રસ્તા પર વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી, ભાજપ સરકાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ! જાણો અમિત ચાવડાએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-05 12:50:37

ગુજરાતમાં વરસાદી મોસમ જામી છે. સિઝનની શરૂઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તિ ઉઠી છે, પરંતુ રોડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર પડેલા ખાડા, ભૂવાને કારણે લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં તેમજ રાજ્યમાં વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે.  અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે શું એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી? ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રીજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભુવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થાય છે.

  

રસ્તા પર પડતા ખાડાને લઈ કોંગ્રેસે કર્યા પ્રહાર

વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. વરસાદની શરૂઆત થતાં જ રાજ્યના રસ્તાઓ પર ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત જેવા શહેરો હોય કે કોઈ ગામડાનો રસ્તો હોય દરેક જગ્યાઓ પર ભૂવા અથવા તો ખાડા મળી આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જ્યાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી હોય. રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. ત્યારે વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. શું એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી? ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રીજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભુવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થાય છે.     


અમિત ચાવડાએ અનેક બ્રિજોના આપ્યા ઉદાહરણ

પોતાના સંબોધનમાં અમિત ચાવડાએ મોરબી બ્રિજ દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલમાં જ મોરબીમાં થયેલી દુખ:દ ઘટનામાં જે બ્રીજ તૂટ્યો તેમાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તાપી જીલ્લામાં મીઢોળા નદી પર બનાવેલો બ્રીજ તૂટ્યો, સુરતમાં 110 કરોડના ખર્ચે બનેલા અન્ડરપાસ બ્રિજમાં ગાબડા પડ્યા, સાથેસાથે સુરતમાં બીજા એક બ્રિજનો સ્લેબ તુટ્યો, અમદાવાદની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો એ આપણે સૌ જાણીએ છીએ, આખો બ્રીજ તોડી પાડવાના આદેશો કરવા પડ્યા, વડોદરામાં અટલ બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ, સાબરમતી નદી ઉપર 75 કરોડના ખર્ચે બનાવેલા અટલ બ્રીજ પરના ગ્લાસ પર તિરાડ પડી, જેને મોદીજીના હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આવા અનેક દાખલા આપણી સામે મોજુદ છે.



ગેનીબેન ઠાકોરે પણ સરકારને આડેહાથ લીધી હતી 

અમિત ચાવડા ઉપરાંત પત્રકાર પરિષદમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા. ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર દારુબંધી મામલે સવાલો ઉઠાવ્યા હતા. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા હતા કે ગુજરાતના સરહદના જિલ્લાઓમાં કેવી રીતે બીજા રાજ્યોથી દારુ પહોંચી રહ્યો છે અને કેવી રીતે ગાંધીનગર સુધી હપ્તા પહોંચી રહ્યા છે. બંને નેતાઓએ  કોન્ટ્રાક્ટ સિસ્ટમ, ગુજરાતમાં બિસ્કિટની જેમ તૂટતા બ્રિજ, ટેન્ડર પ્રક્રિયા, ફિટનેસ સર્ટિફિકેટ, ભ્રષ્ટાચાર, ગુજરાતમાં દારુ ઘૂસાડવાના વેપલા વગેરે વિષય પર સરકાર પર પ્રહાર કર્યા હતા.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.