Palanpur Bridge દુર્ઘટનાને લઈ Congress આક્રામક, Corruption મુદ્દે સરકારને ઘેરી! લખ્યું 'કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!'


  • Published By :
  • Published Date : 2023-10-26 13:21:16

ગુજરાતમાં જેમ પેપર ફૂટે છે તેવી રીતે અનેક પુલો ધરાશાયી થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં 13 જેટલા બ્રિજ તૂટી પડ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા પાલનપુર બ્રિજ તૂટી પડ્યો હતો જે નિર્માણાધીન હતો. જે બ્રિજ કામગીરી વખતે જ તૂટી પડતો હોય તે બ્રિજની ગુણવત્તા પર પણ અનેક સવાલ થાય છે. અનેક બ્રિજો ગુજરાતમાં તૂટી પડ્યા છે પરંતુ કાર્યવાહી ના નામ પર શું કરાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે તેને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને ઉઠાવી રહી છે. મુદ્દો તો ઉઠાવી રહી છે પરંતુ સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. 

ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે!

પાલનપુર બ્રિજ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. દુર્ઘટનાને લઈ લોકોમાં રોષ છે કારણ કે બ્રિજ તૂટવાની ઘટના પહેલી નથી આ, આવી તો અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં લોકોના મોત થયા છે. પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ કોન્ટ્રાક્ટરને લઈ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે એક ન્યુઝ પેપરનું કટિંગ મૂક્યું છે જેમાં કોન્ટ્રાક્ટરને લઈ માહિતી આપવામાં આવી છે. 


અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વિટ

પેપર કટિંગની સાથે અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે કમલમમાં કમિશન પહોંચાડવાથી, બ્લૈક લિસ્ટ થયેલી કંપનીને પણ સરકારી કોન્ટ્રાક્ટ મળી જાય છે. આ છે ભાજપનું વિકાસ મોડલ! મહત્વનું છે કે જે કંપનીને આ પુલ નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું છે તે કંપનીને થોડા વર્ષો પહેલા બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ કંપનીએ ફન્ડીંગ પણ કર્યું હતું. આ વાતનો ઉલ્લેખ પણ અર્જુન મોઢવાડિયાએ બીજી એક ટ્વિટમાં કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 


पालनपुर में दुर्घटनाग्रस्त ब्रिज बनाने वाली, GPC इंफ्रास्ट्रक्चर कंपनी ने भाजपा को ₹1.25 करोड़ का चुनाव फंड दिया था। इस से पहले की ब्रिज दुर्घटनाओं में भी ज्यादातर केस में ब्रिज बनाने वाली कंपनी के भाजपा अथवा भाजपा नेताओं के साथ संबंध खुलकर सामने आया है। कई केस में तो ब्लैकलिस्ट हो चुकी कंपनियों को भी ब्रिज बनाने का कॉन्ट्रैक्ट दिया गया है। मतलब स्पष्ट है, भाजपा को चुनाव फंड़ दो और भ्रष्टाचार का लाइसेंस प्राप्त करो।

ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આવી જ કંઈ કરાઈ છે ટ્વિટ

મહત્વનું છે કમિશનને લઈ કોંગ્રેસ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો ઉલ્લેખ અમિત ચાવડાએ કર્યો હતો. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે - 

કમલમ માં કમિશન પહોચાડો તો બ્લેકલિસ્ટેડ કંપની ને પણ કોન્ટ્રાક્ટ મળી જાય!

કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.