કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો કર્યો વાયદો


  • Published By :
  • Published Date : 2022-11-12 13:45:00

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. હજી સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં શિક્ષણ, મોંઘવારી, રોજગાર, મહિલા સુરક્ષા, ખેડૂત લક્ષી સહિત અનેક મુદ્દાઓને આવરી લીધા છે.

Image

Image

Image

Image


વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરાશે 

અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ઘોષણા પત્ર જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે જગદીશ ઠાકોર, રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસ આ વખતે 125 સીટથી સરકાર બનાવી રહી છે. પોતાના ઢંઢેરામાં પાર્ટીએ ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટે પ્રયાસ હાથ ધરાશે.

Image

Image

moterastadiumLLF8.jpg

મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે 

કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં જાહેર કર્યું છે કે પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન સ્થાપિત કરવાનો વાયદો આપ્યો છે. ઉપરાંત મોટેરા સ્ટેડિયમનું નામ ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ નામ કરવામાં આવશે. ઉપરાંત મહિલા સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ સૌથી ચર્ચિત બિલ્કીસ બાનુ કેસના આરોપીઓને સજા માફ કરવાના નિર્ણયને રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"