કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો કર્યો વાયદો


  • Published By :
  • Published Date : 2022-11-12 13:45:00

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. હજી સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં શિક્ષણ, મોંઘવારી, રોજગાર, મહિલા સુરક્ષા, ખેડૂત લક્ષી સહિત અનેક મુદ્દાઓને આવરી લીધા છે.

Image

Image

Image

Image


વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરાશે 

અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ઘોષણા પત્ર જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે જગદીશ ઠાકોર, રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસ આ વખતે 125 સીટથી સરકાર બનાવી રહી છે. પોતાના ઢંઢેરામાં પાર્ટીએ ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટે પ્રયાસ હાથ ધરાશે.

Image

Image

moterastadiumLLF8.jpg

મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે 

કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં જાહેર કર્યું છે કે પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન સ્થાપિત કરવાનો વાયદો આપ્યો છે. ઉપરાંત મોટેરા સ્ટેડિયમનું નામ ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ નામ કરવામાં આવશે. ઉપરાંત મહિલા સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ સૌથી ચર્ચિત બિલ્કીસ બાનુ કેસના આરોપીઓને સજા માફ કરવાના નિર્ણયને રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.