વઢવાણમાં કોંગ્રેસે ભાજપના પોસ્ટર બાળ્યા, 'ભરોસાની ભાજપ સરકાર' સ્લોગન પર ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-25 10:45:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના બેનરો ફાડીને સળગાવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ આ પોસ્ટર ફાળતા રાજનીતિ ગરમાઈ ગઈ છે.


ભરોસાની ભાજપ સરકાર પોસ્ટર પર ગરમાઈ રાજનીતિ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મુદ્દાઓને લઈ વિવાદો સર્જાતા રહે છે.  હાલ પોસ્ટર પર રાજનીતિ થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા જે બાદ અલગ પ્રકારની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપના પોસ્ટર ફાડવામાં આવ્યા છે વઢવાણમાં ભાજપના બેનર ફાડી દેવામાં આવ્યા છે. ભરોસાની ભાજપ સરકાર એવા બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. આ બધા દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણમાં ખેડૂતોને ડ્રોનથી ખેતી કરાવનાર ભરોસાની ભાજપ સરકાર એવા બેનર લાગતા તેનો વિરોધ થયો હતો.

Gujarat Election Congress May Declares Candidate List In Four Time , May  Some MLAs Change Seats | Gujarat Election : કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતને  લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ...

કોંગ્રેસે બેનર બાળી કર્યો વિરોધ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ, આપ, કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે. પોસ્ટરને લઈને પણ માહોલ ગરમાતો રહે છે.  વઢવાણ ખારવા રોડ પર લાગેલા ભાજપના પોસ્ટરને કોંગ્રેસના આગેવાનોએ ફાળી નાખ્યા હતા. ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસે લગાવ્યા હતા. બેનેરો ફાળી કોંગ્રેસે બેનરો સળગાવી દીધા હતા. ત્યારે ભાજપ આની પર કેવી રીતે પ્રતિક્રિયા આપે તેની પર બધાની નજર રહેશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.