Debate Showમાં Paper Leak મુદ્દે Congress-BJP આમને-સામને, કોંગ્રેસના પ્રવક્તાએ પૂછ્યું રાજસ્થાનમાં પેપર ફુટ્યું તો ઈડી મોકલી તો...


  • Published By :
  • Published Date : 2023-11-06 15:14:04

દેશના પાંચ રાજ્યોમાં થોડા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. એક તરફ ચૂંટણીનો ધમધમાટ શરૂ છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર, અનેક નેતાઓને ત્યાં ઈડી દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. મુખ્યત્વે એવી જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે જ્યાં ચૂંટણી યોજાવાની છે. અઠવાડિયાના અંતે જમાવટ પર દેવાંશી જોષી ડિબેટ શો કરે છે જેમાં ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા આવતા હોય છે. કરંટ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે ઈડીની રેડ મુદ્દે આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ડિબેટમાં ઉગ્ર ચર્ચા ત્યારે થવા લાગી જ્યારે પેપરલીકનો મુદ્દો ઉઠ્યો.

ગુજરાતમાં 22 જેટલા પેપર ફુટ્યા પરંતુ.... 

રાજસ્થાનમાં આવનાર દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં ચૂંટણીનો મુદ્દો પેપરલીક રહ્યો છે. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ ચૂંટણી લડવા માગે છે તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાં પેપરલીકને લઈ ભાજપ આક્રામક દેખાઈ રહી છે. ભાજપને રાજસ્થાનમાં થતી પેપરલીકની ઘટના દેખાય છે પરંતુ ગુજરાતમાં બનતી પેપરલીકની ઘટના નથી દેખાતી.! ગુજરાતમાં એક નહીં પરંતુ 22 જેટલા પેપર ફૂટ્યા છે. પરંતુ ભાજપ મૌન છે...! આવી વાતો કોંગ્રેસ તરફથી આવેલા પ્રવક્તાએ કહી હતી. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે રાજસ્થાનમાં પેપર લીક થયું તો ઈડી મોકલી. પરંતુ ગુજરાતમાં 22 પેપર ફૂટ્યા છે ઈડી ક્યાં? રાજસ્થાન જેવી કાર્યવાહી ગુજરાતમાં ક્યારે થશે તેનો જવાબ કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપના પ્રવક્તાથી માગ્યો હતો. 


રાજસ્થાનમાં જેવી કાર્યવાહી કરાઈ રહી છે તેવી કાર્યવાહી ગુજરાતમાં ક્યારે થશે? 

ગુજરાતમાં અનેક પેપર ફૂટ્યા છે. દિવાળીમાં જેમ ફટાકડા ફૂટે છે તેવી રીતે ગુજરાતમાં પેપર ફૂટે છે તેવી વાતો વિપક્ષ દ્વારા અનેક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં એ હદે પેપર ફૂટી રહ્યા છે કે શાળાનું પેપર ફૂટે છે. રાજસ્થાનમાં પણ પેપર ફૂટ્યું, તે મુદ્દા પર ભાજપ દ્વારા ચૂંટણી લડવામાં આવવાની છે, ભાજપનો તે મોટો મુદ્દો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ડિબેટમાં ભાજપના પ્રવક્તાને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં 22 પેપર ફૂટ્યા છે પરંતુ ઈડી ત્યાં કાર્યવાહી ક્યારે કરશે ?        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.