Congressએ Rajasthan માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો Rajasthanની જનતાને Congressએ શું કર્યા વાયદા?


  • Published By :
  • Published Date : 2023-11-21 13:00:12

થોડા દિવસો બાદ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 25 નવેમ્બરે ત્યાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણા પત્ર જાહેર કર્યો છે જેમાં રાજસ્થાનની જનતાને અનેક વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ચાર લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે, મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મલ્લિકાર્જુન ખડેગેએ ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે. મેનિફેસ્ટોમાં મતદાતાઓને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ યોજનાઓની, વિવિધ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા થોડા સમય પહેલા ચૂંટણી ઢંઢેરાની ઘોષણા કરવામાં આવી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે યુવાનોને, મહિલાઓની સુરક્ષા અંગે તેમજ ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. 


મહિલાની સુરક્ષા માટે કરાશે આ કામ 

જયપુરના પાર્ટી કાર્યાલયથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા અનેક  વાયદા કરવામાં આવ્યા છે જેમાં 4 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ સિવાય પરિવહનમાં મુસાફરી ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડની નિમણૂંક કરવામાં આવશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.