કોંગ્રેસે અડધી રાત્રે કરી ઉમેદવારોના નામની જાહેરાત - લલિત વસોયા,લલિત કગથરા,પરેશ ધાનાણીને કરાયા રિપિટ


  • Published By :
  • Published Date : 2022-11-11 09:16:06

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામ ડિક્લેર કરી દીધા છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. 

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

Congress Announced The Second List Of Candidates For The Gujarat Assembly

બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી છે. ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 14મું લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે પણ મોડી રાત્રે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે જેમાં 46 ઉમેદવારોના નામનો ઉલ્લેખ છે. આ અગાઉ 4 નવેમ્બરના રોજ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.  

અનેક ઉમેદવારોને કરાયા છે રિપિટ

કોંગ્રેસે બીજી ઉમેદવારી લિસ્ટમાં કચ્છ-સૌરાષ્ટ્ર માટે 29 સીટો જાહેર કરી છે. જેમાંથી 17 એમએલએને રિપિટ કરાયા છે. દસાડાના નૌશાદ સોલંકી, ટંકારાના લલિત કથગરા, કાલાવડના પ્રવિણ મૂછડિયા, ચોટીલાના ઋત્વિક મકવાણા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ, ધોરાજીના લલિત વસોયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઈ જોષી, અમરેલીથી પરેશ ધાનાણી, રાજુલાના અમરિષ ડેર સહિતના ઉમેદવારોને રિપિટ કરાયા છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.