વઢવાણમાં કોંગ્રેસે ભાજપના પોસ્ટર બાળ્યા, 'ભરોસાની ભાજપ સરકાર' સ્લોગન પર ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-25 10:45:50

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના બેનરો ફાડીને સળગાવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ આ પોસ્ટર ફાળતા રાજનીતિ ગરમાઈ ગઈ છે.


ભરોસાની ભાજપ સરકાર પોસ્ટર પર ગરમાઈ રાજનીતિ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મુદ્દાઓને લઈ વિવાદો સર્જાતા રહે છે.  હાલ પોસ્ટર પર રાજનીતિ થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા જે બાદ અલગ પ્રકારની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપના પોસ્ટર ફાડવામાં આવ્યા છે વઢવાણમાં ભાજપના બેનર ફાડી દેવામાં આવ્યા છે. ભરોસાની ભાજપ સરકાર એવા બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. આ બધા દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણમાં ખેડૂતોને ડ્રોનથી ખેતી કરાવનાર ભરોસાની ભાજપ સરકાર એવા બેનર લાગતા તેનો વિરોધ થયો હતો.

Gujarat Election Congress May Declares Candidate List In Four Time , May  Some MLAs Change Seats | Gujarat Election : કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતને  લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ...

કોંગ્રેસે બેનર બાળી કર્યો વિરોધ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ, આપ, કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે. પોસ્ટરને લઈને પણ માહોલ ગરમાતો રહે છે.  વઢવાણ ખારવા રોડ પર લાગેલા ભાજપના પોસ્ટરને કોંગ્રેસના આગેવાનોએ ફાળી નાખ્યા હતા. ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસે લગાવ્યા હતા. બેનેરો ફાળી કોંગ્રેસે બેનરો સળગાવી દીધા હતા. ત્યારે ભાજપ આની પર કેવી રીતે પ્રતિક્રિયા આપે તેની પર બધાની નજર રહેશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.