Congressએ Rajasthan માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો Rajasthanની જનતાને Congressએ શું કર્યા વાયદા?


  • Published By :
  • Published Date : 2023-11-21 13:00:12

થોડા દિવસો બાદ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 25 નવેમ્બરે ત્યાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણા પત્ર જાહેર કર્યો છે જેમાં રાજસ્થાનની જનતાને અનેક વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ચાર લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે, મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મલ્લિકાર્જુન ખડેગેએ ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે. મેનિફેસ્ટોમાં મતદાતાઓને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ યોજનાઓની, વિવિધ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા થોડા સમય પહેલા ચૂંટણી ઢંઢેરાની ઘોષણા કરવામાં આવી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે યુવાનોને, મહિલાઓની સુરક્ષા અંગે તેમજ ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. 


મહિલાની સુરક્ષા માટે કરાશે આ કામ 

જયપુરના પાર્ટી કાર્યાલયથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા અનેક  વાયદા કરવામાં આવ્યા છે જેમાં 4 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ સિવાય પરિવહનમાં મુસાફરી ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડની નિમણૂંક કરવામાં આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી