Palanpur Bridge દુર્ઘટનાને લઈ Congress આક્રામક, Corruption મુદ્દે સરકારને ઘેરી! લખ્યું 'કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!'


  • Published By :
  • Published Date : 2023-10-26 13:21:16

ગુજરાતમાં જેમ પેપર ફૂટે છે તેવી રીતે અનેક પુલો ધરાશાયી થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં 13 જેટલા બ્રિજ તૂટી પડ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા પાલનપુર બ્રિજ તૂટી પડ્યો હતો જે નિર્માણાધીન હતો. જે બ્રિજ કામગીરી વખતે જ તૂટી પડતો હોય તે બ્રિજની ગુણવત્તા પર પણ અનેક સવાલ થાય છે. અનેક બ્રિજો ગુજરાતમાં તૂટી પડ્યા છે પરંતુ કાર્યવાહી ના નામ પર શું કરાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે તેને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને ઉઠાવી રહી છે. મુદ્દો તો ઉઠાવી રહી છે પરંતુ સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. 

ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે!

પાલનપુર બ્રિજ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. દુર્ઘટનાને લઈ લોકોમાં રોષ છે કારણ કે બ્રિજ તૂટવાની ઘટના પહેલી નથી આ, આવી તો અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં લોકોના મોત થયા છે. પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ કોન્ટ્રાક્ટરને લઈ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે એક ન્યુઝ પેપરનું કટિંગ મૂક્યું છે જેમાં કોન્ટ્રાક્ટરને લઈ માહિતી આપવામાં આવી છે. 


અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વિટ

પેપર કટિંગની સાથે અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે કમલમમાં કમિશન પહોંચાડવાથી, બ્લૈક લિસ્ટ થયેલી કંપનીને પણ સરકારી કોન્ટ્રાક્ટ મળી જાય છે. આ છે ભાજપનું વિકાસ મોડલ! મહત્વનું છે કે જે કંપનીને આ પુલ નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું છે તે કંપનીને થોડા વર્ષો પહેલા બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ કંપનીએ ફન્ડીંગ પણ કર્યું હતું. આ વાતનો ઉલ્લેખ પણ અર્જુન મોઢવાડિયાએ બીજી એક ટ્વિટમાં કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 


पालनपुर में दुर्घटनाग्रस्त ब्रिज बनाने वाली, GPC इंफ्रास्ट्रक्चर कंपनी ने भाजपा को ₹1.25 करोड़ का चुनाव फंड दिया था। इस से पहले की ब्रिज दुर्घटनाओं में भी ज्यादातर केस में ब्रिज बनाने वाली कंपनी के भाजपा अथवा भाजपा नेताओं के साथ संबंध खुलकर सामने आया है। कई केस में तो ब्लैकलिस्ट हो चुकी कंपनियों को भी ब्रिज बनाने का कॉन्ट्रैक्ट दिया गया है। मतलब स्पष्ट है, भाजपा को चुनाव फंड़ दो और भ्रष्टाचार का लाइसेंस प्राप्त करो।

ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આવી જ કંઈ કરાઈ છે ટ્વિટ

મહત્વનું છે કમિશનને લઈ કોંગ્રેસ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો ઉલ્લેખ અમિત ચાવડાએ કર્યો હતો. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે - 

કમલમ માં કમિશન પહોચાડો તો બ્લેકલિસ્ટેડ કંપની ને પણ કોન્ટ્રાક્ટ મળી જાય!

કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.