Chaitar Vasavaના કેસ મુદ્દે Congress આક્રામક જ્યારે AAP ઠંડી! શું AAPનાં નેતાઓને લાગે છે આ ડર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 13:57:08

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે અને ચૈતર વસાવાની શોધખોળ ચાલી રહી છે. અનેક સમય વિત્યો પરંતુ ચૈતર વસાવા હજી પોલીસને પકડની બહાર છે. ચૈતર વસાવાના સમર્થનમાં કેમ્પેઈન ચલાવ્યું પરંતુ તે બાદ આ મામલે તે નિષ્ક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપ દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવી નથી રહ્યું. આપ આ મામલે કંઈ નથી કરી રહ્યું પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે.   

આપ દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ હવે!

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપ દ્વારા રેલી કાઢવામાં આવી. ચૈતર વસાવાના સપોર્ટમાં કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ આ મામલે આપ એટલી આક્રામક નથી દેખાઈ જેટલા આક્રામક કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દેખાઈ રહ્યા છે.  આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ આ મામલે વધારે આક્રામક દેખાઈ નથી રહ્યા. શરૂ શરૂમાં જ્યારે કેસ થયો ત્યારે આપના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા. પરંતુ ધીરે ધીરે આ પણ આપ દ્વારા બંધ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાને સમર્થનમાં નિવદેન  


અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાના સમર્થનમાં નિવદેન 

ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણી આવ્યા છે. અનંત પટેલે તો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. થોડા સમય પહેલા પણ તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેવી રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેવો અવાજ કદાચ  આમ આદમી પાર્ટીને ઉઠાવવો જોઈએ! થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં ફરી એક વખત અનંત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.      



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.