કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો કર્યો વાયદો


  • Published By :
  • Published Date : 2022-11-12 13:45:00

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. હજી સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં શિક્ષણ, મોંઘવારી, રોજગાર, મહિલા સુરક્ષા, ખેડૂત લક્ષી સહિત અનેક મુદ્દાઓને આવરી લીધા છે.

Image

Image

Image

Image


વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરાશે 

અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ઘોષણા પત્ર જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે જગદીશ ઠાકોર, રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસ આ વખતે 125 સીટથી સરકાર બનાવી રહી છે. પોતાના ઢંઢેરામાં પાર્ટીએ ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટે પ્રયાસ હાથ ધરાશે.

Image

Image

moterastadiumLLF8.jpg

મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે 

કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં જાહેર કર્યું છે કે પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન સ્થાપિત કરવાનો વાયદો આપ્યો છે. ઉપરાંત મોટેરા સ્ટેડિયમનું નામ ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ નામ કરવામાં આવશે. ઉપરાંત મહિલા સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ સૌથી ચર્ચિત બિલ્કીસ બાનુ કેસના આરોપીઓને સજા માફ કરવાના નિર્ણયને રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.