Congress : Loksabha Election પહેલા પવન ખેરાએ વોશિંગ મશીન રાખીને કરી Press Conference, બીજેપી પર કર્યો કટાક્ષ!, શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-03-30 17:00:44

ચૂંટણી સમયે એક શબ્દ અનેક વખત સાંભળવામાં આવ્યો હશે અને એ છે બીજેપીનું વોશિંગ મશીન. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ભાજપ માટે એમ પણ સામાન્ય રીતે કહેવામાં આવે છે કે બીજેપીના વોશિંગ મશીનમાં તમે ધોવાઈ જશો તો તમે પવિત્ર થઈ જશો... બીજેપીના વોશિંગ મશીનનો ડેમો મમતા બેનર્જીએ આપ્યો હતો. ભાજપમાં જોડાતા જ નેતાઓ પવિત્ર થઈ જતા હોય છે, તેમના પર ચાલતા કેસ બંધ થઈ જતા હોય છે વગેરે વગેરે..! તે તો આપણે જાણીએ છીએ કે.. બીજેપીના વોશિંગ મશીન પર કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે. 

સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીઓ થઈ એક્ટિવ! 

લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. કટાક્ષ કરતા અનેક વીડિયો રાજકીય પાર્ટી દ્વારા મૂકવામાં આવતા હોય છે જે બીજેપી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય... એક બીજા પર કટાક્ષ કરતા તેઓ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. ત્યારે બીજેપીના વોશિંગ મશીનને લઈ કોંગ્રેસ કટાક્ષ કરવામાં આવ્યો છે..! પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પવન ખેરા હાજર હતા તેમણે બીજેપીના વોશિંગ મશીનને લઈ વાત કરી હતી.


બીજેપીના વોશિંગ મશીન અંગે કોંગ્રેસે કરી વાત!

કોંગ્રેસ દ્વારા ટ્વિટ મૂકવામાં આવી છે જેમાં પવન ખેરા કહી રહ્યા છે કે જ્યારે પણ આપણા કપડા પર ડાઘ પડે છે, તો ક્યારેક સૌથી મોંઘો વોશિંગ પાવડર પણ ડાઘ દૂર કરવામાં અસમર્થ હોય છે.પરંતુ હવે બજારમાં એક એવો વોશિંગ પાવડર અને વોશિંગ મશીન આવી ગયું છે, જે દરેક ડાઘને સાફ કરે છે.  વોશિંગ પાવડરનું નામ 'મોદી વોશિંગ પાવડર' છે અને આ વોશિંગ મશીનની કિંમત 8,552 કરોડ રૂપિયા છે. આ મશીન માત્ર સાફ જ નથી કરતું, પરંતુ સ્પિન બટન દબાવવાથી કૌભાંડી દેશભક્ત બની જાય છે અને ધીમા બટન દબાવવાથી તપાસ ધીમી પડી જાય છે. આ યંત્રનો જાદુ છે, તેથી જ તેને 'જાદુઈ મશીન' કહેવામાં આવે છે.

પ્રફુલ પટેલ વિશે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ટ્વિટ!

આ સિવાય કોંગ્રેસ દ્વારા અનેક બીજી ટ્વિટ કરવામાં આવી છે જેમાં પ્રફુલ પટેલ અંગે લખવામાં આવ્યું છે. પવન ખેરાએ કહ્યું કે સીબીઆઈએ પ્રફુલ પટેલ સામેનો કેસ બંધ કરી દીધો. તેઓ થોડા મહિના પહેલા જ બીજેપી ગઠબંધનમાં જોડાયા હતા. પ્રફુલ્લ પટેલ વોશિંગ મશીનમાં ગયો અને સાફ થઈને બહાર આવ્યો. આ માત્ર એક નામ નથી પરંતુ આવા 21 નામ છે. ભાજપે પ્રફુલ્લ પટેલ પર આરોપ લગાવ્યો હતો કે એર ઈન્ડિયાને વિમાન લીઝ પર લેવાની કોઈ જરૂર નથી.પરંતુ તેમ છતાં એરોપ્લેન લેવામાં આવ્યા, જેના કારણે 3000 કરોડથી વધુનું નુકસાન થયું. અમને પૈસા મળ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. વિપક્ષ દ્વારા લગાવવામાં આવતો આરોપ સાવ ખોટો પણ નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી થતો કે વિપક્ષી પાર્ટીઓ દૂધથી ધોવાયેલી છે. 


અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં.... 

ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે તે જોડાયા ત્યારે તે પવિત્ર થઈ ગયા.. મહારાષ્ટ્રની રાજનીતિ હોય છે કે પશ્ચિમ બંગાળની રાજનીતિ હોય આવા ઉદાહરણો આપણી સમક્ષ છે.જે લોકો પર આરોપ લાગે છે કરપ્શનના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય,તો એ લોકો શુદ્ધ થઈ જાય. પરંતુ જ્યારે આ લોકો ભાજપમાં નથી જોડાતા ત્યારે એકાએક ઈડીનો આત્મા જાગે છે, ઈડી એમના ઘરે પહોંચે છે  અને તેમને ઉપાડીને જેલમાં લઈ જાય છે. ઈડી જેને જેલમાં નાખે છે તેમની અંદર ચોર નથી હોતો તેવું અમે નથી કહી રહ્યા પરંતુ ચોર માત્ર વિપક્ષના નેતાઓ જ છે? ઈડીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠતા રહ્યા છે, વિપક્ષી પાર્ટીઓ દ્વારા અનેક વખત આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઈડીએ પણ જાણે અલગ પ્રકારના ચશ્મા પહેર્યા છે! 


ઈડી ક્યારે નિષ્પક્ષ બની કાર્યવાહી કરશે? 

જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને ઈડી જોવે છે તો તેને લાગતું હશે આ તો મહાપુરૂષ છે..! પરંતુ એ જ ઈડીની નજર જ્યારે બીજેપીનો ખેસ પહેર્યા વગરના નેતા પર પડે છે ત્યારે તેને બધામાં ચોર દેખાય છે..! કાર્યવાહી થાય છે, અને જેલમાં પૂરે છે..ઈડી જે બાકીની કાર્યવાહીઓ કરે છે તે વિપક્ષી નેતાઓ હોય છે મુખ્યત્વે કિસ્સાઓમાં... જેટલી નિષ્ઠાથી ઈડી વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે એટલી જ નિષ્પક્ષતાથી સત્તાધારી પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ પણ થવી જોઈએ.. જો આ રીતે ઈડી કાર્યવાહી કરશે તો આવા ચોર ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે, ભારતીય જનતા પાર્ટીમાં એ સમૂહ વધતોને વધતો જશે...!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.