Loksabha Election માટે Congressએ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી, જાણો શા માટે Rahul Gandhi વાયનાડથી લડી રહ્યા છે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-09 10:17:15

ગઈકાલે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. 39 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેરાત કરવામાં આવી છે. જે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી ગુજરાતની એક પણ બેઠક માટે નામ નથી જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા સમજી વિચારીને ઉમેદવારના નામોને જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીને લઈ કોંગ્રેસ ગંભીર છે તે વાત ઉમેદવારોના નામ પરથી લાગી રહ્યું છે. સમજી વિચારીને , જાતિગત ગણતરી કરીને લોકસભા સીટ માટે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા. 

વાયનાડથી રાહુલ ગાંધી લડશે ચૂંટણી

પહેલી યાદીમાં રાહુલ ગાંધી, શશિ થરૂર, ભૂપેશ બાઘેલના નામનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ, સિક્કિમ અને મેઘાલયના કેટલાક ઉમેદવારોના નામ છે. એવું લાગતું હતું કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં બે મોટા નામ હતા - કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધી અને છત્તીસગઢની રાજનાદગાંવ સીટથી રાજ્યના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના છે પરંતુ ગયા વર્ષે રાહુલ ગાંધીએ બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રાહુલે 2019માં વાયનાડથી ચૂંટણી પણ લડી હતી અને જીત પણ મેળવી હતી. એ જ વર્ષે રાહુલ તેમના જૂના ગઢ માનવામાં આવતા અમેઠીમાંથી ચૂંટણી હારી ગયા હતા. 



ગઈકાલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ઉમેદવારોના નામની જાહેરાત

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. સંભાવના છે કે 13 કે 14 માર્ચ બાદ ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરે અને તારીખો અંગેની ઘોષણા કરી શકે છે. જેવી રીતે ચૂંટણીની તારીખોની ઈન્તેઝારી છે તેવી રીતે ઉમેદવારોના નામનો પણ મતદાતાઓમાં ઉત્સાહ છે. ગયા શનિવારે ભાજપ દ્વારા 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી આવી હતી જેમાં 39 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતની એક પણ બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી છે તો શશી થરૂરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભૂપેશ બાઘેલના નામનો પણ સમાવેશ પ્રથમ યાદીમાં કરાયો છે. વાયનાડથી રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડશે, શશી થરૂર તિરૂવનંતપુરમથી તો ભૂપેશ બાઘેલ રાજનંદગાવથી ચૂંટણી લડશે. 



ભાજપે તો ઘણા સમય પહેલા ઉમેદવારોના નામની કરી જાહેરાત 

કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે નામો છે એમાં મુખ્યત્વે એવા ચહેરા છે જેને ગુજરાતની જનતા નહીં ઓળખતી હોય. સાઉથની બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. 39 બેઠકોમાંથી 24 બેઠકો પર એસટી, એસસી અને ઓબીસી ઉમેદવારોને સીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તો હમણાં ઉમેદવારોના નામની ઘોષણા કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો ક્યારના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોના નામની જાહેરાત અમુક બેઠકો માટે કરી દીધી હતી. 



બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોરે શરૂ કરી દીધો ચૂંટણીને લઈ પ્રચાર! 

ગુજરાતના બનાસકાંઠામાં ભલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાની રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે તેવું લાગે છે. જો કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવશે તો બનાસકાંઠા લોકસભા બેઠક પર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ટક્કર થવાની છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતમાંથી કોંગ્રેસ કોને ટિકીટ આપે છે. કારણ કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ કોંગ્રેસનું પ્રભુત્વ છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.