ભાજપ સરકારની સંવેદનશીલતા પર Congressએ કર્યા પ્રહાર! કોંગ્રેસે જણાવ્યું છેલ્લા એક વર્ષમાં કેટલા પરિવારોએ જીવન ટૂંકાવ્યું છે?


  • Published By :
  • Published Date : 2024-01-04 13:27:15

આજના આ આધુનિક યુગમાં દરેક માણસને સફળ થવું છે. લોકોએ મોટા સપનાઓ પણ જોવા હોય છે પોતાના કેરિયરને લઈ, બિઝનેસને લઈ... પરંતુ જ્યારે આ સપનાઓ પૂરા ન થાય તો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. આર્થિક અથડામણને કારણે, અસમાનતાને કારણે, સામાજીક અસુરક્ષા જેવા અનેક કારણો હોય છે આત્મહત્યા કરવા પાછળ... વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. માતા પિતાની આશાઓ, ભણવાનું ભારણ, નપાસ થવાનો ડર જેવા અનેક મુદ્દાઓ હોય છે જેને કારણે વિદ્યાર્થીઓ હિંમત હારી જાય અને જીવનને ટૂંકાવી દે છે. 

અમદાવાદમાં અટલ બ્રિજ પરથી કૂદી યુવાનનો આપઘાત | Sandesh


વર્ષ 2022માં 13 પરિવારોએ કર્યું સામુહિક આપઘાત!

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા માહિતી આપવામાં આવી જેમાં સામૂહિક આપઘાત કેટલા પરિવારોએ કર્યા તે બતાવવામાં આવ્યું છે. ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૧૩ થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ - પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ ૨૦૨૨માં ૧,૭૦,૦૦૦ નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે ૫૫,૦૦૦ જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.

વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા

મહત્વનું છે કે અનેક પરિવારો એવા હોય છે જે રોજનું કમાઈને ખાતા હોય છે. જો એક દિવસ તેમને કામ ન મળે તો તેમના પરિવારને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારઓએ સામુહિક આપઘાત કરી લીધો છે. મનીષ દોશીની જાણકારી સાથે કોંગ્રેસે ટ્વિટ કર્યું કે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પણ તેમના જીવનને ટૂંકાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કારણોસર 3740 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કોઈ સોલ્યુશન નથી મુસીબતનું...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.