Congressએ Rajasthan માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો Rajasthanની જનતાને Congressએ શું કર્યા વાયદા?


  • Published By :
  • Published Date : 2023-11-21 13:00:12

થોડા દિવસો બાદ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 25 નવેમ્બરે ત્યાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણા પત્ર જાહેર કર્યો છે જેમાં રાજસ્થાનની જનતાને અનેક વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ચાર લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે, મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મલ્લિકાર્જુન ખડેગેએ ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે. મેનિફેસ્ટોમાં મતદાતાઓને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ યોજનાઓની, વિવિધ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા થોડા સમય પહેલા ચૂંટણી ઢંઢેરાની ઘોષણા કરવામાં આવી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે યુવાનોને, મહિલાઓની સુરક્ષા અંગે તેમજ ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. 


મહિલાની સુરક્ષા માટે કરાશે આ કામ 

જયપુરના પાર્ટી કાર્યાલયથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા અનેક  વાયદા કરવામાં આવ્યા છે જેમાં 4 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ સિવાય પરિવહનમાં મુસાફરી ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડની નિમણૂંક કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.