ભાજપ સરકારની સંવેદનશીલતા પર Congressએ કર્યા પ્રહાર! કોંગ્રેસે જણાવ્યું છેલ્લા એક વર્ષમાં કેટલા પરિવારોએ જીવન ટૂંકાવ્યું છે?


  • Published By :
  • Published Date : 2024-01-04 13:27:15

આજના આ આધુનિક યુગમાં દરેક માણસને સફળ થવું છે. લોકોએ મોટા સપનાઓ પણ જોવા હોય છે પોતાના કેરિયરને લઈ, બિઝનેસને લઈ... પરંતુ જ્યારે આ સપનાઓ પૂરા ન થાય તો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. આર્થિક અથડામણને કારણે, અસમાનતાને કારણે, સામાજીક અસુરક્ષા જેવા અનેક કારણો હોય છે આત્મહત્યા કરવા પાછળ... વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. માતા પિતાની આશાઓ, ભણવાનું ભારણ, નપાસ થવાનો ડર જેવા અનેક મુદ્દાઓ હોય છે જેને કારણે વિદ્યાર્થીઓ હિંમત હારી જાય અને જીવનને ટૂંકાવી દે છે. 

અમદાવાદમાં અટલ બ્રિજ પરથી કૂદી યુવાનનો આપઘાત | Sandesh


વર્ષ 2022માં 13 પરિવારોએ કર્યું સામુહિક આપઘાત!

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા માહિતી આપવામાં આવી જેમાં સામૂહિક આપઘાત કેટલા પરિવારોએ કર્યા તે બતાવવામાં આવ્યું છે. ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૧૩ થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ - પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ ૨૦૨૨માં ૧,૭૦,૦૦૦ નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે ૫૫,૦૦૦ જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.

વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા

મહત્વનું છે કે અનેક પરિવારો એવા હોય છે જે રોજનું કમાઈને ખાતા હોય છે. જો એક દિવસ તેમને કામ ન મળે તો તેમના પરિવારને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારઓએ સામુહિક આપઘાત કરી લીધો છે. મનીષ દોશીની જાણકારી સાથે કોંગ્રેસે ટ્વિટ કર્યું કે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પણ તેમના જીવનને ટૂંકાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કારણોસર 3740 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કોઈ સોલ્યુશન નથી મુસીબતનું...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.