કોંગ્રેસે અડધી રાત્રે કરી ઉમેદવારોના નામની જાહેરાત - લલિત વસોયા,લલિત કગથરા,પરેશ ધાનાણીને કરાયા રિપિટ


  • Published By :
  • Published Date : 2022-11-11 09:16:06

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામ ડિક્લેર કરી દીધા છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. 

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી છે. ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 14મું લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે પણ મોડી રાત્રે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે જેમાં 46 ઉમેદવારોના નામનો ઉલ્લેખ છે. આ અગાઉ 4 નવેમ્બરના રોજ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.  

અનેક ઉમેદવારોને કરાયા છે રિપિટ

કોંગ્રેસે બીજી ઉમેદવારી લિસ્ટમાં કચ્છ-સૌરાષ્ટ્ર માટે 29 સીટો જાહેર કરી છે. જેમાંથી 17 એમએલએને રિપિટ કરાયા છે. દસાડાના નૌશાદ સોલંકી, ટંકારાના લલિત કથગરા, કાલાવડના પ્રવિણ મૂછડિયા, ચોટીલાના ઋત્વિક મકવાણા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ, ધોરાજીના લલિત વસોયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઈ જોષી, અમરેલીથી પરેશ ધાનાણી, રાજુલાના અમરિષ ડેર સહિતના ઉમેદવારોને રિપિટ કરાયા છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.