Loksabha Election માટે Congressએ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી, જાણો શા માટે Rahul Gandhi વાયનાડથી લડી રહ્યા છે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-09 10:17:15

ગઈકાલે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. 39 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેરાત કરવામાં આવી છે. જે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી ગુજરાતની એક પણ બેઠક માટે નામ નથી જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા સમજી વિચારીને ઉમેદવારના નામોને જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીને લઈ કોંગ્રેસ ગંભીર છે તે વાત ઉમેદવારોના નામ પરથી લાગી રહ્યું છે. સમજી વિચારીને , જાતિગત ગણતરી કરીને લોકસભા સીટ માટે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા. 

વાયનાડથી રાહુલ ગાંધી લડશે ચૂંટણી

પહેલી યાદીમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, ભૂપેશ બાઘેલના નામનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ, સિક્કિમ અને મેઘાલયના કેટલાક ઉમેદવારોના નામ છે. એવું લાગતું હતું કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં બે મોટા નામ હતા - કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધી અને છત્તીસગઢની રાજનાદગાંવ સીટથી રાજ્યના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના છે પરંતુ ગયા વર્ષે રાહુલ ગાંધીએ બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રાહુલે 2019માં વાયનાડથી ચૂંટણી પણ લડી હતી અને જીત પણ મેળવી હતી. એ જ વર્ષે રાહુલ તેમના જૂના ગઢ માનવામાં આવતા અમેઠીમાંથી ચૂંટણી હારી ગયા હતા. 



ગઈકાલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોના નામની જાહેરાત

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. સંભાવના છે કે 13 કે 14 માર્ચ બાદ ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરે અને તારીખો અંગેની ઘોષણા કરી શકે છે. જેવી રીતે ચૂંટણીની તારીખોની ઈન્તેઝારી છે તેવી રીતે ઉમેદવારોના નામનો પણ મતદાતાઓમાં ઉત્સાહ છે. ગયા શનિવારે ભાજપ દ્વારા 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી આવી હતી જેમાં 39 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતની એક પણ બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી છે તો શશી થરૂરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભૂપેશ બાઘેલના નામનો પણ સમાવેશ પ્રથમ યાદીમાં કરાયો છે. વાયનાડથી રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડશે, શશી થરૂર તિરૂવનંતપુરમથી તો ભૂપેશ બાઘેલ રાજનંદગાવથી ચૂંટણી લડશે. 



ભાજપે તો ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની કરી જાહેરાત 

કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે નામો છે એમાં મુખ્યત્વે એવા ચહેરા છે જેને ગુજરાતની જનતા નહીં ઓળખતી હોય. સાઉથની બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. 39 બેઠકોમાંથી 24 બેઠકો પર એસટી, એસસી અને ઓબીસી ઉમેદવારોને સીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તો હમણાં ઉમેદવારોના નામની ઘોષણા કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો ક્યારના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોના નામની જાહેરાત અમુક બેઠકો માટે કરી દીધી હતી. 



બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોરે શરૂ કરી દીધો ચૂંટણીને લઈ પ્રચાર! 

ગુજરાતના બનાસકાંઠામાં ભલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાની રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે તેવું લાગે છે. જો કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવશે તો બનાસકાંઠા લોકસભા બેઠક પર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ટક્કર થવાની છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતમાંથી કોંગ્રેસ કોને ટિકીટ આપે છે. કારણ કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ કોંગ્રેસનું પ્રભુત્વ છે.    



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.