Congressએ સરકારને પૂછ્યો સવાલ, કોંગ્રેસે પૂછ્યું કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ?


  • Published By :
  • Published Date : 2023-08-23 18:30:12

શિક્ષણનું સ્તર સતત ઘટતું જઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની અછત છે શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી, તો બીજી તરફ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરી રહી નથી. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ટેટ ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સમક્ષ રજૂઆત કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. 

સરકારને કોંગ્રેસે પૂછ્યો એક સવાલ 

ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાંય તેમની વાત સાંભળવા કોઈ મંજૂર નથી. સરકારની સમક્ષ જ્યારે પોતાની વાત કરવા માટે જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. થોડા સમય પહેલા પણ રજૂઆત કરવા જ્યારે ઉમેદવારો ગયા હતા ત્યારે તેમને સચિવાલય સુધી પહોંચવા ન દીધા હતા. તેની પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. કાયમી ભરતી કરવા માટે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે. ૮૦,૦૦૦ થી વધુ પદો શિક્ષકોની કાયમી ભરતી માટે પ્રતિક્ષામાં છે તો આ કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ? 

જ્ઞાન સહાયકનું ફોર્મ ન ભરવા માટે યુવરાજસિંહ જાડેજાએ કરી અપીલ 

યુવરાજસિંહ પણ ટેટ ટાટના સમર્થનમાં આવ્યા છે. ઉમેદવારોને એક અપીલ કરી છે.  ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે આવનાર દિવસોમાં જ્યારે જ્ઞાનસહાયક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્ઞાન સહાયકમાં ફોર્મ ન ભરે. અને આપણે કાયમી શિક્ષક બનવા માગીએ છીએ તો, એવા રચનાત્મક કાર્યક્રમો આપીએ જેથી કરીને કાયમી શિક્ષકોની જરૂરિયાત શું છે એ સમજી શકાય.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.