Congressના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ - કોંગ્રેસે કર્યો દાવો, જાણો આ મામલે શું કહેવામાં આવ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-16 15:18:29

ઈન્કમ ટેક્સ વિભાગ પર કોંગ્રેસે એક મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અજય માકન દ્વારા એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માહિતી આપવામાં આવી કે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્નના આધાર પર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું છે. 210 કરોડની રિકવરી કરવાનો આદેશ પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસને રાહત આપવામાં આવી છે. બુધવાર સુધી પાર્ટીને રાહત આપવામાં આવી છે. ત્યારબાદ આ મામલો આવકવેરા વિભાગ અને આવકવેરા વિભાગના અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો જ્યાંથી બુધવાર સુધી કોંગ્રેસને રાહત મળવાના અહેવાલ મળ્યાં હતાં. 

 

  

કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ! 

ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસ તેમજ યુથ કોંગસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી કોંગ્રેસના અજય માકન દ્વારા આપવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 210 કરોડ રુપિયાની રિકવરીની માગ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને એક દિવસ પહેલા જ જાણકારી મળી કે બેંકને અમે જે ચેક મોકલી રહ્યા છે તે ક્લીયર નથી થઈ રહ્યા. 



લોકતંત્રને લઈ કોંગ્રેસે કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં લોકતંત્ર પૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકાઉન્ટ પર પણ તાળાબંધી કરવામાં આવી છે. આ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ નથી થયા, આપણા દેશનું લોકતંત્ર ફ્રીઝ થઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે?  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .