હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસ બની આક્રામક! ભ્રષ્ટાચાર તેમજ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસના પ્રહાર! બ્રિજ પર બેનરો લગાવી લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-10 12:43:24

ગુજરાતમાં રસ્તાની તેમજ બ્રિજોની હાલત બિસ્માર છે તે આપણે સૌ જાણીએ છીએ. બ્રિજ તેમજ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર થતા હોવાની ચર્ચા તેમજ વિવાદ ઘણી વખત થાય છે. આપણી સાથે એવા અનેક કિસ્સાઓ છે જેમાં થોડા સમય પહેલા બનેલા બ્રિજ પર તિરાડો દેખાતી હોય. ત્યારે હાલ સૌથી ચર્ચિત બ્રિજ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે. માત્ર 10 મહિના પહેલા બનેલા બ્રિજને બંધ કરી દેવો પડ્યો હતો. બ્રિજને તોડવો કે રાખી મુક્વો તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બધા વચ્ચે કોંગ્રેસે બ્રિજ પર બેનરો લઈ એએમસી પર નિશાન સાધ્યું છે. બેનર પર લખવામાં આવ્યું છે હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો. 


અમદાવાદના બ્રિજોની પણ હાલત બિસ્માર!

અમદાવાદને સ્માર્ટ સિટી ગણવામાં આવે છે. નેતાઓ આ વાતનું ગૌરવ પણ લેતા હોય છે પરંતુ અમદાવાદના રસ્તાઓ શાનમાં ઘટાડો કરી દે છે. રસ્તાઓની ગુણવત્તાને લઈ તો પ્રશ્ન ઉઠતા રહે છે પરંતુ હવે તો બ્રિજના નિર્માણ દરમિયાન વપરાતા માલ સામાનની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં બનેલો હાટકેશ્વર બ્રિજ આ વાતને જાણે સાચી સાબિત કરે છે. 


હાટકેશ્વર બ્રિજને લઈ અનેક વખત છેડાયો છે વિવાદ!

અનેક વખત હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત રસ્તાઓ ખરાબ થઈ જતા તેમજ ગાબડા પડતા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ઓગસ્ટમાં એક આવન જાવન માટે રસ્તાને ખુલ્લો મૂકાયો હતો. પરંતુ ત્યારે પણ વિવાદ છેડાયો હતો. નબળી ગુણવત્તાનો માલસામાનનો વપરાશ થયો હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં પણ નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ થયો હતો. ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ બનાવનાર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપનીના ડાયરેક્ટરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.     


બ્રિજને લઈ કોંગ્રેસે લગાવ્યા બેનરો!

ભ્રષ્ટાચાર અંગેની વાત કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવતી હોય છે. હાટકેશ્વર બ્રિજ મામલે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજને આ જ પરિસ્થિતિમાં રાખવો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજને લઈ બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરોમાં એએમસી પર નિશાન સાધવામાં આવ્યું છે. બેનરોમાં લખવામાં આવ્યું છે 'હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો'. ત્યારે જોવું રહ્યું કે હાટકેશ્વર મામલે શું કાર્ય કરવામાં આવે છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.