Congressએ Rajasthan માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો Rajasthanની જનતાને Congressએ શું કર્યા વાયદા?


  • Published By :
  • Published Date : 2023-11-21 13:00:12

થોડા દિવસો બાદ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 25 નવેમ્બરે ત્યાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણા પત્ર જાહેર કર્યો છે જેમાં રાજસ્થાનની જનતાને અનેક વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ચાર લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે, મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મલ્લિકાર્જુન ખડેગેએ ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે. મેનિફેસ્ટોમાં મતદાતાઓને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ યોજનાઓની, વિવિધ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા થોડા સમય પહેલા ચૂંટણી ઢંઢેરાની ઘોષણા કરવામાં આવી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે યુવાનોને, મહિલાઓની સુરક્ષા અંગે તેમજ ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. 


મહિલાની સુરક્ષા માટે કરાશે આ કામ 

જયપુરના પાર્ટી કાર્યાલયથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા અનેક  વાયદા કરવામાં આવ્યા છે જેમાં 4 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ સિવાય પરિવહનમાં મુસાફરી ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડની નિમણૂંક કરવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.