Congressના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ - કોંગ્રેસે કર્યો દાવો, જાણો આ મામલે શું કહેવામાં આવ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-16 15:18:29

ઈન્કમ ટેક્સ વિભાગ પર કોંગ્રેસે એક મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અજય માકન દ્વારા એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માહિતી આપવામાં આવી કે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્નના આધાર પર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું છે. 210 કરોડની રિકવરી કરવાનો આદેશ પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસને રાહત આપવામાં આવી છે. બુધવાર સુધી પાર્ટીને રાહત આપવામાં આવી છે. ત્યારબાદ આ મામલો આવકવેરા વિભાગ અને આવકવેરા વિભાગના અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો જ્યાંથી બુધવાર સુધી કોંગ્રેસને રાહત મળવાના અહેવાલ મળ્યાં હતાં. 

 

  

કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ! 

ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસ તેમજ યુથ કોંગસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી કોંગ્રેસના અજય માકન દ્વારા આપવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 210 કરોડ રુપિયાની રિકવરીની માગ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને એક દિવસ પહેલા જ જાણકારી મળી કે બેંકને અમે જે ચેક મોકલી રહ્યા છે તે ક્લીયર નથી થઈ રહ્યા. 



લોકતંત્રને લઈ કોંગ્રેસે કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં લોકતંત્ર પૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકાઉન્ટ પર પણ તાળાબંધી કરવામાં આવી છે. આ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ નથી થયા, આપણા દેશનું લોકતંત્ર ફ્રીઝ થઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે?  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.