Chaitar Vasavaના કેસ મુદ્દે Congress આક્રામક જ્યારે AAP ઠંડી! શું AAPનાં નેતાઓને લાગે છે આ ડર?


  • Published By :
  • Published Date : 2023-11-18 13:57:08

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે અને ચૈતર વસાવાની શોધખોળ ચાલી રહી છે. અનેક સમય વિત્યો પરંતુ ચૈતર વસાવા હજી પોલીસને પકડની બહાર છે. ચૈતર વસાવાના સમર્થનમાં કેમ્પેઈન ચલાવ્યું પરંતુ તે બાદ આ મામલે તે નિષ્ક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપ દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવી નથી રહ્યું. આપ આ મામલે કંઈ નથી કરી રહ્યું પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે.   

આપ દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ હવે!

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપ દ્વારા રેલી કાઢવામાં આવી. ચૈતર વસાવાના સપોર્ટમાં કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ આ મામલે આપ એટલી આક્રામક નથી દેખાઈ જેટલા આક્રામક કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દેખાઈ રહ્યા છે.  આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ આ મામલે વધારે આક્રામક દેખાઈ નથી રહ્યા. શરૂ શરૂમાં જ્યારે કેસ થયો ત્યારે આપના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા. પરંતુ ધીરે ધીરે આ પણ આપ દ્વારા બંધ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાને સમર્થનમાં નિવદેન  


અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાના સમર્થનમાં નિવદેન 

ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણી આવ્યા છે. અનંત પટેલે તો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. થોડા સમય પહેલા પણ તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેવી રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેવો અવાજ કદાચ  આમ આદમી પાર્ટીને ઉઠાવવો જોઈએ! થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં ફરી એક વખત અનંત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.