Debate Showમાં Paper Leak મુદ્દે Congress-BJP આમને-સામને, કોંગ્રેસના પ્રવક્તાએ પૂછ્યું રાજસ્થાનમાં પેપર ફુટ્યું તો ઈડી મોકલી તો...


  • Published By :
  • Published Date : 2023-11-06 15:14:04

દેશના પાંચ રાજ્યોમાં થોડા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. એક તરફ ચૂંટણીનો ધમધમાટ શરૂ છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર, અનેક નેતાઓને ત્યાં ઈડી દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. મુખ્યત્વે એવી જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે જ્યાં ચૂંટણી યોજાવાની છે. અઠવાડિયાના અંતે જમાવટ પર દેવાંશી જોષી ડિબેટ શો કરે છે જેમાં ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા આવતા હોય છે. કરંટ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે ઈડીની રેડ મુદ્દે આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ડિબેટમાં ઉગ્ર ચર્ચા ત્યારે થવા લાગી જ્યારે પેપરલીકનો મુદ્દો ઉઠ્યો.

ગુજરાતમાં 22 જેટલા પેપર ફુટ્યા પરંતુ.... 

રાજસ્થાનમાં આવનાર દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં ચૂંટણીનો મુદ્દો પેપરલીક રહ્યો છે. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ ચૂંટણી લડવા માગે છે તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાં પેપરલીકને લઈ ભાજપ આક્રામક દેખાઈ રહી છે. ભાજપને રાજસ્થાનમાં થતી પેપરલીકની ઘટના દેખાય છે પરંતુ ગુજરાતમાં બનતી પેપરલીકની ઘટના નથી દેખાતી.! ગુજરાતમાં એક નહીં પરંતુ 22 જેટલા પેપર ફૂટ્યા છે. પરંતુ ભાજપ મૌન છે...! આવી વાતો કોંગ્રેસ તરફથી આવેલા પ્રવક્તાએ કહી હતી. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે રાજસ્થાનમાં પેપર લીક થયું તો ઈડી મોકલી. પરંતુ ગુજરાતમાં 22 પેપર ફૂટ્યા છે ઈડી ક્યાં? રાજસ્થાન જેવી કાર્યવાહી ગુજરાતમાં ક્યારે થશે તેનો જવાબ કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપના પ્રવક્તાથી માગ્યો હતો. 


રાજસ્થાનમાં જેવી કાર્યવાહી કરાઈ રહી છે તેવી કાર્યવાહી ગુજરાતમાં ક્યારે થશે? 

ગુજરાતમાં અનેક પેપર ફૂટ્યા છે. દિવાળીમાં જેમ ફટાકડા ફૂટે છે તેવી રીતે ગુજરાતમાં પેપર ફૂટે છે તેવી વાતો વિપક્ષ દ્વારા અનેક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં એ હદે પેપર ફૂટી રહ્યા છે કે શાળાનું પેપર ફૂટે છે. રાજસ્થાનમાં પણ પેપર ફૂટ્યું, તે મુદ્દા પર ભાજપ દ્વારા ચૂંટણી લડવામાં આવવાની છે, ભાજપનો તે મોટો મુદ્દો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ડિબેટમાં ભાજપના પ્રવક્તાને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં 22 પેપર ફૂટ્યા છે પરંતુ ઈડી ત્યાં કાર્યવાહી ક્યારે કરશે ?        



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.