ભાજપ સરકારની સંવેદનશીલતા પર Congressએ કર્યા પ્રહાર! કોંગ્રેસે જણાવ્યું છેલ્લા એક વર્ષમાં કેટલા પરિવારોએ જીવન ટૂંકાવ્યું છે?


  • Published By :
  • Published Date : 2024-01-04 13:27:15

આજના આ આધુનિક યુગમાં દરેક માણસને સફળ થવું છે. લોકોએ મોટા સપનાઓ પણ જોવા હોય છે પોતાના કેરિયરને લઈ, બિઝનેસને લઈ... પરંતુ જ્યારે આ સપનાઓ પૂરા ન થાય તો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. આર્થિક અથડામણને કારણે, અસમાનતાને કારણે, સામાજીક અસુરક્ષા જેવા અનેક કારણો હોય છે આત્મહત્યા કરવા પાછળ... વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. માતા પિતાની આશાઓ, ભણવાનું ભારણ, નપાસ થવાનો ડર જેવા અનેક મુદ્દાઓ હોય છે જેને કારણે વિદ્યાર્થીઓ હિંમત હારી જાય અને જીવનને ટૂંકાવી દે છે. 

અમદાવાદમાં અટલ બ્રિજ પરથી કૂદી યુવાનનો આપઘાત | Sandesh


વર્ષ 2022માં 13 પરિવારોએ કર્યું સામુહિક આપઘાત!

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા માહિતી આપવામાં આવી જેમાં સામૂહિક આપઘાત કેટલા પરિવારોએ કર્યા તે બતાવવામાં આવ્યું છે. ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૧૩ થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ - પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ ૨૦૨૨માં ૧,૭૦,૦૦૦ નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે ૫૫,૦૦૦ જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.

વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા

મહત્વનું છે કે અનેક પરિવારો એવા હોય છે જે રોજનું કમાઈને ખાતા હોય છે. જો એક દિવસ તેમને કામ ન મળે તો તેમના પરિવારને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારઓએ સામુહિક આપઘાત કરી લીધો છે. મનીષ દોશીની જાણકારી સાથે કોંગ્રેસે ટ્વિટ કર્યું કે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પણ તેમના જીવનને ટૂંકાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કારણોસર 3740 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કોઈ સોલ્યુશન નથી મુસીબતનું...  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે