મોદી સરકારના 'વ્હાઈટ પેપર' સામે કોંગ્રેસે 'બ્લેક પેપર' જાહેર કર્યું, 10 વર્ષના શાસનની ગણાવી નિષ્ફળતાઓ


  • Published By :
  • Published Date : 2024-02-08 20:52:10

કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓને બતાવતું એક બ્લેક પેપર જાહેર કર્યું છે. કોંગ્રેસે પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે બ્લેક પેપર જાહેર કર્યું જેમાં મોંઘવારી, બેરોજગારી, સામાજીક ન્યાય, ખેડૂતો અને અન્ય વિષયો પર સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે આ બ્લેક પેપર જાહેર કર્યું , પાર્ટીએ તેને '10 વર્ષનો અન્યાય કાળ' નામ આપ્યું છે. કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર તેની નિષ્ફળતાઓને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.


કોંગ્રેસના બ્લેક પેપરમાં શું ઘટસ્ફોટ કરાયો? 


કોંગ્રેસે આંકડાઓ રજૂ કરતા કહ્યું કે, ભાજપના કાર્યકાળમાં બેરોજગારી 45 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. 2012માં બેરોજગારી એક કરોડ હતી, જે વધીને 2022માં લગભગ 4 કરોડ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારની 10 લાખ મંજૂર થયેલી જગ્યાઓ ખાલી છે.


સ્નાતક અને અનુસ્નાતકોના કિસ્સામાં બેરોજગારીનો દર 33 ટકા છે. દર ત્રણમાંથી એક યુવક નોકરીની શોધમાં છે. દર કલાકે બે બેરોજગાર લોકો આત્મહત્યા કરી રહ્યા છે.


વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત મે 2014ની તુલનામાં વર્ષ 2024ના વર્તમાન સમયમાં 20 ટકાનો ઘટાડો થયો છે. કિંમતો 100 ડોલરથી ઘટીને 79 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. આમ છતાં મોદી સરકાર એલપીજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરે છે, જેના કારણે અન્ય તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ છે.


PM મોદીએ તેમના પૂંજીપતિ મિત્રોને સમૃદ્ધ બનાવવા માટે સંસદ દ્વારા ત્રણ કૃષિ કાયદા પસાર કરવ્યા હતા. આ કાળા કાયદા સામે અવાજ ઉઠાવતા 700 ખેડૂતો શહીદ થયા હતા. PM પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓએ 40 હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે, જ્યારે દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે.


મહિલાઓ સાથેના અન્યાય પર કોંગ્રેસે બ્લેક પેપરમાં કહ્યું કે 2022માં ભારતમાં બળાત્કારના કુલ 31,516 કેસ નોંધાયા છે. આ સરેરાશ આંકડો પ્રતિ દિવસના હિસાબથી 86 જેટલો થાય છે. બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે. જ્યારે ગુનેગારોને દોષિત ઠેરવવાનો દર ઘણો ઓછો માત્ર 27.4 ટકા જ છે.


આજે ચીને આપણી સેંકડો કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો છે, પરંતુ મોદી સરકાર મૌન છે. ઉપરાંત અગ્નિપથ જેવી યોજનાઓ લાવીને સેનાને નબળી કરી છે. આનાથી આપણા યુવા દેશભક્તોનું મનોબળ તુટ્યું છે.


કોંગ્રેસે કહ્યું કે 2013ની સરખામણીમાં 2022માં SC-ST સમુદાયો સામેના ગુનાઓમાં 48 ટકાનો વધારો થયો છે. 


ઓબીસીની ગણતરી કરવા માટે સામાજિક-આર્થિક-જાતિની વસ્તી ગણતરી કરવાનો સરકારનો ઇનકાર એ લોકોનું અપમાન છે જેમને નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વથી વંચીત રાખવામાં આવે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.