કિરણ પટેલ મુદ્દે ભાજપને ઘેરવાનો કોંગ્રેસનો પ્રયાસ, બેનરોમાં લખ્યું કિરણ તારા લાંબા હાથ CMO-PMOનો પૂરો સાથ


  • Published By :
  • Published Date : 2023-03-28 14:48:10

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્રની કાર્યવાહી દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કિરણ પટેલને લઈ હાથમાં પ્લેકાર્ડ લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે સત્રની સમાપ્તિ સુધી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે કિરણ પટેલનો મુદ્દો અમે ઉઠાવવાના હોવાથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો  

કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દે જેપીસીની માગ કરવામાં આવી રહી છે. અદાણીનો મુદ્દો સંસદમાં ઉઠ્યો હતો જ્યારે ગુજરાત વિધાનસભામાં પણ અનેક વખત આ મુદ્દો ઉઠ્યો છે. ત્યારે તાજેતરમાં જ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થયું છે. જેનો વિરોધ કરવા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ સાંસદો દ્વારા ગઈકાલે કાળા કપડા પહેરી કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

Gujarat Assembly:  Congress protest on the issue ofKiran Patel in the assembly premises Gandhinagar: વિધાનસભા પરિસરમાં કોંગ્રેસનો મહાઠગ કિરણ પટેલ મુદ્દે વિરોધ

પ્લેકાર્ડ લઈ કિરણ પટેલને લઈ કર્યો વિરોધ 

અદાણી સિવાય મહાઠગ કિરણ પટેલનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠ્યો હતો. હાથમાં પ્લેકાર્ડ લઈ કિરણ પટેલને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માગ કરી હતી કે ગૃહમાં મહાઠગ કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવામાં આવે.  


ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન 

આ મામલે ગેનીબહેન ઠાકોરે કહ્યું કે આજે અમે કિરણ પટેલ અંગે ગૃહમાં ચર્ચા કરવા માગતા હતા. મુખ્યમંત્રી, સીએમઓ, પીએમઓને ઓવરટેક કરીને કંઈ રીતે ઝેડ પ્લ્સ સુરક્ષા મેળવી હતી. તેમને ખબર જ ન હતી. આ બધું જ ગરીબોના પૈસા ઠગીને મહાઠગે જલસા કર્યા છે. સત્ર દરમિયાન અમને સસ્પેન્ડ કરાયા છે.       


ચર્ચા ન થાય તે માટે અમને કરાયા સસ્પેન્ડ - કોંગ્રેસના ધારાસભ્યો  

તે સિવાય અર્જૂન મોઢવાડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે મહાઠગ કિરણ મુદ્દે ચર્ચા  કરવા 116ની નોટીસ આપી છે. આ ચર્ચા ન થાય તે માટે અમને સત્ર પૂરૂ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દુર્ભાગ્યપણે સરકાર ડબલ એન્જિન ગણાવે છે પણ ડબલ એન્જિન સરકારના વહીવટદાર મહાઠગ કિરણ પટેલ છે. જે સીએમઓ અને પીએમઓ જ ચલાવે છે.


સી.જે.ચાવડાએ આપ્યું નિવેદન 

તે સિવાય સી.જે ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કિરણ પટેલે સત્તાનો દુરૂપયોગ સીએમઓ અને પીએમઓમાંથી થયો છે. કોઈકની મહેરબાનીથી આ બધું થયું છે. આની તપાસ થશે એટલે જવાબ સામે આવી જશે, તેમાં મોટા મોટા માથાનો ખુલાસો થઈ શકે છે. આમને ખબર હતી કે આ લોકો અદાણી સુધી આવ્યા પછી, કિરણ પટેલ, પછી પીએમઓ અને સીએમઓ સુધી આવશે. એટલે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગની પત્ની માલિની પટેલની ધરપકડ કરી લીધી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.