વઢવાણમાં કોંગ્રેસે ભાજપના પોસ્ટર બાળ્યા, 'ભરોસાની ભાજપ સરકાર' સ્લોગન પર ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-25 10:45:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના બેનરો ફાડીને સળગાવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ આ પોસ્ટર ફાળતા રાજનીતિ ગરમાઈ ગઈ છે.


ભરોસાની ભાજપ સરકાર પોસ્ટર પર ગરમાઈ રાજનીતિ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મુદ્દાઓને લઈ વિવાદો સર્જાતા રહે છે.  હાલ પોસ્ટર પર રાજનીતિ થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા જે બાદ અલગ પ્રકારની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપના પોસ્ટર ફાડવામાં આવ્યા છે વઢવાણમાં ભાજપના બેનર ફાડી દેવામાં આવ્યા છે. ભરોસાની ભાજપ સરકાર એવા બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. આ બધા દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણમાં ખેડૂતોને ડ્રોનથી ખેતી કરાવનાર ભરોસાની ભાજપ સરકાર એવા બેનર લાગતા તેનો વિરોધ થયો હતો.

Gujarat Election Congress May Declares Candidate List In Four Time , May  Some MLAs Change Seats | Gujarat Election : કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતને  લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ...

કોંગ્રેસે બેનર બાળી કર્યો વિરોધ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ, આપ, કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે. પોસ્ટરને લઈને પણ માહોલ ગરમાતો રહે છે.  વઢવાણ ખારવા રોડ પર લાગેલા ભાજપના પોસ્ટરને કોંગ્રેસના આગેવાનોએ ફાળી નાખ્યા હતા. ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસે લગાવ્યા હતા. બેનેરો ફાળી કોંગ્રેસે બેનરો સળગાવી દીધા હતા. ત્યારે ભાજપ આની પર કેવી રીતે પ્રતિક્રિયા આપે તેની પર બધાની નજર રહેશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"