Congressએ સરકારને પૂછ્યો સવાલ, કોંગ્રેસે પૂછ્યું કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-23 18:30:12

શિક્ષણનું સ્તર સતત ઘટતું જઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની અછત છે શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી, તો બીજી તરફ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરી રહી નથી. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ટેટ ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સમક્ષ રજૂઆત કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. 

સરકારને કોંગ્રેસે પૂછ્યો એક સવાલ 

ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાંય તેમની વાત સાંભળવા કોઈ મંજૂર નથી. સરકારની સમક્ષ જ્યારે પોતાની વાત કરવા માટે જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. થોડા સમય પહેલા પણ રજૂઆત કરવા જ્યારે ઉમેદવારો ગયા હતા ત્યારે તેમને સચિવાલય સુધી પહોંચવા ન દીધા હતા. તેની પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. કાયમી ભરતી કરવા માટે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે. ૮૦,૦૦૦ થી વધુ પદો શિક્ષકોની કાયમી ભરતી માટે પ્રતિક્ષામાં છે તો આ કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ? 

જ્ઞાન સહાયકનું ફોર્મ ન ભરવા માટે યુવરાજસિંહ જાડેજાએ કરી અપીલ 

યુવરાજસિંહ પણ ટેટ ટાટના સમર્થનમાં આવ્યા છે. ઉમેદવારોને એક અપીલ કરી છે.  ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે આવનાર દિવસોમાં જ્યારે જ્ઞાનસહાયક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્ઞાન સહાયકમાં ફોર્મ ન ભરે. અને આપણે કાયમી શિક્ષક બનવા માગીએ છીએ તો, એવા રચનાત્મક કાર્યક્રમો આપીએ જેથી કરીને કાયમી શિક્ષકોની જરૂરિયાત શું છે એ સમજી શકાય.    



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે