હિમાચલ પ્રદેશ ચૂંટણી મામલે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 22:32:27

હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના 46 ઉમેદવારોની પહેલી લિસ્ટ બહાર પાડી દીધી છે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશમાં મત ગણતરી થવા જઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં 68 સીટ પર 12 નવેમ્બરે મતદાન થશે. 


કોંગ્રેસે પોતાના કયા મૂરતિયાને મેદાને ઉતાર્યા?

કોંગ્રેસે ધર્મશાળામાં સુધીર શર્માને ટિકિટ આપી છે, મંડીમાં ચંપા ઠાકુરને ટિકિટ આપી છે, ડલહૌજીથી સુખવિંદર સુખૂ નાદૌનથી ચૂંટણી લડશે, હરોલીથી મુકેશ અગ્નિહોત્રી ચૂંટણી લડશે, કુલ્લુથી સુંદર ઠાકુરને ટિકિટ મળી છે, હિમાચલ પ્રદેશના ડલહૌજીથી આશાકુમારીને ટિકિટ મળી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે પોતાના હાલના 20 ધારાસભ્યોમાંથી 19 ટિકિટ આપ્યા છે. કોંગ્રેસે પોતાના સાત પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નાખી છે. 





ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.