કોંગ્રેસે અડધી રાત્રે કરી ઉમેદવારોના નામની જાહેરાત - લલિત વસોયા,લલિત કગથરા,પરેશ ધાનાણીને કરાયા રિપિટ


  • Published By :
  • Published Date : 2022-11-11 09:16:06

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામ ડિક્લેર કરી દીધા છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. 

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી છે. ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 14મું લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે પણ મોડી રાત્રે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે જેમાં 46 ઉમેદવારોના નામનો ઉલ્લેખ છે. આ અગાઉ 4 નવેમ્બરના રોજ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.  

અનેક ઉમેદવારોને કરાયા છે રિપિટ

કોંગ્રેસે બીજી ઉમેદવારી લિસ્ટમાં કચ્છ-સૌરાષ્ટ્ર માટે 29 સીટો જાહેર કરી છે. જેમાંથી 17 એમએલએને રિપિટ કરાયા છે. દસાડાના નૌશાદ સોલંકી, ટંકારાના લલિત કથગરા, કાલાવડના પ્રવિણ મૂછડિયા, ચોટીલાના ઋત્વિક મકવાણા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ, ધોરાજીના લલિત વસોયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઈ જોષી, અમરેલીથી પરેશ ધાનાણી, રાજુલાના અમરિષ ડેર સહિતના ઉમેદવારોને રિપિટ કરાયા છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.