કોંગ્રેસે અડધી રાત્રે કરી ઉમેદવારોના નામની જાહેરાત - લલિત વસોયા,લલિત કગથરા,પરેશ ધાનાણીને કરાયા રિપિટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-11 09:16:06

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામ ડિક્લેર કરી દીધા છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. 

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી છે. ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 14મું લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે પણ મોડી રાત્રે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે જેમાં 46 ઉમેદવારોના નામનો ઉલ્લેખ છે. આ અગાઉ 4 નવેમ્બરના રોજ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.  

અનેક ઉમેદવારોને કરાયા છે રિપિટ

કોંગ્રેસે બીજી ઉમેદવારી લિસ્ટમાં કચ્છ-સૌરાષ્ટ્ર માટે 29 સીટો જાહેર કરી છે. જેમાંથી 17 એમએલએને રિપિટ કરાયા છે. દસાડાના નૌશાદ સોલંકી, ટંકારાના લલિત કથગરા, કાલાવડના પ્રવિણ મૂછડિયા, ચોટીલાના ઋત્વિક મકવાણા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ, ધોરાજીના લલિત વસોયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઈ જોષી, અમરેલીથી પરેશ ધાનાણી, રાજુલાના અમરિષ ડેર સહિતના ઉમેદવારોને રિપિટ કરાયા છે.      



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'