Palanpur Bridge દુર્ઘટનાને લઈ Congress આક્રામક, Corruption મુદ્દે સરકારને ઘેરી! લખ્યું 'કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!'


  • Published By :
  • Published Date : 2023-10-26 13:21:16

ગુજરાતમાં જેમ પેપર ફૂટે છે તેવી રીતે અનેક પુલો ધરાશાયી થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં 13 જેટલા બ્રિજ તૂટી પડ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા પાલનપુર બ્રિજ તૂટી પડ્યો હતો જે નિર્માણાધીન હતો. જે બ્રિજ કામગીરી વખતે જ તૂટી પડતો હોય તે બ્રિજની ગુણવત્તા પર પણ અનેક સવાલ થાય છે. અનેક બ્રિજો ગુજરાતમાં તૂટી પડ્યા છે પરંતુ કાર્યવાહી ના નામ પર શું કરાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે તેને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને ઉઠાવી રહી છે. મુદ્દો તો ઉઠાવી રહી છે પરંતુ સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. 

ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે!

પાલનપુર બ્રિજ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. દુર્ઘટનાને લઈ લોકોમાં રોષ છે કારણ કે બ્રિજ તૂટવાની ઘટના પહેલી નથી આ, આવી તો અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં લોકોના મોત થયા છે. પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ કોન્ટ્રાક્ટરને લઈ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે એક ન્યુઝ પેપરનું કટિંગ મૂક્યું છે જેમાં કોન્ટ્રાક્ટરને લઈ માહિતી આપવામાં આવી છે. 


અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વિટ

પેપર કટિંગની સાથે અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે કમલમમાં કમિશન પહોંચાડવાથી, બ્લૈક લિસ્ટ થયેલી કંપનીને પણ સરકારી કોન્ટ્રાક્ટ મળી જાય છે. આ છે ભાજપનું વિકાસ મોડલ! મહત્વનું છે કે જે કંપનીને આ પુલ નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું છે તે કંપનીને થોડા વર્ષો પહેલા બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ કંપનીએ ફન્ડીંગ પણ કર્યું હતું. આ વાતનો ઉલ્લેખ પણ અર્જુન મોઢવાડિયાએ બીજી એક ટ્વિટમાં કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 


पालनपुर में दुर्घटनाग्रस्त ब्रिज बनाने वाली, GPC इंफ्रास्ट्रक्चर कंपनी ने भाजपा को ₹1.25 करोड़ का चुनाव फंड दिया था। इस से पहले की ब्रिज दुर्घटनाओं में भी ज्यादातर केस में ब्रिज बनाने वाली कंपनी के भाजपा अथवा भाजपा नेताओं के साथ संबंध खुलकर सामने आया है। कई केस में तो ब्लैकलिस्ट हो चुकी कंपनियों को भी ब्रिज बनाने का कॉन्ट्रैक्ट दिया गया है। मतलब स्पष्ट है, भाजपा को चुनाव फंड़ दो और भ्रष्टाचार का लाइसेंस प्राप्त करो।

ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આવી જ કંઈ કરાઈ છે ટ્વિટ

મહત્વનું છે કમિશનને લઈ કોંગ્રેસ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો ઉલ્લેખ અમિત ચાવડાએ કર્યો હતો. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે - 

કમલમ માં કમિશન પહોચાડો તો બ્લેકલિસ્ટેડ કંપની ને પણ કોન્ટ્રાક્ટ મળી જાય!

કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.