હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસ બની આક્રામક! ભ્રષ્ટાચાર તેમજ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસના પ્રહાર! બ્રિજ પર બેનરો લગાવી લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-10 12:43:24

ગુજરાતમાં રસ્તાની તેમજ બ્રિજોની હાલત બિસ્માર છે તે આપણે સૌ જાણીએ છીએ. બ્રિજ તેમજ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર થતા હોવાની ચર્ચા તેમજ વિવાદ ઘણી વખત થાય છે. આપણી સાથે એવા અનેક કિસ્સાઓ છે જેમાં થોડા સમય પહેલા બનેલા બ્રિજ પર તિરાડો દેખાતી હોય. ત્યારે હાલ સૌથી ચર્ચિત બ્રિજ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે. માત્ર 10 મહિના પહેલા બનેલા બ્રિજને બંધ કરી દેવો પડ્યો હતો. બ્રિજને તોડવો કે રાખી મુક્વો તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બધા વચ્ચે કોંગ્રેસે બ્રિજ પર બેનરો લઈ એએમસી પર નિશાન સાધ્યું છે. બેનર પર લખવામાં આવ્યું છે હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો. 


અમદાવાદના બ્રિજોની પણ હાલત બિસ્માર!

અમદાવાદને સ્માર્ટ સિટી ગણવામાં આવે છે. નેતાઓ આ વાતનું ગૌરવ પણ લેતા હોય છે પરંતુ અમદાવાદના રસ્તાઓ શાનમાં ઘટાડો કરી દે છે. રસ્તાઓની ગુણવત્તાને લઈ તો પ્રશ્ન ઉઠતા રહે છે પરંતુ હવે તો બ્રિજના નિર્માણ દરમિયાન વપરાતા માલ સામાનની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં બનેલો હાટકેશ્વર બ્રિજ આ વાતને જાણે સાચી સાબિત કરે છે. 


હાટકેશ્વર બ્રિજને લઈ અનેક વખત છેડાયો છે વિવાદ!

અનેક વખત હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત રસ્તાઓ ખરાબ થઈ જતા તેમજ ગાબડા પડતા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ઓગસ્ટમાં એક આવન જાવન માટે રસ્તાને ખુલ્લો મૂકાયો હતો. પરંતુ ત્યારે પણ વિવાદ છેડાયો હતો. નબળી ગુણવત્તાનો માલસામાનનો વપરાશ થયો હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં પણ નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ થયો હતો. ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ બનાવનાર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપનીના ડાયરેક્ટરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.     


બ્રિજને લઈ કોંગ્રેસે લગાવ્યા બેનરો!

ભ્રષ્ટાચાર અંગેની વાત કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવતી હોય છે. હાટકેશ્વર બ્રિજ મામલે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજને આ જ પરિસ્થિતિમાં રાખવો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજને લઈ બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરોમાં એએમસી પર નિશાન સાધવામાં આવ્યું છે. બેનરોમાં લખવામાં આવ્યું છે 'હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો'. ત્યારે જોવું રહ્યું કે હાટકેશ્વર મામલે શું કાર્ય કરવામાં આવે છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.