તૂટવાની ઘટના પહેલી નથી આ, આવી તો અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં લોકોના મોત થયા છે. પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ કોન્ટ્રાક્ટરને લઈ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે એક ન્યુઝ પેપરનું કટિંગ મૂક્યું છે જેમાં કોન્ટ્રાક્ટરને લઈ માહિતી આપવામાં આવી છે. 


અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વિટ

પેપર કટિંગની સાથે અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે કમલમમાં કમિશન પહોંચાડવાથી, બ્લૈક લિસ્ટ થયેલી કંપનીને પણ સરકારી કોન્ટ્રાક્ટ મળી જાય છે. આ છે ભાજપનું વિકાસ મોડલ! મહત્વનું છે કે જે કંપનીને આ પુલ નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું છે તે કંપનીને થોડા વર્ષો પહેલા બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ કંપનીએ ફન્ડીંગ પણ કર્યું હતું. આ વાતનો ઉલ્લેખ પણ અર્જુન મોઢવાડિયાએ બીજી એક ટ્વિટમાં કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 


पालनपुर में दुर्घटनाग्रस्त ब्रिज बनाने वाली, GPC इंफ्रास्ट्रक्चर कंपनी ने भाजपा को ₹1.25 करोड़ का चुनाव फंड दिया था। इस से पहले की ब्रिज दुर्घटनाओं में भी ज्यादातर केस में ब्रिज बनाने वाली कंपनी के भाजपा अथवा भाजपा नेताओं के साथ संबंध खुलकर सामने आया है। कई केस में तो ब्लैकलिस्ट हो चुकी कंपनियों को भी ब्रिज बनाने का कॉन्ट्रैक्ट दिया गया है। मतलब स्पष्ट है, भाजपा को चुनाव फंड़ दो और भ्रष्टाचार का लाइसेंस प्राप्त करो।

ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આવી જ કંઈ કરાઈ છે ટ્વિટ

મહત્વનું છે કમિશનને લઈ કોંગ્રેસ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો ઉલ્લેખ અમિત ચાવડાએ કર્યો હતો. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે - 

કમલમ માં કમિશન પહોચાડો તો બ્લેકલિસ્ટેડ કંપની ને પણ કોન્ટ્રાક્ટ મળી જાય!

કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.