Congressના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ - કોંગ્રેસે કર્યો દાવો, જાણો આ મામલે શું કહેવામાં આવ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-16 15:18:29

ઈન્કમ ટેક્સ વિભાગ પર કોંગ્રેસે એક મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અજય માકન દ્વારા એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માહિતી આપવામાં આવી કે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્નના આધાર પર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું છે. 210 કરોડની રિકવરી કરવાનો આદેશ પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસને રાહત આપવામાં આવી છે. બુધવાર સુધી પાર્ટીને રાહત આપવામાં આવી છે. ત્યારબાદ આ મામલો આવકવેરા વિભાગ અને આવકવેરા વિભાગના અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો જ્યાંથી બુધવાર સુધી કોંગ્રેસને રાહત મળવાના અહેવાલ મળ્યાં હતાં. 

 

  

કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ! 

ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસ તેમજ યુથ કોંગસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી કોંગ્રેસના અજય માકન દ્વારા આપવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 210 કરોડ રુપિયાની રિકવરીની માગ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને એક દિવસ પહેલા જ જાણકારી મળી કે બેંકને અમે જે ચેક મોકલી રહ્યા છે તે ક્લીયર નથી થઈ રહ્યા. 



લોકતંત્રને લઈ કોંગ્રેસે કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં લોકતંત્ર પૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકાઉન્ટ પર પણ તાળાબંધી કરવામાં આવી છે. આ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ નથી થયા, આપણા દેશનું લોકતંત્ર ફ્રીઝ થઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે?  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.