હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસ બની આક્રામક! ભ્રષ્ટાચાર તેમજ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસના પ્રહાર! બ્રિજ પર બેનરો લગાવી લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-10 12:43:24

ગુજરાતમાં રસ્તાની તેમજ બ્રિજોની હાલત બિસ્માર છે તે આપણે સૌ જાણીએ છીએ. બ્રિજ તેમજ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર થતા હોવાની ચર્ચા તેમજ વિવાદ ઘણી વખત થાય છે. આપણી સાથે એવા અનેક કિસ્સાઓ છે જેમાં થોડા સમય પહેલા બનેલા બ્રિજ પર તિરાડો દેખાતી હોય. ત્યારે હાલ સૌથી ચર્ચિત બ્રિજ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે. માત્ર 10 મહિના પહેલા બનેલા બ્રિજને બંધ કરી દેવો પડ્યો હતો. બ્રિજને તોડવો કે રાખી મુક્વો તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બધા વચ્ચે કોંગ્રેસે બ્રિજ પર બેનરો લઈ એએમસી પર નિશાન સાધ્યું છે. બેનર પર લખવામાં આવ્યું છે હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો. 


અમદાવાદના બ્રિજોની પણ હાલત બિસ્માર!

અમદાવાદને સ્માર્ટ સિટી ગણવામાં આવે છે. નેતાઓ આ વાતનું ગૌરવ પણ લેતા હોય છે પરંતુ અમદાવાદના રસ્તાઓ શાનમાં ઘટાડો કરી દે છે. રસ્તાઓની ગુણવત્તાને લઈ તો પ્રશ્ન ઉઠતા રહે છે પરંતુ હવે તો બ્રિજના નિર્માણ દરમિયાન વપરાતા માલ સામાનની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં બનેલો હાટકેશ્વર બ્રિજ આ વાતને જાણે સાચી સાબિત કરે છે. 


હાટકેશ્વર બ્રિજને લઈ અનેક વખત છેડાયો છે વિવાદ!

અનેક વખત હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત રસ્તાઓ ખરાબ થઈ જતા તેમજ ગાબડા પડતા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ઓગસ્ટમાં એક આવન જાવન માટે રસ્તાને ખુલ્લો મૂકાયો હતો. પરંતુ ત્યારે પણ વિવાદ છેડાયો હતો. નબળી ગુણવત્તાનો માલસામાનનો વપરાશ થયો હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં પણ નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ થયો હતો. ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ બનાવનાર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપનીના ડાયરેક્ટરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.     


બ્રિજને લઈ કોંગ્રેસે લગાવ્યા બેનરો!

ભ્રષ્ટાચાર અંગેની વાત કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવતી હોય છે. હાટકેશ્વર બ્રિજ મામલે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજને આ જ પરિસ્થિતિમાં રાખવો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજને લઈ બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરોમાં એએમસી પર નિશાન સાધવામાં આવ્યું છે. બેનરોમાં લખવામાં આવ્યું છે 'હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો'. ત્યારે જોવું રહ્યું કે હાટકેશ્વર મામલે શું કાર્ય કરવામાં આવે છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.